विवेचन सारांश
સાત્ત્વિક, રાજસિક અને તામસિક ગુણોના લક્ષણો

ID: 2390
गुजराती - ગુજરાતી
શનિવાર, 04 ફેબ્રુઆરી 2023
પ્રકરણ 14: ગુણત્રય વિભાગ યોગ
1/2 (શ્લોક 1-10)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રજવલન પછી ગુરુદેવની કૃપા પ્રસાદથી મા સરસ્વતી, ભગવાન વેદવ્યાસજી, જ્ઞાનેશ્વર મહારાજ અને સદગુરુ સ્વામી ગોવિંદ દેવગીરીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આજના વિવેચન સત્રનો પ્રારંભ થયો.
શ્રીમદ્દભગવદ્ગીતા એક અનુપમ ગીત છે જે ભગવાને પ્રત્યક્ષ યુદ્ધ મેદાનમાં ગાયું છે. જ્યારે અર્જુને યુદ્ધ મેદાનમાં દ્વિધાભરી સ્થિતિમાં હતાશ થઈને, પોતાના બધા સગા સંબંધીઓને જોઈને, મોહવશ થઈને પોતાનું ધનુષ્ય નીચે મૂકી દીધું, અને એમાં પણ પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણને જોઈને અર્જુન હતાશામાં ગરકાવ થઈ જાય છે, ત્યારે આવી નિરાશાપૂર્ણ અવસ્થામાં પોતાના શિષ્યને જોઈને ભગવાને અર્જુનના મનમાં પ્રેરણા ભરી દીધી અને ઊર્જા આપી જેથી અર્જુન પોતાનું કર્તવ્ય સારી રીતે પરિપૂર્ણ કરી શકે. કારણ અર્જુને ભગવાનનું શિષ્યત્ત્વ બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં સ્વીકાર્યું હતું.
ભગવાન પોતાના શિષ્યમાં આત્મવિશ્વાસ ભરવા માટે, માર્ગદર્શન કરવા માટે, જ્ઞાનની આભા તેના મનમાં પ્રસ્ફૂટીત કરે છે અને જ્ઞાનનો માર્ગ પ્રશસ્ત કરે છે.
જે પણ મનુષ્ય અર્જુનની હરોળમાં બેસવા ઈચ્છે છે, અર્જુનની જેમ આ જ્ઞાન મેળવવા ઈચ્છે છે, એના માટે આ શાશ્વત જ્ઞાનની ધારા ૫૦૦૦ વર્ષોથી વહેતી આવી રહી છે. જે પણ મનુષ્ય આ જ્ઞાન મેળવવા ઈચ્છે છે, તેના માટે ભગવાન સ્વયં માર્ગ પ્રશસ્ત કરી આપે છે કારણ ભગવાન કેવળ અર્જુનના સારથિ નથી, ભગવાન દરેક મનુષ્યની અંદર સારથિના રૂપમાં બિરાજેલા છે.
ભગવાને શ્રીમદ્ ભગવદ્ગીતાના મધ્યમાં આવેલા નવમા અધ્યાય રાજવિદ્યા રાજગુહ્યયોગમાં જ્ઞાન વિજ્ઞાનના ઘણાં રહસ્યો ખોલ્યા છે. ભગવાન આજે આ મહત્વપૂર્ણ અધ્યાયમાં આપણને વ્યવહારિક સ્તર પર કંઈ કહેવા માગે છે.
ગુરુદેવના મુખારવિંદમાંથી પ્રવાહિત થયેલી જ્ઞાનધારા અને ગીતાજીની જ્ઞાનગંગાના થોડાક અંશ આજના વિવેચનમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. કારણ શિષ્યનું કર્તવ્ય હોય છે કે પોતાના ગુરુ પાસેથી મેળવેલી જ્ઞાનરૂપી પ્રસાદી એકલાં જ ન લેતાં બધાને આપે, દરેક મનુષ્ય સુધી એ જ્ઞાન પહોંચાડે.
જ્ઞાનેશ્વર મહારાજ આ અધ્યાયનું વિવેચન કરતાં કરતાં પોતાના ગુરુદેવની શરણાગતિ લે છે અને તે એ કહે છે કે,

"म्हणुन साधका तु मौली पिके सारस्वत आप्या पाउली
या कारणी तुझी साऊली न खंडिन मी कदा।"

ગુરુદેવ આપના ચરણોની સાથે સરસ્વતીનો પ્રવેશ થાય છે. જીવનમાં ક્યારેય હું આપનું શરણું તો છોડીશ જ નહીં, પરંતુ

“ आता कृपा भांडवल सोडी  
  भरी मती माझी हि पोतडी ॥"

જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે, ગુરુદેવ આપ મારા પર કૃપા કરજો અને એવી રીતે કૃપા વરસાવજો કે મારી બુદ્ધિ સિદ્ધાંતોથી ભરાઈ જાય, જેથી આ સિદ્ધાંતોની વર્ષા હું મારા શ્રોતાઓ ઉપર કરી દઉં.
જે રીતે ભગવાને બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો, બારમા અધ્યાયમાં ભક્તના લક્ષણો, સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિના લક્ષણો અને તેરમા અધ્યાયમાં જ્ઞાનીનાં લક્ષણો જણાવ્યા છે, પરંતુ ભગવાને આજના ચૌદમા અધ્યાય ગુણત્રયવિભાગ યોગમાં પહેલા ત્રણ ગુણ અને તેના લક્ષણો અને પછી જે ગુણાતીત હોય છે તેના પણ લક્ષણ જણાવ્યા છે. માટે આ અધ્યાય મહત્વપૂર્ણ છે કારણ મનુષ્ય જીવનમાં ગુણાતીત સ્થિતિ સુધી પહોંચવા માંગે છે અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગે છે પછી તે લૌકિક વાત હોય કે અલૌકિક વાત હોય, અભ્યુદય હોય કે પછી નિશ્રેયસ હોય.
અભ્યુદય અને નિશ્રેયસ ધર્મના બે પાસાં  છે, જાણે કે ધર્મના રથના બે પૈડા છે. અભ્યુદય એટલે ભૌતિક ઉન્નતિ. મનુષ્યનાં જીવનમાં ભૌતિક ઉન્નતિ પણ થવી જોઈએ પરંતુ ભૌતિક ઉન્નતિ કરતાં કરતાં મનુષ્ય એમાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે, જેથી તે અંતિમ શાંતિ ગુમાવી દે છે. મનુષ્યએ નૈતિકતાથી અભ્યુદય કરતાં રહીને અંતિમ પરમ શાંતિ નિર્વાણની તરફ વધવું તેનું કર્તવ્ય છે. ભૌતિક ઉન્નતિ મનુષ્યને બંધનમાં બાંધે છે તે સમજવું ખૂબ જરૂરી છે. આ બંધનમાં બાંધવાવાળા ગુણોના વિષયમાં આ અધ્યાયમાં વિસ્તારથી સમજાવ્યું છે. ભગવાને સ્વયં જ અર્જુનના કોઈ પ્રશ્ન પૂછ્યા વગર જ પોતાની વાત કહેવાનો આરંભ કર્યો છે.

14.1

શ્રીભગવાનુવાચ
પરં(મ્) ભૂયઃ(ફ્) પ્રવક્ષ્યામિ, જ્ઞાનાનાં(ઞ્) જ્ઞાનમુત્તમમ્।
યજ્જ્ઞાત્વા મુનયઃ(સ્) સર્વે, પરાં(મ્) સિદ્ધિમિતો ગતાઃ॥૧૪.૧॥

સર્વ જ્ઞાનો કરતાં ચઢિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરી કહું છું, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે.

ભગવાન કહે છે, "હે અર્જુન! બધા જ્ઞાનોમાં જે સર્વોત્તમ જ્ઞાન છે, સર્વોપરી જ્ઞાન છે, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, તે હું ફરી ફરીથી તને સરળતાથી કહું છું. આ જ્ઞાનથી પરમસિદ્ધિ પ્રાપ્ત થશે. જ્યાં સુધી મનમાં શાંતિ ન થાય ત્યાં સુધી વારંવાર સાંભળવું અને સમજવું પડશે. જ્ઞાન મેળવવા માટે પુનરાવર્તન જરૂરી છે કારણ જ્ઞાન મનમાં રહેતું નથી, દૂર થઈ જાય છે. માટે હું ફરી ફરીથી જણાવીશ, જેને પ્રાપ્ત કરીને મુનિઓ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે."

મનનશીલ વ્યક્તિ એટલે મુનિ. સામાન્ય મનુષ્ય તેને સાંભળીને ભૂલી જાય છે, પરંતુ જે એનું મનન, ચિંતન તેમજ મંથન કરે છે તેને મુનિ કહેવાય છે. મુનિઓ આ જ્ઞાનથી પરમસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
સિદ્ધિ પણ અનેક પ્રકારની હોય છે. પરંતુ પરમાત્માની સાથે એકરૂપતા પ્રાપ્ત કરવી તેને જ પરમસિદ્ધિ કહેવાય છે.
જ્ઞાનના વિષયમાં જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, બધા જ્ઞાનને સમજવું જોઈએ જેમકે આજીવિકાનું જ્ઞાન, પ્રપંચનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ તો જ માણસને અભ્યુદય પ્રાપ્ત થાય છે.
ઉત્તમ જ્ઞાન શું હોય છે? જેમકે વાસ્તવિક રીતે આપણે કહીએ છીએ ને કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, સંગીત, રસોઈ વગેરેનું જ્ઞાન આ બધું પ્રપંચના વિષય છે. આ બધા આજીવિકાના જ્ઞાન છે અને એ પણ જરૂરી છે. તેના લીધે જ લૌકિક જીવન ચાલે છે.
સૃષ્ટિ અને સૃષ્ટિકર્તાનું જ્ઞાન, જીવ, જગત અને જગદીશ્વર આ ત્રણનો પરસ્પર સંબંધ શું છે તેનું જ્ઞાન પરમ જ્ઞાન છે, તો સ્વયંને જાણવા માટે આત્મતત્ત્વનું જ્ઞાન પણ જરૂરી છે.
સિદ્ધ મહાત્માઓ ઉપજીવિકાના જ્ઞાનમાં પડતા જ નથી, પરંતુ સામાન્ય મનુષ્યએ ઉપજીવિકાનું જ્ઞાન લેવું જ પડે છે. મનુષ્યે જીવનને અભ્યુદય તરફ લઈ જઈને ભૌતિક પ્રગતિ પણ કરવાની છે, પરંતુ તેમાં અટકી રહેવાનું નથી. ભૌતિક ઉન્નતિમાં જ અટકી રહેવું તેને જ્ઞાનેશ્વર મહારાજ અજ્ઞાન કહે છે. કારણ એક દિવસ તો આ દેહ છોડીને જવાનું જ છે, પરંતુ મનુષ્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જાણ્યા વગર જ અહીંથી ચાલ્યો જાય તે ભગવાનને મંજૂર નથી.
ભગવાન કહે છે, એ જ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરશે જે મનન કરતાં કરતાં ધીરે ધીરે જ્ઞાનને પોતાની અંદર સંક્રમિત કરતા જશે. માટે આ જ્ઞાન આજીવિકાનું નહીં પરંતુ જીવનનું જ્ઞાન છે. જે સિદ્ધ મહાત્માઓ ભગવાન પાસેથી આવે છે તે અવતારી હોય છે. ભગવાન એમને મોકલે છે, માટે એમને આજીવિકાની જે વિદ્યાઓ છે તે શીખવી પડતી નથી. આ બધું જ જ્ઞાન એમના મસ્તિકમાં, પ્રજ્ઞામાં અવતરીત જ થઈ જાય છે. જે રીતે રામકૃષ્ણદેવના ભાઈએ આરાધના કરતાં કરતાં એમના ભાઈ ગદાધરને (ઠાકુર રામકૃષ્ણદેવને)જગદંબાની પૂજા કરવા પૂજારી તરીકે નિયુક્ત કર્યા ત્યારે ગદાધર પૂરી નિષ્ઠાથી માતાની સેવા કરવા લાગ્યા. ગદાધરે પહેલાથી જ નિશ્ચય કર્યો હતો કે એમને પરમજ્ઞાન મેળવવું હતું. 
ભગવાન કહે છે, "જે જ્ઞાન હું કહી રહ્યો છું તે કેવળ અંતર્મન ઉપરથી અજ્ઞાનનો પડદો હટાવવાથી ઉદિત થવાવાળું જ્ઞાન છે. હે અર્જુન! આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તું પરમ તત્ત્વના સામર્થ્યને પ્રાપ્ત કરીશ. 
ભગવાન કહે છે કે જે ભક્તનો ભાવ પરમસિદ્ધિ પ્રાપ્ત કરવાનો થઈ જાય છે તો તેનું योगक्षेमम् वहाम्यहम्  એટલે કે તેનો યોગ અને ક્ષેમ બંને હું વહન કરું છું. "

14.2

ઇદં(ઞ્) જ્ઞાનમુપાશ્રિત્ય, મમ સાધર્મ્યમાગતાઃ।
સર્ગેઽપિ નોપજાયન્તે, પ્રલયે ન વ્યથન્તિ ચ॥૧૪.૨॥

આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો, સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલયકાળેય નથી વ્યાકુળ થતા.

ભગવાન કહે છે કેવળ આ જ્ઞાનના આશ્રયમા રહેવાવાળા નહીં, ઉપાશ્રિત્ય એટલે એમાં સમરસ થવાવાળા, એમાં ભળી જવાવાળો, એને લપેટાઈ રહેવાવાળો, એનું નિરંતર ચિંતન કરવાવાળો મારા સાધર્મ્યને પ્રાપ્ત કરી લે છે.
સાધર્મ્ય એટલે ભગવાન સાથે એકરૂપતા, ભગવાનનું સામીપ્ય, ભગવાનના મૂળ સ્વરૂપ સત્, ચિત્, આનંદની પ્રાપ્તિ કે જે ક્યારેય નષ્ટ થતી નથી.
સત્ એટલે અનંત જીવન જે કદી નષ્ટ નથી થતું 
ચિત્ એટલે અખંડ જ્ઞાન, સમગ્ર જ્ઞાન.
આનંદ એટલે જે ક્યારેય નષ્ટ નથી થતું એ સુખની પરમ ઉચ્ચ અનુભૂતિ, સ્વાધીન સુખ.

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५-७॥

ભગવાને ૧૫મા અધ્યાયમાં કહ્યું કે બધા જ જીવમાત્રને સીમા, જાતિ, ઉંચ, નીચ જેવું કોઈ જ બંધન નહીં, દરેક જીવ પરમાત્માનો જ અંશ છે. એટલે કે જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ જ હોવો જોઈએ. જેવી રીતે ગંગાજળ ગંગાજીનો વહેતો પ્રવાહ જ છે. ગંગાજળ લોટામાં ભરેલું હોય કે ગંગાજીના પ્રવાહમાં વહેતું હોય બંને એક સમાન છે. કેવળ ગંગાજળ લોટામાં સીમિત થઈ ગયું. તેવી જ રીતે પરમાત્માનું પ્રતિબિંબ જે ચૈતન્ય સ્વરૂપ છે તે આ દેહમાં બંધાઈ ગયા પછી મનુષ્ય ભૂલી જાય છે કે તે ભગવાનનો જ અંશ છે અને તેમાં ભગવાનના જ ગુણ છે, સચ્ચિદાનંદ ગુણ. જે મનુષ્ય જ્ઞાનથી લપેટાયેલો હશે તે ભગવાનના સાધર્મ્યની પ્રાપ્તિ કરશે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, જે એનું સ્વયંનું સ્વરૂપ છે એટલે કે પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે તો મનુષ્યને અસીમ સુખ પ્રાપ્ત થાય છે જે કદી છીનવાતું નથી.
જ્ઞાનથી અજ્ઞાનતાનો મેલ ધોવાઈ જાય છે મનુષ્યને આત્મસ્વરૂપનું એટલે કે સ્વયંનું સ્પષ્ટ દર્શન થાય છે.
જેમ ગંદા તળાવમાં હીરાની વીંટી પડી જાય તો બહારથી જોઈ શકાતી નથી, પરંતુ જ્યારે તળાવનું પાણી શાંત થઈ જાય છે અને ગંદકી સાફ થઈ જાય છે ત્યારે વીંટી દેખાવા લાગે છે. એવી જ રીતે મનુષ્યના અંતઃકરણમાં જે મેલ છે તે બધો જ જ્ઞાનની પ્રભાથી ધોવાઈ જશે.
ગુરુદેવે એક સુંદર પ્રસંગ કહ્યો.
  એક શાહૂકાર બહુ પૈસા કમાયો. અત્યાધિક ધન હોવાને કારણે એના સંતાનો કામચોર અને ઉડાઉ થઈ ગયા. હવે એને પોતાના સંતાનોની બહુ ચિંતા થઈ ગઈ. એણે પોતાના એક વિશ્વાસપાત્ર મિત્રને બોલાવીને કહ્યું કે મારું જે ધન છે તેમાંથી કેટલુંક જમીનમાં એક જગ્યાએ છુપાવી દે અને જો મારા દીકરાઓનું બધું ધન ખલાસ થઈ જાય તો આ ધન કાઢીને એમને આપી દેજે. પછી થયું પણ એવું જ. એના દીકરાઓ એ બધું ધન ઉડાવી દીધું અને કંગાળ થઈ ગયા. ત્યારે એના મિત્રે જે છુપાવેલું ધન હતું તે છોકરાઓને આપ્યું અને શરત રાખી કે હવે એમણે સારા રસ્તે ચાલવું પડશે. છોકરાઓએ શરત માની લીધી અને ધન મેળવીને બહુ ખુશ થયા. શાહુકારના મિત્રને કહ્યું કે તમે અમને ઘણું બધું ધન આપી દીધું ત્યારે મિત્રે કહ્યું, ધન મેં નથી આપ્યું, મેં તો ફક્ત તમારા ધનની ઉપર જે આવરણ હતું તેને ખસેડી દીધું છે. આ પ્રકારે ગુરુની કૃપાથી અજ્ઞાનના બાહ્ય આવરણો ખસી જાય છે.
ભગવાન કહે છે પ્રલય વખતે આખી સૃષ્ટિ એમનામાં જ વિલીન થઈ જાય છે.
પ્રલય પણ ઘણા પ્રકારના છે.
નિત્યપ્રલય- આપણે રોજ સૂઈ જઈએ છે એ નિત્યપ્રલય છે. જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આજુબાજુનું વિશ્વ સમાપ્ત થઈ જાય છે, આપણે સ્વયંને પણ નથી જાણતા.
મૃત્યુપ્રલય- એટલે " પ્રકર્શેન લયહ્ ", સમાઈ જવું. મૃત્યુ થાય છે ત્યારે મનુષ્ય માટે એ નષ્ટ થઈ ગયું, એનો પ્રલય થઈ ગયો.
ઉત્પત્તિ અને પ્રલય સમયે પરમાત્મા તો હોય જ છે. હું કોણ છું એ જે જાણે છે તે આ જ્ઞાનનો આશ્રય લે છે, તે નિર્માણ સમયે કે પ્રલય વખતે વ્યથિત નથી થતો, વ્યાકુળ નથી થતો.
મહાભારતના પ્રસંગમાં યક્ષે પહેલા ચાર પાંડવોને પ્રશ્ન પૂછ્યા. પાંડવોએ જવાબ નહીં આપ્યા અને તળાવના પાણીને હાથ લગાડ્યો તેથી તેમનું મૃત્યુ થયું. પછી યુધિષ્ઠિર આવ્યા ત્યારે તેમણે પૂછ્યું કે આ સંસારમાં સૌથી આશ્ચર્યની વાત કઈ છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે રોજ કોઈને કોઈ મૃત્યુ પામે છે, સ્મશાન સુધી મૂકીને આવે છે, છતાંય મનુષ્ય માને છે કે હું શાશ્વત છું. હું ક્યારેય મરવાનો જ નથી. આ રીતનું જીવન જીવવું તે સંસારની મોટામાં મોટી આશ્ચર્યની વાત છે.
ભગવાન અહીં અર્જુનના સદ્ગુરુ બનીને જ્ઞાન આપવાનું શરું કરે છે.

14.3

મમ યોનિર્મહદ્બ્રહ્મ, તસ્મિન્ગર્ભં(ન્) દધામ્યહમ્।
સમ્ભવઃ(સ્) સર્વભૂતાનાં(ન્), તતો ભવતિ ભારત॥૧૪.૩॥

હે ભારત! મારી મહદ્-બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ છે, અર્થાત્ ગર્ભધારણનો આધાર છે અને હું યોનિમાં ચેતન સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું; એ જડ-ચેતનાના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે.

ભગવાન કહે છે કે હે અર્જુન, આ સૃષ્ટિની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે તે હું ફરીથી તને જણાવું છું કારણ કે તારા મનમાં ઉત્સુકતા જાગૃત થયેલી છે, તને પણ લાગે છે કે આ યુદ્ધભૂમિ હોવાથી સંઘર્ષપૂર્ણ વાતાવરણ છે.  કુરુક્ષેત્ર યુદ્ધભૂમિ છે, તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ કુરુક્ષેત્ર જ છે. કર્મનું ક્ષેત્ર, કુરું એટલે કર્મ. કર્મનું ક્ષેત્ર સંઘર્ષપૂર્ણ હોય છે. અત્યારે ઘરમાં કોઈ મહેમાન આવી જાય તો ગીતાજીનું પ્રવચન છોડીને જવું પડે, કોઈની તબિયત ખરાબ થઈ જાય તો જવું પડે, આ બધું જ સંઘર્ષપૂર્ણ જીવન જીવતાં જીવતાં પણ મનુષ્યના મનમાં જ્ઞાન લેવાની ઈચ્છા છે અને તેમાં તન્મય પણ થઈ રહ્યો છે.
ભગવાન કહે છે કે હે અર્જુન ! મારી જે મૂળ પ્રકૃતિ છે તે મહદ્ બ્રહ્મ છે, આ મારી યોનિ છે અને એમાં હું ગર્ભસ્થાપન કરું છું. જે રીતે એક પિતા માતાના ગર્ભાશયમાં ગર્ભ પ્રદાન કરે છે એ રીતે હું પ્રકૃતિને ગર્ભ પ્રદાન કરું છું. એને લીધે બધા ભૂતમાત્ર, પંચમહાભૂત વગેરે બધા નિર્માણ પામે છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી બધું થાય છે. પ્રકૃતિ જડ છે અને પુરુષ ચેતનરૂપ છે. બંનેને મિલાપથી સૃષ્ટિનું કાર્ય થાય છે.આપણે જડ પણ છીએ અને ચૈતન્ય પણ છીએ, આપણી અંદરનું આત્મતત્ત્વ એ ચૈતન્ય સ્વરુપ છે અને શરીર જડ છે. જડ એટલે જેને સ્વયંનું પણ જ્ઞાન નથી અને અન્યનું પણ જ્ઞાન નથી , ચૈતન્ય એટલે જેને સ્વયંનું પણ જ્ઞાન છે અને અન્યનું પણ જ્ઞાન છે , દાખલા તરીકે મનુષ્ય અને પ્રાણી માત્ર ચૈતન્યરુપ છે, ટેબલ, ખુરશી જડ છે. . ભગવાન કહે છે જડ ચૈતન્યનો સંયોગ મેં કર્યો છે અને આ રીતે મહદ્ બ્રહ્મયોનિમાં બીજ પ્રદાન કર્યું અને ગર્ભ ઉત્પન્ન થયો.

14.4

સર્વયોનિષુ કૌન્તેય, મૂર્તયઃ(સ્) સમ્ભવન્તિ યાઃ।
તાસાં(મ્) બ્રહ્મ મહદ્યોનિઃ(ર્), અહં(મ્) બીજપ્રદઃ(ફ્) પિતા॥૧૪.૪॥

હે કુંતીપુત્ર! વિવિધ જાતિની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ - શરીરધારી પ્રાણીઓ ઉદભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું.

ભગવાન કહે છે અર્જુન, સૃષ્ટિમાં કેટલા પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, ફૂલો, રંગો છે. સૃષ્ટિમાં ૮૪ લાખ યોનિઓ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં આખું જીવન સમાપ્ત થઈ જાય છે, જીવમાત્રમાં જ્ઞાનમય કોષ હોય છે
ગાયને દંડો લઈને મારવા જશો તો એ ભાગશે અને પ્રેમથી પંપાળશો તો તમારી પાસે આવશે.
વનસ્પતિ પણ સજીવ છે તેવું જગદીશચંદ્ર બોઝે સિદ્ધ કરેલું છે.
પથ્થરમાં કેવળ અન્નમય કોષ હોય છે.
વનસ્પતિમાં અન્નમય, પ્રાણમય અને થોડો મનોમય કોષ હોય છે. પ્રાણીઓમાં અન્નમય, પ્રાણમય અને મનોમય કોષ હોય છે. મનુષ્યમાં અન્નમય, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કોષ પણ જોવા મળે છે.
ભગવાન કહે છે, હે કૌંતેય! આ પ્રકારની બધી યોનિઓમાં જે જન્મ થાય છે તે માના ગર્ભથી ઉત્પન્ન થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં માનો ગર્ભ છે અને ભગવાન એમાં બીજ પ્રદાન કરે છે. હાથીથી માંડીને સૂક્ષ્મથી સૂક્ષ્મ કીટકની યોનીઓ હોય છે. (માછલીઓ પણ કેટલા બધા પ્રકારની છે) ભગવાન કહે છે આ બધા પ્રકારની યોનીઓમાં જે શરીર નિર્માણ થાય છે તે માટે માતા પિતાની આવશ્યકતા હોય છે. વિશ્વના નિર્માણ પાછળ એમની માતા એટલે કે મહદ્બ્રહ્મ(માયા), અને બીજ પ્રદાન કરનાર પિતા હું છું. પરબ્રહ્મ અને મહદ્બ્રહ્મના સંયોગથી આખું વિશ્વ નિર્માણ પામે છે. મહદ્બ્રહ્મ એટલે કે મૂળ પ્રકૃતિ.
શિવ અને શક્તિનું રૂપક જે રીતે જ્ઞાનેશ્વર મહારાજે અમૃતા અનુભવમાં આપ્યું. શિવ જેને પોટેન્શિયલ શક્તિ કહે છે જે અદ્ભુત છે, એ શક્તિ જેવી રીતે સૂર્યની પ્રભા, સૂર્યની આભા સૂર્યની સાથે અંગભૂત છે. ચંદ્રની આભા, પ્રભા ચંદ્રની સાથે અંગભૂત છે. પાણીની શીતળતા એ પાણીનો ગુણધર્મ છે, શીતળતા પાણીની સાથે અંગભૂત છે. એવી રીતે પરમાત્માની સાથે પ્રકૃતિ પણ અંગભૂત છે. અલગ અલગ નથી ભગવાન કહે છે એના લીધે જ આ બધું નિર્માણ થાય છે. સંસારમાં વિવિધતા પણ એના લીધે જ છે.

हर देश में तू, हर भेष में तू,
तेरे नाम अनेक तू एक ही है,
तेरे नाम अनेक तू एक ही है।
तेरी रंगभूमि, यह विश्व भरा,
सब खेल में, मेल में तू ही तो है॥

सागर से उठा बादल बनके,
बादल से फटा जल हो करके।
फिर नहर बना नदियाँ गहरी,
तेरे भिन्न प्रकार, तू एक ही है॥

हर देश में तू, हर भेष में तू,
तेरे नाम अनेक तू एक ही है,
तेरे नाम अनेक तू एक ही है।

चींटी से भी अणु-परमाणु बना,
सब जीव-जगत् का रूप लिया।
कहीं पर्वत-वृक्ष विशाल बना,
सौंदर्य तेरा, तू एक ही है ॥

हर देश में तू, हर भेष में तू,
तेरे नाम अनेक तू एक ही है,
तेरे नाम अनेक तू एक ही है।

यह दिव्य दिखाया है जिसने,
वह है गुरुदेव की पूर्ण दया।
तुकड़e कहे कोई न और दिखा,
बस मैं अरु तू सब एकही है॥

हर देश में तू, हर भेष में तू,
तेरे नाम अनेक तू एक ही है,
तेरे नाम अनेक तू एक ही है।
तेरी रंगभूमि, यह विश्व भरा,
सब खेल में, मेल में तू ही तो है॥
ભગવાન કહે છે વિવિધતામાં જે એકતા છે એના તરફ પણ ક્યારેક ક્યારેક જવું જોઈએ અને આવી રીતે ૮૪ લાખ યોનીઓ નિર્માણ થાય છે.

14.5

સત્ત્વં(મ્) રજસ્તમ ઇતિ, ગુણાઃ(ફ્) પ્રકૃતિસમ્ભવાઃ।
નિબધ્નન્તિ મહાબાહો, દેહે દેહિનમવ્યયમ્॥૧૪.૫॥

હે મહાબહો! સત્ત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણે ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે.

ભગવાન આગળ કહે છે જેવી રીતે મેં પહેલાં કહ્યું તેમ કેટલીક વાતો મનુષ્ય કરી શકે છે, કરવું શક્ય પણ છે, પરંતુ મનુષ્ય કરી શકતો નથી. એ કયું બંધન છે જેમાં મનુષ્ય બંધાયેલો છે?
ભગવાન કહે છે બંધનમાં બંધાઈ ગયો જીવ.
આગમમાં કહ્યું છે -
"पाश बद्ध सदा जिव:, पाश मुक्त सदा शिव:|"
જે પાશ બદ્ધ છે તે જીવ છે અને પાશ મુક્ત થઈ ગયો તો સદાશિવ છે. તે જ શંભુ છે, તે જ પરમાત્મા છે.
ભગવાન અર્જુનને મહાબાહો કહે છે. ભગવાન અર્જુનને તેની શક્તિ તેની વિશેષતાઓની યાદ પણ અપાવતા રહે છે. આ એક ગુરુનું, મેન્ટરનું, લીડરનું કર્તવ્ય હોય છે કે પોતાના શિષ્યને પ્રેરણાથી ભરી દે. ભગવાન અર્જુનને પ્રકૃતિનો સ્વભાવ કેવો છે તે આ શ્લોકમાં જણાવે છે.

ગુણને સંસ્કૃતમાં રસ્સી પણ કહે છે. આ સૃષ્ટિને ચલાવવા માટે પ્રકૃતિએ સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોનું નિર્માણ કર્યું.
પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણ ગુણ એ ત્રણ રસ્સીઓ છે જે અવિનાશી ચેતનતત્ત્વને  (દેહીને) દેહ સાથે બાંધે છે.
વ્યયશીલ દેહે અવ્યયશીલ ચૈતન્યને ત્રણ ગુણોથી બાંધી લીધો છે. અહીં ગુણોનો અર્થ સમજવો પણ ખૂબ જ જરૂરી છે. અહીં ગુણ એટલે ગુણધર્મ. જેમ કે અગ્નિનો ગુણધર્મ જલનતા અને જળનો ગુણધર્મ શીતળતા છે. ગુણને સંસ્કૃતમાં રસ્સી પણ કહે છે. જેવી રીતે રસ્સી બાંધે છે, તેવી જ રીતે આ ત્રણ ગુણ જીવ માત્રને બંધનકર્તા રાખે છે.
સત્ત્વ એટલે જ્ઞાનનો પ્રકાશ જેના લીધે મનુષ્ય બધું જાણી શકે છે.
રજોગુણ એટલે કર્મશીલતા, ક્રિયાશીલતા જેના કારણે ક્રિયા થાય છે. જેને ચંચળતા કહે છે.
તમોગુણ એટલે જડત્વ, સ્થિરતા.
આ ત્રણ ગુણ અભેદ અવિનાશી પરમાત્મતત્ત્વના પ્રતિબિંબને જે ચૈતન્યના રૂપમાં આ શરીરના રૂપમાં આવ્યો તેને દેહીના રૂપમાં દેહની સાથે બાંધે છે.
જ્ઞાનનો પ્રકાશ પણ જરૂરી છે, ક્રિયાશીલતા પણ જરૂરી છે અને ક્રિયા બંધ થવી પણ જરૂરી છે.
જેમકે ગાડીનું સ્ટીયરીંગ ન હોય તો તે સાચી દિશામાં ન જઈ શકે, તેમાં જો પેટ્રોલ ના હોય તો તે ચાલશે પણ નહીં અને જો તેમાં બ્રેક નહીં હોય તો તે ઉભી રહેશે નહીં.
એવી જ રીતે સત્ત્વગુણ જે મનુષ્યના જીવનનું સ્ટીયરીંગ છે, જેનાથી મનુષ્ય સમજે છે અને જાણે છે.
રજોગુણ જેનાથી મનુષ્ય ક્રિયા કરે છે. કર્તવ્ય કર્મ કરે છે.
તમોગુણ ક્રિયા બંધ થવા માટે જરૂરી છે.
સવારના સમયે સત્ત્વગુણ પ્રધાન હોય છે. દિવસભર રજોગુણ પ્રભાવી હોય છે. અને રાત્રે તમોગુણ પ્રભાવી હોય છે.
સૃષ્ટિમાં રહેવા માટે ભગવાને જે પ્રકારે  ત્રણેય ગુણોની ગાડી આપી, અને ત્રણેય ગુણોએ મનુષ્યને એવી રીતે બાંધી રાખ્યો છે કે ગુણને જ મનુષ્ય પોતાનું સ્વરૂપ સમજવા લાગ્યો.
મનુષ્ય વાહનમાં બેસીને જઈએ છે પરંતુ પહોંચવાનું હોય ત્યાં પહોંચીને વાહન છોડી દે છે . પરંતુ ચૈતન્ય આ દેહમાં કાર્ય કરવા માટે ગુણોને લીધે બંધાઈ ગયો અને દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું.
જેમ ગેસનો ફુગ્ગો આકાશમાં ન ઊડી જાય એના માટે એની સાથે આપણે વજન બાંધીએ છીએ, એ જ રીતે ચૈતન્યને આ દેહે બાંધી દીધું છે. મનુષ્યનું મૂળ સ્વરૂપ ચૈતન્ય છે તે આપણે ભૂલી ગયા અને દેહને જ આપણું સ્વરૂપ માની લીધું.
ભગવાન કહે છે કે હે અર્જુન! ગુણોના લક્ષણ શું હોય છે તે જ્યાં સુધી તું સમજે નહીં ત્યાં સુધી સૃષ્ટિ અને સ્વયંને પણ નહીં ઓળખી શકે. આ ગુણોનું અલગ અલગ મિશ્રણ છે (permutation and combination.)
જેવી રીતે દરેકમાં સત્ત્વ, રજ અને તમ છે, જે આળસુ છે, જેનામાં જડત્ત્વ છે, તેનામાં તમોગુણ ૭૦% હોય છે .જેનામાં જ્ઞાનનો પ્રકાશ છે તેનામાં સત્ત્વગુણ ૭૦% હોય છે. આમ ત્રણેય ગુણ મનુષ્યના જીવનમાં જરૂરી છે ક્રિયા થવી જોઈએ, ક્રિયા વધવી જોઈએ અને ક્રિયા બંધ પણ થવી જોઈએ.
ગુરુદેવ હંમેશા દાંતનું ઉદાહરણ આપે છે. દાંત જ્યારે આવે છે ત્યારે બધાને સારું લાગે છે, પરંતુ દાંત આવવાની ક્રિયા થયા પછી તે ક્રિયા બંધ પણ થવી જોઈએ. દાંત સતત વધતા ન રહેવા જોઈએ. ઝાડ પણ વધતું તમોગુણને કારણે જ અટકે છે. ત્રણેય ગુણ જ્યારે સારી રીતે સમજાશે ત્યારે જ તે ગુણોની આડઅસરથી કઈ રીતે બચી શકાય તે વાત પણ સમજાશે. ધીરે ધીરે ગુણાતીત થવાની ઈચ્છા તારા મનમાં વધવા લાગશે.
ભગવાન અર્જુનને સમજાવે છે કે પહેલા સત્ત્વગુણના લક્ષણો જાણ.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે-
एरवी ज्ञान हे रूप आपुले | परि परके ऐसे जाहले |
कारण आवडोनि घेतले | भवस्वर्गादिक ||
આ જ્ઞાન પોતાનું જ જ્ઞાન છે જે ઢંકાઈ ગયેલું છે, અને પરાયું થઈ ગયું. મનુષ્ય પૃથ્વી અને સ્વર્ગના ભોગોમાં તન્મયકાર થઈ ગયો છે.
तैसे हे ज्ञान येता उदया | अन्य ज्ञाने जात लया | म्हणोनिया धनंजया | उत्तम हे ||
સ્વયંને જાણવું જ ઉત્તમ જ્ઞાન છે. જ્યારે આ જ્ઞાનનો ઉદય થાય છે, ત્યારે બીજા જ્ઞાનની આવશ્યકતા રહેતી જ નથી. તે આપમેળે જ પ્રાપ્ત થવા લાગે છે.

14.6

તત્ર સત્ત્વં(ન્) નિર્મલત્વાત્, પ્રકાશકમનામયમ્।
સુખસઙ્ગેન બધ્નાતિ, જ્ઞાનસઙ્ગેન ચાનઘ॥૧૪.૬॥

હે નિષ્પાપ! એ ત્રણે ગુણો માં સત્ત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે; છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખોના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે.

 ભગવાન આગળ કહે છે - હે અર્જુન! આ ત્રણ ગુણોમાં સૌથી ઉત્તમ સત્ત્વગુણ છે. ભગવાન અર્જુનને અનઘ કહે છે કારણ તે નિષ્પાપ છે, શુદ્ધ છે. તે બેઇમાન નથી.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે-
तु समनु शुद्धमती अनिंदकु अनन्य गती
गौप्य तरी तुज प्रति आवळिजे
અર્જુન તું આકર્ષક છે, તારું મન સુંદર છે, તારી મતિ પણ શુદ્ધ છે, અને બુદ્ધિથી તું અનિંદક છે. કોઈની પણ નિંદા અર્જુન કરતા નથી. ગુરુદેવની શરણાગતિ તો કોઈ તારાથી જ શીખે. માટે આ સિદ્ધાંત તને કહેવા માટે હું ખૂબ જ ઉત્સુક છું.
ગુલાબનાથજી મહારાજ કહે છે કે સત્ત્વગુણને વધારતા જવું જ મનુષ્યનો ધર્મ છે. મનુષ્યએ એવો પ્રયાસ નિરંતર કરતા રહેવું જોઈએ કે જેથી તમ થી રજ અને રજથી સત્ત્વગુણમાં પ્રવિષ્ટ થઈ જાય.
ભગવાન કહે છે કે સત્ત્વગુણ પવિત્ર છે, શુદ્ધ છે, જ્ઞાન અને પ્રકાશ આપવાવાળો છે. તે ભવ રોગોને દૂર કરવા વાળો છે. તે મનના વિકારોને દૂર કરવાવાળો છે. કામ, ક્રોધ, મદ, મત્સર, લોભ અને મોહ આ બધા વિકાર છે.
શ્રીમદ્ભગવદ્ગીતા એ એક મનોવૈજ્ઞાનિક ગ્રંથ છે. ગીતાજીની મહત્તા ગાતાં ગાતાં મહાનુભાવો કહે છે કે-
मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने |
सकृद्गीताम्भसि स्नानं संसारमल नाशनम्||
જેવી રીતે મનુષ્ય જળથી સ્નાન કરીને ભૌતિક શરીરનો મેલ સાફ કરે છે, એવી જ રીતે ગીતાજીનું અમૃત પાન રોજ કરવું જોઈએ. ગીતાજીની જ્ઞાનગંગામાં, ગીતાજીના પાણીમાં રોજ નાહવું જોઈએ. જેનાથી અંદર અને બહાર શુદ્ધતાનું નિર્માણ થશે. ગીતાજીને વાંચવાથી સાંભળવાથી અને કંઠસ્થ કરવાથી પણ અંતઃકરણની શુદ્ધિ થાય છે, સત્ત્વગુણ ઉત્પન્ન થાય છે. પરંતુ આ સત્ત્વગુણ પણ બાંધે છે, સુખની પ્રાપ્તિ થાય ત્યારે તે બાંધે છે, જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પણ તે બાંધે છે. જ્ઞાન અહંકાર ઉત્પન્ન કરે છે અને બીજા મનુષ્યને તુચ્છ નજરથી જોવાનું કારણ બની શકે છે, જે મનુષ્યને નીચે લઈ જાય છે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે-
हा ज्ञानाने माजतो , अहंकारा ने ताठ होतो।
જ્યારે જ્ઞાનની સાથે અહંકાર આવે છે, ત્યારે મનુષ્ય અહંકારના બંધનમાં બંધાઈ જાય છે. જ્ઞાન સારું લાગવા લાગે છે, ત્યારે કર્મ સારું લાગતું નથી. અધુરા જ્ઞાનવાળો મનુષ્ય અહંકારના બંધનમાં આવી શકે છે. શુદ્ધ સત્ત્વગુણી મનુષ્ય અહંકારના બંધનમાં બંધાતો નથી.
સ્વામી વિવેકાનંદજીના જીવનનો આ સંદર્ભમાં એક સુંદર પ્રસંગ છે.
સ્વામીજીને એક વખત પ્રવચન કરવા માટે અમેરિકામાં આમંત્રિત કરવામાં આવ્યા. ત્યારે રંગભેદ ખૂબ જ પ્રચલિત હતો. સ્વામીજી શ્યામ રંગના હતા માટે દ્વારપાળે સ્વામીજીને નીગ્રો સમજીને અંદર જવા નહીં દીધા. સ્વામીજી પાછા આવી ગયા. થોડા દિવસ પછી જ્યારે આ કાર્યક્રમના આયોજક સ્વામીજીને મળ્યા ત્યારે એમણે સ્વામીજીને પૂછ્યું કે આપ કાર્યક્રમમાં કેમ નહોતા આવ્યા? ત્યારે સ્વામીજીએ કહ્યું કે- હું આવ્યો હતો. પરંતુ આપણા દ્વારપાળે મને નીગ્રો સમજીને અંદર આવવા નહીં દીધો. ત્યારે તે સજ્જને કહ્યું- તમે દ્વારપાલને કહેત કે હું નીગ્રો નથી. આ વાત પર સ્વામીજીએ જવાબ આપ્યો કે મારું એવું કહેવું નીગ્રોને નીચા દેખાડવા બરાબર છે. હું કોઈને નીચો દેખાડીને ઉપર ઉઠવા માંગતો નથી. આમ પોતાના વિચારોને ઉચ્ચ કેવી રીતે રાખવા કે જેથી મનુષ્ય અધોગતિની તરફ આગળ ન વધે તે શ્રીમદ્ભગવદ્ગીતા શીખવાડે છે.

14.7

રજો રાગાત્મકં(વ્ઁ) વિદ્ધિ, તૃષ્ણાસઙ્ગસમુદ્ભવમ્।
તન્નિબધ્નાતિ કૌન્તેય, કર્મસઙ્ગેન દેહિનમ્॥૧૪.૭॥

હે કૌન્તેય! રાગસ્વરૂપના રજોગુણને અને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ; એ આ જીવાત્માને કર્મના તથા એમના ફળના વડે બાંધે છે.

ભગવાન કહે છે કે હે અર્જુન !રજોગુણ પણ બાંધે છે, એ આસક્તિ જન્માવે છે. રજોગુણ કામના- ઈચ્છાઓનું નિર્માણ કરે છે. રજ શબ્દનો અર્થ થાય છે રંજન.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે-
रंजन करतो जिवाचे म्हणून रज नाव याचे |
રજોગુણ રંજનની ઈચ્છા કરે છે, મનોરંજનની ઈચ્છા કરે છે. આસક્તિનું નિર્માણ કરે છે. રજોગુણ દોડાવે છે, કર્મ કરાવે છે. રજોગુણી મનુષ્ય ક્યારે કર્મ કરતાં કરતાં રોકાઈ જવું તે સમજી શકતાો નથી. રજોગુણ ચંચળતા ઊભી કરે છે, અતૃપ્તિ ઉત્પન્ન કરે છે. આશાના બંધનમાં આવીને રજોગુણી મનુષ્ય પોતાની સંપૂર્ણ શક્તિથી દોડવા લાગે છે. શ્રીમદ્ભગવદ્ગીતા મનુષ્યને રજોગુણને કેવી રીતે જોવો અને સમજવો જોઈએ તે શીખવાડે છે.
રજોગુણ મનોરંજનની આશા રાખે છે. તે રાગ અને આસક્તિને વધારે છે. ખૂબ જ વધારે આસક્તિની સાથે કામના અને તૃષ્ણાનો ઉદ્ભવ થાય છે. એક પછી એક પદ, પ્રતિષ્ઠા મેળવવાની લાલસામાં રજોગુણી મનુષ્ય દોડતો જ રહે છે.
કર્મ કર્યા વગર યશ નથી તે સાચું છે, પરંતુ કર્મ કરતાં કરતાં ક્યાં રોકાઈ જવું તે પણ મનુષ્યએ શીખવું જોઈએ.

14.8

તમસ્ત્વજ્ઞાનજં(વ્ઁ) વિદ્ધિ, મોહનં(મ્) સર્વદેહિનામ્।
પ્રમાદાલસ્યનિદ્રાભિઃ(સ્), તન્નિબધ્નાતિ ભારત॥૧૪.૮॥

હે ભરતવંશી! સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉપજેલો જાણ; એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે.

ભગવાન કહે છે કે હે અર્જુન! તમોગુણનું નિર્માણ અજ્ઞાનથી થાય છે. આ શ્લોકમાં ભગવાન અર્જુનને ભારત કહે છે, ભા એટલે આભા. આભા એટલે જ્ઞાન. જેનો અર્થ છે જ્ઞાનમાં તન્મયાકાર રહેવું. ભારતભૂમિમાં ઋષિમુનિઓનું આગમન થયું જેમણે વૈશ્વિક સિદ્ધાંત પોતાની જાગૃત પ્રજ્ઞામાં ધારણ કર્યા અને ગ્રંથોમાં મનુષ્ય માટે સહજ કરી દીધા. આવા ઋષિમુનિઓની આ પાવન ભૂમિ છે ભારત.
ભગવાન અર્જુનને કહે છે આ યુદ્ધ ભૂમિમાં પણ તારી જ્ઞાન મેળવવાની લાલસા વધી રહી છે. માટે તું ભારત છે. તારામાં સત્ત્વગુણ છે, તેં ધનુર્વિદ્યા શીખી છે. તું બધા જ ગુણોથી અભિભૂત છે પરંતુ અત્યારે તું તમોગુણના પ્રભાવમાં છે. 
તમોગુણમાં અજ્ઞાનતા, આળસ વગેરે ઉત્પન્ન થાય છે. તમોગુણ વધવાથી આળસ, પ્રમાદ, ભૂલો, ઊંઘ વગેરે વધે છે. આળસ અને ઊંઘ જેવા તમોગુણ ખૂબ જ વધારે પ્રતિક્રિયા કરવાનું બંધન પણ ઉત્પન્ન કરે છે. મનુષ્યએ જીવનમાં તમોગુણને પણ સમજવો પડશે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે-
मार्गी जाता घसरुन पडला तरी तेथेच लागे डोळा
झोप येता अम्रुताला नाकारतो।
તમોગુણ તો એવો ગુણ છે કે જે મનુષ્ય તમોગુણના વશમાં થઈને જો રસ્તા ઉપર ચાલતાં ચાલતાં ઠોકર ખાઈને પડી જાય તો ત્યાં જ સૂઈ જાય છે. તેની પાસે અમૃત લઈ જઈને પણ જગાડવા જાવ તો પણ તે જાગી શકતો નથી. ઊંઘ આ રીતે તમોગુણી મનુષ્ય પર હાવિ થઈ જાય છે. આવા તમોગુણી મનુષ્યને ઊંઘ અથવા તો વિશ્રાંતિ ખૂબ જ પ્રિય હોય છે. તમોગુણ જ્ઞાનને આવરી લઈ પ્રમાદમાં બાંધે છે.

14.9

સત્ત્વં(મ્) સુખે સઞ્જયતિ, રજઃ(ખ્) કર્મણિ ભારત।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ(ફ્), પ્રમાદે સઞ્જયત્યુત॥૧૪.૯॥

હે ભારત! સત્ત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે

ભગવાન કહે છે કે જ્યાં સુધી બંધન સમજાશે નહીં ત્યાં સુધી બંધનથી છુટકારો પણ થશે નહીં.
સ્વામી વિવેકાનંદજી કહેતાં હતાં કે સત્ત્વગુણનું નામ લેતાં લેતાં આપણો દેશ ભારત તમોગુણમાં ડૂબી ગયો. વિવેચન સાંભળતી વખતે પણ ઘણાં લોકોને ઊંઘ આવી જતી હોય છે. સત્ત્વગુણ ક્યારે રજોગુણમાં બદલાઈ જાય છે તેની ખબર જ પડતી નથી.
ભગવાન કહે છે કે હે અર્જુન! સત્ત્વગુણ સુખમાં આસક્ત કરી રાખે છે. રજોગુણ કર્મના બંધનમાં બાંધી જ્ઞાનને ઢાંકી રાખે છે. તમોગુણને કારણે ભૂલો વધે છે, ઊંઘમાં સુખ મળવા લાગે છે, આળસ વધે છે. આ ત્રણેય ગુણ એકબીજા ઉપર હાવિ થવાનો પ્રયાસ કરે છે. દરેક મનુષ્યએ તેને સમજવા જોઈએ.

14.10

રજસ્તમશ્ચાભિભૂય, સત્ત્વં(મ્) ભવતિ ભારત।
રજઃ(સ્) સત્ત્વં(ન્) તમશ્ચૈવ, તમઃ(સ્) સત્ત્વં(મ્) રજસ્તથા॥૧૪.૧૦॥

હે ભારત! રજોગુણ અને તમોગુણ અને દબાવીને સત્ત્વગુણ, સત્ત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ વૃદ્ધિ પામે છે.

ભગવાન કહે છે કે હે અર્જુન! રજોગુણ અને તમોગુણને દબાવીને સત્ત્વગુણ વધે છે.
સવારે ઊઠવું, યોગાભ્યાસ કરવો આ સત્ત્વગુણ છે. તમોગુણ વધે તો સવારે ઊઠવાની ઈચ્છા થતી નથી.
ત્રણેય ગુણોમાં કયો ગુણ પ્રબળ છે, તે મનુષ્યએ જાણવું જોઈએ. મનુષ્યે સ્વયં પર નિયંત્રણ રાખીને તમોગુણને દબાવીને રજોગુણ અને રજોગુણને દબાવીને સત્ત્વગુણ વધારવો જોઈએ.
ભગવાન કહે છે કે હું આ ત્રણેય ગુણોથી મુક્ત છું, ગુણાતીત છું.
જે મનુષ્ય આ ગુણોને સમજી લઈ સાક્ષી ભાવથી એને જોઈને ગુણાતીત થવાનો પ્રયાસ કરે છે, તે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.
એક ગર્ભવતી સિંહણ એક વખત કેટલીક બકરીઓનો શિકાર કરતી વખતે ઘાયલ થઈ જાય છે, ત્યારે ત્યાં જ તેની પ્રસુતિ થઈ જાય છે. બાળકનો જન્મ થતાં જ સિંહણનું મૃત્યુ થઈ જાય છે. બાળક સિંહ એ બકરીઓની વચ્ચે મોટું થઈને બકરીઓ જેવો વ્યવહાર કરવા લાગે છે. તે સિંહ છે તેનું તેને જ્ઞાન હોતું નથી. તે પોતાના અસલ સ્વરૂપને ભૂલી જાય છે. પરંતુ એક દિવસ બીજો સિંહ તળાવના પાણીમાં તેને પોતાનું પ્રતિબિંબ બતાવે છે અર્થાત સિંહને તેનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, ત્યારે તેનામાં ફરીથી સિંહ હોવાનું જ્ઞાન, આભાસ જાગૃત થઈ જાય છે. તેનામાં સિંહની શક્તિ પણ આવી જાય છે.
માટે આ ઉદાહરણ પરથી સમજી શકાય કે સાચું જ્ઞાન અત્યંત આવશ્યક છે.
આદિ શંકરાચાર્યજી કહે છે કે
न मे मृत्यु शंका न मे जातिभेद:पिता नैव मे नैव माता न जन्म:
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य: चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम्।
અર્થાત હું મૃત્યુ, શંકા, જાતિભેદ, પિતા, માતા, જન્મ, બંધુ, મિત્ર, ગુરુ, શિષ્ય કાંઈ જ નથી. હું ચિદાનંદ સ્વરૂપ છુ. શ્રીમદ્ભગવદ્ગીતા અને આપણાં બધા જ ગ્રંથ મનુષ્યને એ ગંતવ્ય સુધી લઈ જાય છે અને મનુષ્યને પોતાના અસલી સ્વરૂપનું દર્શન કરાવે છે. જેવી રીતે ઉપરની વાર્તામાં સિંહે સિંહણના બાળકને એનું અસલી સ્વરૂપ બતાવ્યું, ત્યારે તેને પોતાની અંદર છુપાયેલી શક્તિનો એહસાસ થયો.
રામચરિતમાનસ, જ્ઞાનેશ્વરી, શ્રીમદ્ ભગવદ્ગીતા અને આપણાં સમસ્ત ગ્રંથ મનુષ્યને પોતાના અસલ સ્વરૂપથી પરિચિત કરાવે છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં  છે કે તું દેહ નથી તું ચૈતન્ય સ્વરૂપ છો.
ગુણ અને ગુણાતીતના લક્ષણો હવે પછીના વિવેચન સત્રમાં જાણીશું. ગુરુદેવ આપણને ત્યાં સુધી લઈ જાય અને આપણો માર્ગ પ્રશસ્ત કરે એવી પ્રાર્થના સાથે આજના વિવેચન સત્રનું સમાપન થયું અને પ્રશ્નોત્તરી સત્રનો પ્રારંભ થયો.

પ્રશ્નોત્તર

પ્રશ્નકર્તા: હાર્દિપ જોષી

સવાલ: હું સત્ત્વગુણ ધારણ કરવાની કોશિશ કરું છું અને તેવું જ ભોજન લેવાની ઈચ્છા રાખું છું પરંતુ પરિસ્થિતિને કારણે એવું ભોજન ન મળવાથી મને દુઃખ થાય છે તો હું શું કરું?

જવાબ: यत्करोषि यदश्र्नासि यज्जुहोषि ददासि यत्
તમે સત્ત્વગુણી ભોજન લેવાનો સંભવ હોય ત્યાં સુધી પ્રયાસ કરો. ફળ, સલાડ જેવો સાત્વિક ખોરાક વધુ લેવાનો પ્રયાસ કરો. સાથે સાથે જીવન રક્ષા માટે બીજો ખોરાક પણ લેવાથી સત્ત્વગુણમાં કમી આવતી નથી. તમે જે પણ ભોજન કરો છો તે પરમાત્માને અર્પણ કરીને ગ્રહણ કરો. ભગવાનને અર્પણ કરીને ભોજન કરવાથી કોઈપણ દુવિધા રહેશે નહીં.

પ્રશ્નકર્તા: ગીતાજી

સવાલ: સત્ત્વ, રજ અને તમો આ ત્રણેય ગુણોને સંતુલનમાં કેવી રીતે રાખી શકાય?

જવાબ: સત્ત્વગુણ વધારવા માટેનું કાર્ય કરતા રહેવું જોઈએ. રજોગુણને શાંત રાખો. ચંચળતા પર નિયંત્રણ રાખવું. રજોગુણ પણ સત્ત્વગુણને આધિન હોવો જોઈએ. જેથી કર્તવ્ય કર્મ સાચી દિશામાં કરી શકાય. પહેલાનાં જમાનામાં ઋષિમુનિઓ અને રાજાઓ હતા ત્યારે ગુરુની આજ્ઞા સર્વોપરી હતી. મહર્ષિ વશિષ્ઠ શ્રી રામચંદ્રજીના ગુરુ હતા. રામચંદ્રજી ક્ષત્રિય હતા માટે તેમનામાં રજોગુણ એટલે ક્રિયાશીલતા હતી પરંતુ તેમની ક્રિયાશીલતા ગુરુ એટલે કે સત્ત્વગુણને આધીન હતી. મનુષ્યએ પણ જ્યારે જે ગુણ ઈચ્છે તે ગુણનો પ્રભાવ વધે તેવું જીવન કેળવવું જોઈએ. તેને ગુણાતીત કહેવાય.
Work while you work, play while you play, that is the way to happy and to gain.
જ્યારે જે ગુણની આવશ્યકતા હોય તે ગુણ પ્રભાવી થાય તેને સંતુલન કહેવાય. એક ગુણ વધારે, એક ગુણ ઓછો કે બધા જ ગુણ સરખા એવું ન હોય. રજોગુણ વધારવા માટે વ્યાયામ, યોગાસન કરવા જોઈએ. રાજસિક વસ્તુઓ ખાવી જોઈએ.
સત્ત્વગુણને વધારવા માટે મહાનુભાવોના, ઋષિમુનિઓના, સંતમહાત્માઓના જીવન ચરિત્ર વાંચવા જોઈએ. જેથી રજોગુણમાં પણ સારા કર્મ કરવાની ઈચ્છા થશે. ત્યારે દેશ સમાજ સારી બાજુ આગળ વધશે. તમોગુણ પર ધ્યાન રાખીને એને સંયમિત રાખવા પ્રયાસ કરવો.
અર્જુન પણ ભગવાન શ્રીકૃષ્ણને આધીન છે.
यत्र योगेश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर: |
યોગેશ્વર કૃષ્ણ એટલે સાત્ત્વિક, જ્ઞાનનો પ્રકાશ. અને ધનુર્ધારી અર્જુન એટલે સંપૂર્ણ શક્તિ મિશ્રિત રજોગુણ. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનો જ્યારે મેળાપ થાય છે ત્યારે વિજય નિશ્ચિત છે.

પ્રશ્નકર્તા: શિવરામજી

સવાલ: ભગવાન સર્વગુણ સંપન્ન હોય છે એવું કહેવાય છે તો શું આ ત્રણેય ગુણોના વિષયમાં કહેવામાં આવ્યું છે?

જવાબ: અહીં ભગવાનનું સર્વગુણ સંપન્ન હોવું તે અલગ છે કારણ કે ભગવાન તો ગુણાતીત છે. માનવ સ્વરૂપે જન્મ લેવાથી ભગવાન પણ આ ત્રણેય ગુણોથી બંધાય છે.,પરંતુ ભગવાન આ ગુણેની સાથે એક મનુષ્યની જેમ જ વ્યવહાર કરે છે.
ભગવાન પોતાના આચરણથી એ બતાવે છે કે આ ત્રણેય ગુણોને કેવી રીતે સંતુલિત કરીને જીવન વ્યતીત કરી શકાય છે.
જેનું એક ઉદાહરણ છે ભગવાન શ્રીકૃષ્ણ સત્ત્વગુણના રૂપમાં છે અને ધનુર્ધારી અર્જુન રજોગુણના રૂપમાં છે.

સવાલ: અહંકાર ની વ્યાખ્યા શું છે?

જવાબ: અહંકાર અતિ સૂક્ષ્મ હોય છે. તે મારાપણાના ભાવથી ઉત્પન્ન થાય છે. હું સારો છું એવો ભાવ સ્વાભિમાનનો ભાવ હોય છે, પરંતુ જો હું એવું બોલું કે હું સારો છું, તો તે અભિમાનનો ભાવ થઈ જાય છે.

સમાપન પ્રાર્થના પછી સત્રની સમાપ્તિ થઈ. 
                ll ૐ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ ll