विवेचन सारांश
પરમાત્મામાં સ્થિત સ્થિર બુદ્ધિ વાળાં મનુષ્યના લક્ષણો
સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી ઈશ્વર પાસેથી આશીર્વાદ લઇ સત્રની શરૂઆત થઈ તે બાદ દીપ પ્રજવલન થયું તથા ગુરુ વંદના પછી વિવેચનનો આરંભ થયો.
ગત અઠવાડિયા સુધીમાં આપણે ૬૦ જેટલા શ્લોકો પૂરા કર્યા. તેમાંથી છેલ્લા ૫૫ થી ૬૦ શ્લોકો ફરી કહેવાનું મન થાય છે અને આપણે કહી શકીએ કે, આ જે શ્લોકો છે, તે વાસ્તવમાં જીવન પરિવર્તિત કરી દેનારા બની જાય છે. આ શ્લોકો આખી ગીતા સમજવા માટે પૂરતા છે. કારણકે જયારે અર્જુને પૂછ્યું કે,
ગત અઠવાડિયા સુધીમાં આપણે ૬૦ જેટલા શ્લોકો પૂરા કર્યા. તેમાંથી છેલ્લા ૫૫ થી ૬૦ શ્લોકો ફરી કહેવાનું મન થાય છે અને આપણે કહી શકીએ કે, આ જે શ્લોકો છે, તે વાસ્તવમાં જીવન પરિવર્તિત કરી દેનારા બની જાય છે. આ શ્લોકો આખી ગીતા સમજવા માટે પૂરતા છે. કારણકે જયારે અર્જુને પૂછ્યું કે,
અર્જુન ઉવાચ
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, સમાંધિસ્થસ્ય કેશવ
સ્થીત્ધિ(ખ) કિં(મ) પ્રભાષેત, કીમાસિત વ્રજેત કિમ
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, સમાંધિસ્થસ્ય કેશવ
સ્થીત્ધિ(ખ) કિં(મ) પ્રભાષેત, કીમાસિત વ્રજેત કિમ
“સ્થિતપ્રજ્ઞ વ્યકિતનો સ્વભાવ કેવો હોય, બુદ્ધિ કેવી હોય તેવા મનુષ્યના લક્ષણો કેવા હોય?” આ પ્રશ્ન ત્યારે જ પૂછી શકાય જયારે પોતાની ભૂલનો અનુભવ થઇ જાય. આપણી શું ભૂલ છે તે સમજાઈ જવું તે સાચી દિશામાં આગળ વધવાનું પહેલું પગથીયું છે. જેમને પોતાની ભૂલનો અણસાર આવી જાય અને તે માની લે કે હા હુંં આ સમજવા માંગુ છુંં. આ અધ્યાયમાં અર્જુન સૌ પ્રથમ ભગવાનનો શિષ્ય બન્યો તે પોતે ઈશ્વરને સમર્પિત થયો અને ત્યાર બાદ અર્જુને પ્રશ્ન પૂછ્યો કે, “હે કેશવ તમે મને એ બતાવો કે પરમાત્મામાં સ્થિત સ્થિર બુદ્ધિ વાળાં મનુષ્યના લક્ષણો શું હોય છે. તે કેવી રીતે બોલે છે? કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે?”
આમ સ્વાભાવિક રૂપથી તેણે જાણવાની ઉત્સુકતા બતાવી ત્યારે ભગવાને તેને આ બુદ્ધિને સ્થિર કરવાનું મહત્ત્વ, વિધિ અને તેવા સ્થિર બુદ્ધિ વાળાં લોકોનું આચરણ કેવું હોય છે તે સમજાવવાનું શરુ કર્યું. એક વિચાર આવે કે, ભગવાને આટલી ઝંઝટ શા માટે કરી કે જયારે ભગવાનને ગુરુ પદ મળી ગયું હતું, અર્જુન સમર્પિત થઇ ગયો હતો તો માત્ર એટલું જ કહેત ને કે, “બાકી વાતો પછીથી કરીશું હાલ તું બસ હુંં કહુંં છુંં એ જ કર, ધનુષ્ય ઉપાડી લે, બાણ ચલાવ તારે બસ જીતવાનું છે. હવે આ ઘોર યુદ્ધની વચ્ચે બંને સેનાઓની વચ્ચે આટલું બધું કહેવાની શું જરૂર?” એક મા જયારે પોતાના પુત્રને સ્કૂલે જવા મુકવા જાય છે અને સ્વેટર પહેરવા કહે છે અને જયારે પુત્ર ના કહે, ત્યારે મા માત્ર એટલુ જ કહે છે કે, “તું બસ સ્વેટર પહેરી લે બાકીની વાતો પછીથી કરીશું.” અને બળજબરી પૂર્વક સ્વેટર પહેરાવી બાળકને સ્કૂલ બસમાં બેસાડી સંતોષ માને છે કે હાશ તેણે સ્વેટર પહેરી લીધું. પણ બાળક બસમાં જઈ સૌ પ્રથમ સ્વેટર કાઢી બસમાં ફેંકી દે છે અને ઘણી વખત તો જયારે માતા-પિતાની મીટીંગ વખતે તેમને મળે છે.
એકદમ સીધી વાત છે કે જયારે અર્જુન ભગવાનની દરેક વાત માનવા રાજી હતો તો આટલી લાંબી વાત કરવાનું કોઈ કારણ નહોતું પરંતુ તો પણ ભગવાને ખૂબ લાંબો જવાબ આપ્યો ૧૮ અધ્યાયની ભગવદ્ગીતા ખોલીને રાખી દીધી. તેનું કારણ છે કે ઈશ્વર જાણતા હતા કે, આ સામે જે અર્જુન છે તે હુંં કહીશ તે કરવા તૈયાર છે પણ આગળની પેઢીઓમાં સેંકડો અર્જુનને આખી વાત સમજાવવી બહું જરૂરી છે. અને આને જ સમોપદેશ કહે છે. આપણે બહાના બનાવીએ છીએ કે આ કારણ છે એટલે હુંં આ કામ નહી કરું. પરંતુ જો આ કામ શા માટે કરવું છે તેના કારણો પૂરા વિવરણ સાથે સમજાવવામાં આવે તો તે બાળક તે કામ પ્રેમથી કરે છે. બાળક ઉપર કોઈ કામ થોપી શકાતું નથી અને અર્જુન અહી નાના બાળક સમાન છે.
આરંભમાં જ ભગવદ્ગીતાની સ્તુતિમાં એવું કહેવામાં આવ્યું છે કે પાર્થ વત્સ છે નાનું બાળક છે. અને જેની મનોદશા નાના બાળક જેવી થઇ જાય તેને તેવી રીતે જ સમજાવવો પડે છે. બાળકને સમજાવવાની રીત કેવી હોવી જોઈએ? દરેક સ્કૂલમાં એક થર્મોમીટર રાખવામાં આવવું જોઈએ અને બાળકને સમજાવવામાં આવવું જોઈએ કે, તેનો પારો આટલો નીચો આવી જાય ત્યારે સ્વેટર પહેરવું આવશ્યક છે અન્યથા સ્વેટર પહેરવાની જરૂર નથી. તો બાળક પોતાના મનથી સ્વેટર પહેરશે. આમ બાળકને જયારે સમજાવવામાં આવે છે ત્યારે એક જવાબદારી તેને સોંપવામાં આવે છે. ધ્રુવ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ પ્રમાણે વ્યવસ્થા મૂકવામાં આવી છે.
આમ ભગવાન સમજે છે કે આ માત્ર આ અર્જુન માટે નથી આવનારી પેઢીઓનો સેંકડો અર્જુનને આ સમજાવવા માંગે છે. ભગવાન અર્જુનને કાખઘોડી પર ઉભો રાખવા નથી ઈચ્છતા પરંતુ તેને પોતાના પગ પર ઉભો રાખવા ઈચ્છે છે એટલે જ ભગવાને લડખાયેલ અર્જુનને સ્થિર ઉભા રહેવા માટે બુદ્ધિને સ્થિર અને પ્રતિષ્ઠિત કેવી રીતે કરવાની છે તે સમજાવ્યુ કે જેનું મન ડગી જાય છે તેની બુદ્ધિ પણ ડગમગી જાય છે. અને આ આગળનાં ૧૫ શ્લોકો જે ભગવાને કહ્યા છે તે વાસ્તવમાં જીવનને પરિવર્તન કરી દેનારા છે. ભગવાન પોતાની વાત આરંભ કરે છે - ભગવાન કહે છે,
શ્રીભગવાનુવાચ
પ્રજહાતિ યદા કામાન્, સર્વાન્પાર્થ મનોગતાન્।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ(સ્), સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે॥૨.૫૫॥
પ્રજહાતિ યદા કામાન્, સર્વાન્પાર્થ મનોગતાન્।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ(સ્), સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે॥૨.૫૫॥
હે પૃથાનંદન, જે સમયે સાધક દરેક કામનાઓને મનથી બરાબર રીતે ત્યાગ કરી દે છે અને પોતાનામાં સંતુષ્ટ રહે છે તેવો મનુષ્ય સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આપ સૌને વિનંતી કે, આજે ભગવાનનો આ શ્લોક પોતાના હ્રદયમાં ઉતારી લો અને એમ વિચારો કે, “હુંં પોતે મારા પોતાથી સંતુષ્ટ રહેવાની શરૂઆત કરું.” આપણે આદત બનાવી દીધી છે કે, આપણી સંતુષ્ટિ કોઈ બીજા પર આધારિત રહે, તેણે આમ કર્યું તો હુંં સંતુષ્ટ રહીશ. મને આ વસ્તુ મળી જાય તો હુંં સંતુષ્ટ રહીશ. આપણી સંતુષ્ટિ બહારની વસ્તુઓ પર અને આપણી અપેક્ષાઓ પર આધારિત છે. હુંં ભાડાનાં મકાનમાં રહુંં છુંં. જો પોતાના મકાનમાં જાઉં તો હુંં સંતુષ્ટ થઇ જાઉં. હુંં ફ્લેટમાં રહુંં છુંં. જો સારા બંગલોમાં જાઉં તો હુંં સંતુષ્ટ થઇ જાઉં. હુંં પગે ચાલીને જાઉં છુંં જો મને દ્વિચક્રી વાહન મળી જાય તો હુંં સંતુષ્ટ થઇ જાઉં. હુંં દ્વિચક્રી ચલાવું છુંં જો મને ગાડી મળી જાય તો હુંં સંતુષ્ટ થઇ જાઉં. હુંં હોન્ડા ચાલવું છુંં જો મને ઓડી મળી જાય તો હુંં સંતુષ્ટ થઇ જાઉં. આ સ્વપનો ક્યારેય ખતમ નહી થાય, અપેક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી. એનો અર્થ એ નથી કે તમો પુરુષાર્થ જ ન કરો. પુરુષાર્થ તો પૂરો કરવો. પરંતુ જે છે તેમાં હુંં સંતુષ્ટ રહુંં અને આ બહું મહત્ત્વ પૂર્ણ વાત છે. આજે હુંં એકલો છુંં, મારા લગ્ન થઇ જાય તો હુંં સંતુષ્ટ રહુંં, મારા લગ્ન થઇ જાય ત્યારબાદ બાળક થઇ જાય તો હુંં સનુષ્ટ રહુંં. હુંં પિતા બની ગયો હવે હુંં દાદા બની જાઉં તો હુંં સંતુષ્ટ રહુંં. હુંં દાદા બની ગયો હવે મને પ્રપૌત્ર જોવા મળી જાય તો હુંં સોનાની સીડી ચડી જાઉં. બસ ભગવાન આટલું મારું સ્વપ્ન પૂરું કરી દો. આ બધા સ્વપ્ન ક્યારેય પૂરા નહી થાય. આ અપેક્ષા ક્યારેય પૂરી નહી થાય. આપણે સંતુષ્ટિ માટે કારણ શોધીએ છીએ કારણકે આપણે દુઃખી રહેવાનું પસંદ કરીએ છીએ. આપણા સુખ અને દુઃખ આપણે બહાર શોધીએ છીએ. પુત્ર થવો એ બહાર છે તેને આપણે અંદર પ્રવેશ આપ્યો તો સુખ મળ્યું થોડા સમય પછી પ્રપૌત્રની અપેક્ષા જાગે છે જે પૂરી ન થતા દુઃખી થઈએ છીએ. આ અપેક્ષાઓ કયારેય પૂરી થવાની નથી. એટલેજ ભગવાને કહ્યું છે કે પોતાની સંતુષ્ટિ અંદર શોધો.
જરા વિચારજો કે, “શું મારી સંતુષ્ટિ બહારની વસ્તુઓ પર આધારિત છે? મારી પુત્રવધુ મારી સાથે આવો વ્યવહાર કરે તો હુંં ખુશ થઇ જાઉં.” ના, એવું નથી કારણકે સન્તુષ્ટિ તો અંદર છે. આનંદનો પ્રવાહ અંદરથી પ્રવાહિત થાય છે. આપણે જેમ અર્થીમાં ખાંધ બદલીએ છીએ તેમ આપણી અપેક્ષાઓ પણ બદલાતી રહે છે. અને એ દુઃખની અર્થીને આપણા ખંભા પર જ રાખીએ છીએ. આ રીતે કયારેય સંતુષ્ટ ન થઇ શકાય. સ્વયંને અરીસામાં જોઈને પોતાને પૂછવું કે, ‘શું હુંં ખરેખર મારાથી સંતુષ્ટ છુંં?’ અને જો આપના ચહેરા પર સ્મિત હાસ્ય આવી જાય તો સમજવું કે તમે સંતુષ્ટ છો. પોતાથી સંતુષ્ટ રહેવું સૌથી સહેલું કાર્ય છે. બીજા પર આપણી સંતુષ્ટિનો આધાર રાખવો ખૂબજ મુશ્કેલ કામ છે. કારણકે તેનો વર્તાવ કેવો હશે તે મારા હાથમાં નથી. મારો વ્યવહાર કેવો હશે તે મારા હાથમાં છે. એટલે જ ભગવાને એક જગ્યાએ કહ્યું છે કે આપ પોતે જ આપના શત્રુ છો અને આપ પોતે જ આપના મિત્ર છો. આપણે સ્વયંથી સંતુષ્ટ રહેતા શીખીએ.
૧ જાન્યુઆરી આવી રહી છે માત્ર ૧૫ દિવસ જ બચ્યા છે. બીજો અધ્યાય પૂરો થઇ રહ્યો છે. આપણે સંકલ્પ લેવાનો છે કે, હુંં સ્વયંથી સંતુષ્ટ રહીશ. સામેથી કોઈ અણગમતી વ્યક્તિ આવી જાય છે તો આપણે અસંતુષ્ટ બની જઈએ છીએ કે આ વ્યકિત મને પસંદ નથી, મને તેના માટે ઘૃણા થાય છે. તેનાથી મને વેર છે. પણ તે તમારો શત્રુ નથી પણ તમે તેને જોઈને જ જે પ્રતિભાવ આપ્યો કે આ વ્યકિત મને ગમતી નથી મને તેનાથી વેર છે, ક્રોધિત થઇ ગયા, નિરાશા થઇ ગઈ તે તમે નક્કી કર્યું છે. ૧૫ દિવસ આનો પ્રયોગ કરજો જો આવી કોઈ વ્યક્તિ સામે આવી જાય તો પણ તમારે હસવાનું છે. સંતુષ્ટ બની રહેવાનું છે. આપની સંતુષ્ટિમાં એટલી બધી તાકાત છે કે આપનો શત્રુ પણ આપનો મિત્ર બની જાય. પહેલા સ્વયંનાં મિત્ર બનતા શીખો સ્વયં સાથેની શત્રુતા દૂર કરો ત્યારે જ આવી ઘટના બની શકે છે. ભગવાન કહે છે,
દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ(સ્), સુખેષુ વિગતસ્પૃહઃ।
વીતરાગભયક્રોધઃ(સ્), સ્થિતધીર્મુનિરુચ્યતે॥૨.૫૬॥
વીતરાગભયક્રોધઃ(સ્), સ્થિતધીર્મુનિરુચ્યતે॥૨.૫૬॥
દુઃખોની પ્રાપ્તિ થવા પર જેના મનમાં ઉદ્વેગ નથી થતો કે સુખની પ્રાપ્તિ પર ખુશીની લહેર નથી ઉઠતી આમ જે રાગ (મોહ), ભય અને ક્રોધથી પરે છે તે મનુષ્ય સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. મનન કયારે થાય? થોડા મૌન થઇ જાય તો મનન થઇ શકે. આપ ખૂબ જ વાતો કરી રહ્યા છો બસ બહાર આની સાથે તેની સાથે વાતો કરો છો પરંતુ સ્વયં સાથે વાત કરવાનો સમય જ નથી. હુંં થોડો શાંત થઇ જાઉં, થોડો અંદર સુધી જાઉં થોડી પોતા સાથે જ વાત કરી લઉં બહાર મૌન થઇ જાઉં અને અંદર મુનિ બની જાઉં. જે બહાર મૌન થઇ જાય છે તે અંદર મુનિ બની જાય છે. ઘરમાં એસી નહોતું, એસી લાવ્યા, લગાવ્યું. હવે સુખ મળશે સરસ નીંદર આવશે. સુખ તો મળશે પરંતુ એસીમાં બેસી બેસીને શરીર દર્દ શરુ થઇ જાય છે. કમર, ઘૂંટણ વગેરે દુઃખવા લાગે છે તે દુઃખની તરફ લઇ જાય છે. તમે સુખને આમંત્રણ આપ્યું જે તમને દુઃખ તરફ લઇ જાય છે.
દરેક વસ્તુમાં આવું બને છે. એક વ્યકિત એ ખૂબ મોટું મકાન બનાવ્યું પરંતુ પાછળથી અનુભવ આવે છે કે જયારે નાના મકાનમાં હતા તો પોતાના હાથે સફાઈ કરી લેતા હવે તો નોકરાણી આવીને કરે તો સુખ નહિ તો દુઃખ. મોટા ઘરમાં ઓરડાઓ વધી ગયા. નાના ઘરમાં ધીમેથી બોલાવવાથી બધા આવી જતા હવે મોટેથી અવાજ લગાવવો પડે છે અને આદત જ એવી પડી ગઈ કે આપણે વાત જ મોટે મોટેથી કરવા લાગ્યા. આ આદતના કારણે બહાર જઈને કોઈ સાથે એવી રીતે વાત કરવાથી તે દુઃખી થઇ જાય છે અને મનને દુઃખ પહોંચાડે છે. જેટલા સુખો તરફ દોડીશું તેટલું દુઃખ જીવનમાં આવશે. આપનું શરીર પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ છે. એ ત્રણે ગુણ, સુખ, દુઃખ એ બધું આવવાનું છે પણ દુઃખ આવતાની સાથે જ મનનું દુઃખી થઇ જવું, મનનું વિચલિત થઇ જવું તેનું કારણ એ છે કે તમો એ દુઃખને અંદર પ્રવેશ આપ્યો. આપણા કોઈ અત્યંત પ્રિય જનનાં મૃત્યુ પછી પણ એક બે વર્ષમાં સામાન્ય થઇ જઈએ છીએ. જે ઘટના બે વર્ષમાં બની શકે તે બે દિવસમાં પણ બની શકે પણ માત્ર મનનું પરિવર્તન કરવું જરૂરી હોય છે. શોક તો રહે પરંતુ તેમા જ આટલો સમય ડૂબી રહેવું એ ખોટું છે. દુઃખ આવ્યું તો હુંં ઉદ્વિગ્ન થઇ ગયો અને સુખ આવ્યું તો હુંં ક્ષણિક સુખમાં આનંદની લહેરમાં એટલો વહી ગયો. સુખ અને દુઃખ માછલી પકડવા માટે જે કાંટા ઉપર લોટ લગાવવામાં આવે છે એવું છે. લોટની પાછળના કાંટાનાં કારણે માછલી ફસાઈ જાય છે અને આપણે પણ સુખની તરફ ખેંચાઈને છેવટે દુઃખમાં ફસાઈ જઈએ છીએ.
એક વ્યક્તિને તેની પત્નીના મૃત્યુ થવાથી હૃદયરોગનો હુંમલો આવી ગયો. તે તેને અત્યંત પ્રિય હતી. બીજી એક વ્યક્તિને એક કરોડની લોટરી લાગી તેને પણ હૃદયરોગનો હુંમલો આવી ગયો. એક અત્યંત દુઃખ અને એક એકદમ સુખની ઘટના છે પણ બન્નેમાં શરીરનો પ્રતિભાવ એક સરખો રહ્યો હૃદયરોગનો હુંમલો. પણ સ્થિર બુદ્ધિ વાળા લોકોની અંદરની ઉત્તેજના રોકાઈ જાય છે. તેઓ સમજે છે કે સુખ અને દુઃખ તો આવવાના અને જવાના છે. સુખ આવ્યું તો એક દિવસ ચાલ્યું જવાનું તેજ રીતે દુઃખ આવ્યું તે પણ એક દિવસ ચાલ્યું જવાનું. આનો પ્રભાવ બહું મર્યાદિત સમય માટે રહેશે. અને જે પ્રભાવ અલ્પ સમય માટે રહેશે અને પ્રાકૃતિક રીતે ધીરે ધીરે ઓછો થવા લાગે છે તેને શું પ્રયત્ન પૂર્વક થોડા સમયમાં ઓછો કરી શકાય? હાં, બિલકુલ કરી શકાય જો આપણે ભગવાનની વાત માનીએ તો. આપણે ભગવાનની વાત સાંભળીએ તો છીએ પણ માનતા નથી અને માનીએ પણ છીએ તો જાણતા નથી કારણકે તેનો અનુભવ કરવાનો પ્રયાસ નથી કરતા. સાંભળીને કહીએ છીએ કે વાહ ભગવાને બહું સરસ વાત કરી પણ તેને આપણા જીવનમાં અમલ કરવાનો પ્રયત્ન નથી કરતા.
“LearnGeeta” ગીતા શીખોનો પ્રોગામ ગીતા વાંચો, વંચાવો અને જીવનમાં અમલ કરો માટેનાં છે. ૧ જાન્યુઆરી આવવાની છે તે પહેલા ગીતા જયંતિ આવવાની છે. આપણા જીવનમાં ગીતા ઉતરી જાય તો - મારા મુખ પરનું હાસ્ય, સ્મિત હુંં આવનારા ૧૫ દિવસો સુધી જાળવી શકું તે ભગવાન શ્રીકૃષ્ણની સૌથી ઉત્તમ ઉપાસના છે. અંદરથી પોતાની જાતને જાગૃત કરતો રહુંં અને હસતો રહુંં. ભગવાન હમેશા હસતા રહેતા હોય છે. આ જ અધ્યાયમાં આપણે શીખ્યા કે જેના ભરોસા પર આ યુદ્ધ ઉભું કરવામાં આવ્યું છે તે કૌરવો અને પાંડવોની સેનાની વચ્ચે નીચે બેસી ગયો છે. હતપ્રભ થઇ ગયો, મોહથી ગ્રસ્ત થઇ ગયો. જે ભ્રમિત થઇ ગયો, જેનું ગાંડીવ નીચે પડી ગયું એ બધું જોયા પછી ભગવાનને ખૂબ ક્રોધ આવવો જોઈએ પરંતુ ભગવાન તો હસતા હસતા વાત કરે છે. પ્રસન્નતા સાથે વાત કરે છે અને કહે છે કોઈ વાંધો નહી આવું બની જાય છે ક્યારેક કયારેક. હુંં અર્જુનને ઉભો કરીશ અને અર્જુનને ઉઠાડ્યો. શું આપણે આ માર્ગ પર ચાલી શકીશું? હાં, જો પ્રયાસ કરીએ તો આ જગતમાં કશું અસંભવ નથી. આવી નિશ્ચયાત્મક બુદ્ધિ વિષે આ જ અધ્યાયમાં ભગવાન કહે છે.
યઃ(સ્) સર્વત્રાનભિસ્નેહઃ(સ્), તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૫૭॥
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૫૭॥
જેની બુદ્ધિ પ્રતિષ્ઠિત હોય, જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કરવી. જેની બુદ્ધિ સ્થિર હોય તેના નિર્ણય બરાબર હોય છે. આપણે જોયું છે કે ક્રોધ, નિરાશા કે દુઃખમાં કદી નિર્ણય બરાબર નથી થતા. અને એટલે જ જયારે તમને ક્રોધ આવી જાય, નિરાશા આવી જાય, કોઈ પ્રત્યે દ્વેષ આવી જાય, ભય આવી જાય ત્યારે થોડું રોકાઈ જવું. આ થોડું રોકાઈ જવું એ પ્રતિભાવની બાબત છે. આપણે વિના વિચાર્યે પ્રતિભાવ આપીએ છીએ અને બોલી જઈએ છીએ. આપણી બુદ્ધિ સ્થિર નથી. જયારે બુદ્ધિ પ્રતિષ્ઠીત થઇ જાય ત્યાર બાદ જ કોઈ વાત કરવી અને તે જ વાત સાચી સાબિત થાય. એટલે જ ભગવાન કહે છે કે, શુભ કે અશુભ પ્રાપ્ત થયા પછી પણ જે ખુશી કે દુઃખ અનુભવતો નથી તેની પ્રજ્ઞા સ્થિર થઇ કહેવાય. અને આના માટે ભગવાને એક સુંદર ઉદાહરણ આપ્યું છે. ભગવાન કહે છે :
યદા સંહરતે ચાયં(ઙ્), કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ(સ્), તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૫૮॥
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ(સ્), તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૫૮॥
જે રીતે કાચબો જરૂરનાં સમયે પોતાની ઇન્દ્રિયો સમેટી લે છે તે જ રીતે સ્થિતપ્રજ્ઞ /કર્મયોગી મનુષ્ય વિષયો રૂપી ઇન્દ્રિયોને સમેટી લે કે હટાવી લે તેની બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ હોય છે. આપણે તો કાચબો નથી પણ કાચબો શું કરે છે તેનું ભગવાને સુંદર ઉદાહરણ આપ્યું છે. આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે એક કાચબો જોવા મળે છે કાચબો એક પ્રતિક છે. કાચબાને ૬ ઇન્દ્રિયો છે. જેમ કે ૪ પગ, એક પૂંછ અને એક મોઢું તે કોઈપણ સંકટના સમયે બધું સમેટી લે છે. તે જ રીતે આપણે પણ પાંચેય ઇન્દ્રિયોને સમેટતા શીખી લેવું જોઈએ.
આપણે ૧૫માં અધ્યાયમાં શીખ્યા કે મન આપણી છઠી અને અગત્યની ઇન્દ્રિય છે. બાકીની પાંચ ઇન્દ્રિયો કાચબાનાં પગ અને પૂંછ સમાન છે. આપણા ૬ શત્રુઓ કામ, (કામનાઓ/ઈચ્છાઓ), ક્રોધ (ગુસ્સો), લોભ, મોહ, મદ (અહંકાર) અને મત્સર (ઈર્ષ્યા) તેના આક્રમણ વખતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સમેટી લે તે જ પ્રતિષ્ઠિત પ્રજ્ઞા વાળો મનુષ્ય છે. કર્મયોગી બધી ઇન્દ્રિયોને સમેટી લે છે. ઇન્દ્રિયોને ફક્ત સમેટી લેવાથી કઈ ફાયદો નથી. શું આંખો બંધ કરી લેવાથી બધું સરખું થઇ જશે? ના આંખો બંધ કરવા છતાં જે ચિત્ર નથી જોવું તે જ ચિત્ર સામે આવી જાય છે. કારણકે મન તે ચિત્રને જોયા કરે છે. આપણે નક્કી કરી લીધું કે આંજે હુંં ઉપવાસ કરીશ. જીભ તો સંયમ કરી લેશે પણ અંદરનું મન ચંચલ છે. તે ફક્ત જોવા માટે પણ રસોડામાં આંટો મારે છે અને સાંજ પડતા સુધી તો ચીડ ચીડો થઇ જાય છે. આમ ઇન્દ્રિયોનો સંયમ હોવા છતાં મન દોડતું રહે છે.
અઘોરી સંપ્રદાયમાં તો કોઈ સાધુ જીભમાં કાંટા ખોસી દે છે અને કોઈએ તો પોતાની આંખો ફોડી નાખી છે કોઈએ કાન કોતરાવી નાખ્યા છે પણ આનાથી શું થવાનું છે. ઇન્દ્રિયોને કાપી નાખવાથી કે માત્ર બંધ કરી દેવાથી કશું થતું નથી. મન પર સંયમ કરવા ખૂબ જ મહેનત કરવી પડે છે. સૌથી પહેલા મન પર નિયંત્રણ લાવવું પડશે. આ અધ્યાયમાં ભગવાને બહુંજ સુંદર શ્લોકો કહ્યા છે અને આપણે તેને જીવનમાં ઉતારવાના છે. નાની નાની વાતોથી આની શરૂઆત કરવી પડશે. આપણે પોતાના ઉપર કેટલો સંયમ છે તેનું પરીક્ષણ કરવા એક પ્રયોગ કરવો જોઈએ એક વસ્તુ નક્કી કરો કે એક અઠવાડિયા સુધી પોતાની મનપસંદ વસ્તુ ખાવાની કે પીવાની છોડી દો. દાત. ચા. એક અઠવાડિયું ચા છોડી દો. ગરમ પાણી પી લેવાય, કે તુલસી પાણી પી શકાય. સૌથી વધુ એસિડીટી સવારની સૌ પ્રથમ ચાથી જ થાય છે. આપના જઠર માટે જરૂરી ગરમાહટ તુલસી ઉકાળાથી પણ મેળવી શકાય.
વિષયા વિનિવર્તન્તે, નિરાહારસ્ય દેહિનઃ।
રસવર્જં(મ્) રસોઽપ્યસ્ય, પરં(ન્) દૃષ્ટ્વા નિવર્તતે॥૨.૫૯॥
રસવર્જં(મ્) રસોઽપ્યસ્ય, પરં(ન્) દૃષ્ટ્વા નિવર્તતે॥૨.૫૯॥
આ પાંચેય ઇન્દ્રિયોમાં સૌથી વધુ પ્રખર ઇન્દ્રિય આપણી જીભ છે. બોલે પણ પટર પટર અને ખાય પણ ટપર ટપર. બેઉ કામ તે જ કરે છે. બધા રોગ ત્યાંથી જ આવે છે. બોલવાથી કેટલા લોકો સાથે શત્રુતા મેળવી લ્યે છે.ન બોલવાનું બોલે અને ન ખાવાનું ખાઈ છે.
ભગવાન કહે છે કે, ઇન્દ્રિયો પરના સંયમની શરૂઆત રસનાથી જ થાય છે. સૌથી પહેલા નિરાહાર રહેવાની આદત પાડવી પરંતુ નિરાહાર ફક્ત જીભથી જ નથી રહેવાનું અષ્ટાંગ યોગમાં આવેલા એક શબ્દ પ્રત્યાહાર વિષે સમજીએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચમી સીડી પ્રતિ આહાર - મારા કાનને પણ આહાર જોઈએ તેને કંઈક સાંભળવું છે. આંખોનો પણ આહાર છે તેને પણ કાંઇક જોવા જોઈએ. ઇન્દ્રિયોને વિષયોથી હટાવવા માટે થોડું દમન કરવું પડે છે. વિષયોથી હટાવવા વાળા મનુષ્ય જ વિષય નિવૃત થઇ જાય છે. મન ના પાડે છે પણ રસ જાગે છે અને કોશિશ સાથે રસ પણ વર્જિત થઇ જાય ત્યારે જ તે નિવૃત્તિ તરફ આગળ વધે છે. અન્યથા તે નિવૃત થઇ ના શકે. આવા મનુષ્ય પરમાત્મા તત્ત્વનો અનુભવ થવાથી નિવૃત થઇ જાય છે. જ્યાં સુધી પરમાત્મા તત્ત્વ માટે પ્રેમ જાગે નહી ત્યાં સુધી નિવૃત્તિ મળી શકતી નથી, એટલે જ ભક્તિ જ આનો સાચો રસ્તો છે. ભગવાન કહે છે :
ભગવાન કહે છે કે, ઇન્દ્રિયો પરના સંયમની શરૂઆત રસનાથી જ થાય છે. સૌથી પહેલા નિરાહાર રહેવાની આદત પાડવી પરંતુ નિરાહાર ફક્ત જીભથી જ નથી રહેવાનું અષ્ટાંગ યોગમાં આવેલા એક શબ્દ પ્રત્યાહાર વિષે સમજીએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચમી સીડી પ્રતિ આહાર - મારા કાનને પણ આહાર જોઈએ તેને કંઈક સાંભળવું છે. આંખોનો પણ આહાર છે તેને પણ કાંઇક જોવા જોઈએ. ઇન્દ્રિયોને વિષયોથી હટાવવા માટે થોડું દમન કરવું પડે છે. વિષયોથી હટાવવા વાળા મનુષ્ય જ વિષય નિવૃત થઇ જાય છે. મન ના પાડે છે પણ રસ જાગે છે અને કોશિશ સાથે રસ પણ વર્જિત થઇ જાય ત્યારે જ તે નિવૃત્તિ તરફ આગળ વધે છે. અન્યથા તે નિવૃત થઇ ના શકે. આવા મનુષ્ય પરમાત્મા તત્ત્વનો અનુભવ થવાથી નિવૃત થઇ જાય છે. જ્યાં સુધી પરમાત્મા તત્ત્વ માટે પ્રેમ જાગે નહી ત્યાં સુધી નિવૃત્તિ મળી શકતી નથી, એટલે જ ભક્તિ જ આનો સાચો રસ્તો છે. ભગવાન કહે છે :
યતતો હ્યપિ કૌન્તેય, પુરુષસ્ય વિપશ્ચિતઃ।
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ, હરન્તિ પ્રસભં(મ્) મનઃ॥૨.૬૦॥
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ, હરન્તિ પ્રસભં(મ્) મનઃ॥૨.૬૦॥
હે કુન્તીનંદન રસબુદ્ધી સાથે યજ્ઞ કરતા વિદ્વાન મનુષ્યની ઇન્દ્રિયો પણ મનને હરી લે છે. દમન કરવાનો પ્રયત્ન વિષયોની યાદ અપાવે છે. કોઈ ગુરુજીએ તેના શિષ્યને કહ્યું કે, ધ્યાન ધરવાનું શરુ કરો અને એક વાતનું ધ્યાન રાખજે કે તારા ધ્યાનમાં વાંદરો આવવો ન જોઈએ. હવે જયારે આ શિષ્ય ધ્યાન કરવા બેસ્યો તો તેને વાંદરા જ વાંદરા દેખાવા લાગ્યા. આમ જે વસ્તુથી મનને નિવૃત કરવાની વાત કરી તેમાં જ મન વધુને વધુ ધ્યાનમાં આવે છે. આમ તેનું ચિંતન જ બંધ કરવું જોઈએ. આ પ્રકારનાં વિદ્વાન લોકો જે સમજી વિચારી નક્કી કરી લે છે પણ જો રસના પર સંયમ ન આવ્યો તો પણ ગમે તેટલા વિદ્વાન લોકો પણ આમાંથી છૂટી શકતા નથી. વિદ્વાન હોય ત્યારેજ કોઈ સંસદ સભ્ય બને છે પણ રસના પર સંયમ ન હોવાના કારણે આજે તેમના ઘેરથી કરોડો રૂપિયા મળે છે. તે વિદ્વાન છે સમજે છે કે આ રીતે રકમ લેવાય નહી. છતાં રસના પર સંયમ ન હોવાના કારણે આવું થાય છે. ભગવાન આગળ કહે છે,
2.61
તાનિ સર્વાણિ સંયમ્ય, યુક્ત આસીત મત્પરઃ।
વશે હિ યસ્યેન્દ્રિયાણિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૬૧॥
માટે કર્મયોગી સાધકે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને મારાપરાયણ થઈને ધ્યાનમાં બેસવું કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશ માં હોય છે, તેની જ બુદ્ધિ સ્થિર છે.
કર્મયોગી સાધક પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી મારા પરાયણ થઇને રહે છે કારણ કે જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત હોય છે. આ સંયમન અને સાથે સાથે ભગવત ચિંતન. જયારે નિયમોની સાથે સાથે ધ્યાન, ધારણા એ બહું મહત્ત્વ પૂર્ણ છે. તેને હાંસલ કરવા માટે આસન અને પ્રાણાયામ, અષ્ટાંગ યોગ - ભગવદ્ગીતા યોગ શાસ્ત્ર છે. પુષ્પિકમાં પણ આપણે વધીએ જ છીએ કે ગીતા એક યોગશાસ્ત્ર છે. ગીતાજી આપણને સીડી દર સીડી કેવી રીતે ચઢી શકાય તે શીખવે છે. ભગવાન આગળ કહે છે,
ધ્યાયતો વિષયાન્પુંસઃ(સ્), સઙ્ગસ્તેષૂપજાયતે।
સઙ્ગાત્સઞ્જાયતે કામઃ(ખ્), કામાત્ક્રોધોઽભિજાયતે॥૨.૬૨॥
વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.
વિષયોનું ચિંતન કરનારાને તેની આસક્તિ થઇ જાય છે. Think of the devil and devil is there. તેનાથી નિવૃત થવા માટે આસક્તિ પરથી કામના પર જાય છે કામનાઓની પૂર્તિ આપણી ઈચ્છાઓ મુજબ ન થાય તો ક્રોધ આવે છે. અને ક્રોધ આવવાથી શું થાય છે તે આગળનાં શ્લોકમાં બતાવ્યું છે.
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ(સ્), સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ॥૨.૬૩॥
ક્રોધથી (મોહ) મૂઢતા આવે છે, મૂઢતાથી ભ્રષ્ટ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત્ વિવેક નાશ પામે છે. બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે.
વિષયોનું ચિંતન કરનારાને તેની આસક્તિ થઇ જાય છે. આસક્તિ પરથી કામના થઇ જાય છે કામનાઓની પૂર્તિ ન થાય તો ક્રોધ આવે છે. અને ક્રોધ આવવાથી એક સંમોહન તમારા પર છવાઈ જાય છે. જયારે ક્રોધ આવે છે ત્યારે તમે તમારા આપામાં રહેતા નથી. તમે તમારા વશમાં નથી રહેતા. કાઈ પણ બોલી નાખીએ છીએ. ક્રોધ તમારા અંતર મન / સુષુપ્ત મગજની ઘટના છે. ક્રોધ એટલે બેહોશીની કે મૂર્છાની સ્થિતિ. ક્રોધમાં પાગલ થઇ જવાય છે અને સંમોહનની સ્થિતિમાં સ્મૃતિ ભ્રંશ થઇ જાય છે. ક્રોધમાં આપણે કંઇપણ બોલીએ છીએ અને સામે કોણ છે તેનું ભાન રહેતું નથી. મા કે પિતાને ક્રોધનાં આવેશમાં જેવા તેવા શબ્દો કહી દઈએ છીએ. અને બુદ્ધિના નાશ સાથે તેનું પૂરેપૂરું પતન થઇ જાય છે. ભગવાન આગળ કહે છે,
રાગદ્વેષવિયુક્તૈસ્તુ, વિષયાનિન્દ્રિયૈશ્ચરન્।
આત્મવશ્યૈર્વિધેયાત્મા, પ્રસાદમધિગચ્છતિ॥૨.૬૪॥
પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો રહીને અન્તઃકરણની પ્રસન્નતાને (નિર્મળતાને) પામે છે.
વશીભૂત અંતઃકરણ વાળા સાધક રાગ દ્વેષથી દૂર રહી પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતા કરતા અંતઃકરણની નિર્મળતાને પ્રાપ્ત કરે છે. અને આ નિર્મળતા મળવાથી સાધકનાં દરેક દુઃખ દૂર થઇ જાય છે. અને તેની અદભૂત ટેકનીક ભગવાને આપી છે. ભગવાને આગળના શ્લોકમાં વધુ સ્પષ્ટ કયું કે,
પ્રસાદે સર્વદુઃખાનાં(મ્), હાનિરસ્યોપજાયતે।
પ્રસન્નચેતસો હ્યાશુ, બુદ્ધિઃ(ફ્) પર્યવતિષ્ઠતે॥૨.૬૫॥
અન્તઃકરણ પ્રસન્ન થતાં આ સાધકના સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ સર્વ પ્રકારે પરમાત્મામાં સ્થિર થઈ જાય છે.
વિષયોનું સેવન કરતા કરતા વશીભૂત અંતઃકરણ વાળા સાધક રાગ દ્વેષથી દૂર રહી પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતા કરતા અંતઃકરણની નિર્મળતાને પ્રાપ્ત કરે છે. અને આ નિર્મળતા મળવાથી અંદરથી પ્રસાદ બનવા લાગે છે. સાધકનાં દરેક દુઃખ દૂર થઇ જાય છે. અને આવા ચિત્ત વાળા સાધકોની બુદ્ધિ ની:સંદેહ જલદ ગતિએ ઈશ્વરમાં સ્થિર થઇ જાય છે. તમે યાદ કરો કે આપના જીવનમાં દુઃખ શું છે? અને જો તેનાથી મુક્તિ જોઈએ તો બહાર નહી પણ અંદર ડોકિયું કરી અંદરથી આનંદનો પ્રવાહ વહેતો કરી અંદરથી આનંદિત રહેવાની આદત પાડવી જોઈએ. આપણે આનંદિત રહેવા માટે શરતો બનાવી રાખી છે. આમ થાય તો ખુશ અને આમ ન થાય તો હુંં દુઃખી બહાર બનનારી ઘટનાઓ પર મે મારી ખુશી આધારિત કરી દીધી છે. તેમાંથી બહાર નીકળી અંદરથી આનંદિત રહેવા પ્રયત્નો કરીશું તો અંદરનો આનંદ બધા દુખોનો નાશ કરી દે છે. એટલે જ આગળના ૧૫ દિવસો તેનો પ્રયોગ કરવાનો છે.
એવા લોકો જોયા હશે જે અંદરથી પ્રસન્ન રહે છે, તેમને મળવા જવાનું વારંવાર મન થઇ જાય છે. તેમની પાસે કશું હોતું નથી પરંતુ આપણને તેના સાનિધ્યમાં જવાનું મન થાય છે અને સામે એવા લોકો પણ છે તેમની પાસે બધું જ છે પણ તેઓ ખુશ નથી. આજથી આપ નિશ્ચય કરી લો કે મારે ખુશ જ રહેવું છે.
એવા લોકો જોયા હશે જે અંદરથી પ્રસન્ન રહે છે, તેમને મળવા જવાનું વારંવાર મન થઇ જાય છે. તેમની પાસે કશું હોતું નથી પરંતુ આપણને તેના સાનિધ્યમાં જવાનું મન થાય છે અને સામે એવા લોકો પણ છે તેમની પાસે બધું જ છે પણ તેઓ ખુશ નથી. આજથી આપ નિશ્ચય કરી લો કે મારે ખુશ જ રહેવું છે.
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, ન ચાયુક્તસ્ય ભાવના।
ન ચાભાવયતઃ(શ્) શાન્તિઃ(ર્),અશાન્તસ્ય કુતઃ(સ્) સુખમ્॥૨.૬૬॥
જે પુરુષે મન અને ઈન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી તેમજ એ અયુક્ત માણસના અન્તઃકરણમાં નિષ્કામ ભાવ (કર્તવ્ય પરાયણતાનો ભાવ) નથી હોતો. નિષ્કામ ભાવ ન હોવાથી તેને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે?
કર્તવ્ય પરાયણતાની ભાવના જ નથી તો તે વ્યક્તિમાં પછી શાંતિ ક્યાંથી આવશે? શાંતિ પ્રમાણિકતાથી આવે છે. અંદર બહાર એક જ વ્યક્તિત્વ હોય તો શાંતિ આવે છે, જે અંદર અલગ છે અને બહાર અલગ છે તે શાંત રહી શકે નહી. જેમણે પોતાના ફરજ કે ધર્મના માર્ગ પર ચાલવાનું બંધ કરી દીધું છે, તેઓ શાંત રહી ન શકે. તેમને ક્યારેય સુખ પણ મળે નહી જો સુખ મેળવવું છે તો પોતાના કર્તવ્યના રસ્તા પર ચાલવું બહું જ આવશ્યક છે.
ઇન્દ્રિયાણાં(મ્) હિ ચરતાં(ય્ઁ), યન્મનોઽનુવિધીયતે।
તદસ્ય હરતિ પ્રજ્ઞાં(વ્ઁ) વાયુર્નાવમિવામ્ભસિ॥૨.૬૭॥
કેમકે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે, તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઈન્દ્રિયોમાંથી જે ઈન્દ્રિયની સાથે મન રહે છે, તે એકલી ઈન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે.
પોતપોતાના વિષયોમાં વિચરતી રહેતી ઇન્દ્રિયોમાંથી એક માત્ર ઇન્દ્રિય જો મનને પોતાનું અનુગામી બનાવી લે છે તો એકલું મન તેની બુદ્ધિને હરી લે છે. જેવી રીતે પવન પાણીમાં રહેલા વહાણને ખેંચે છે તેમ ખેચી જાય છે. મન ન માને તો કશું સંભવ નથી. મન પર સંયમ સૌથી પહેલી આવશ્યકતા છે. ફક્ત ઇન્દ્રિયો પરનો દમન એક મોટા વૃક્ષની ડાળી કે પાંદડા કાપવા બરાબર છે જે ફરીથી આવી જાય છે. ખરેખર, જો આપણે કંઈક કરવું છે તો આ વિષયોને તોડી રહ્યા છીએ તેના કરતા મન પર સંયમ અતિ આવશ્યક છે નહી તો તે તમારી બુદ્ધિ હરી લે છે. ભગવાન આગળ કહે છે,
તસ્માદ્યસ્ય મહાબાહો, નિગૃહીતાનિ સર્વશઃ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ(સ્), તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૬૮॥
તેથી હે મહાબાહો ! જે પુરુષની ઈન્દ્રિયો ઈન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગ્રહ કરાયેલી (વશમાં) છે, એની જ બુદ્ધિ સ્થિર છે.
હે મહાબાહો, જે મનુષ્યોની ઇન્દ્રિયો તેના વિષયોથી સર્વત્ર રીતે નિગ્રહ સાથે વશમાં કરેલી છે તેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે. બુદ્ધિનું સ્થિર થવું એ તમારા વિજયનો મૂળ મંત્ર છે. આગળનો શ્લોક છે તેના લોકો અલગ અલગ અર્થ કાઢે છે.
યા નિશા સર્વભૂતાનાં(ન્), તસ્યાં(ઞ્) જાગર્તિ સંયમી।
યસ્યાં(ઞ્) જાગ્રતિ ભૂતાનિ, સા નિશા પશ્યતો મુનેઃ॥૨.૬૯॥
સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તેમાં તેમાં નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનન્દની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે.
કોઈએ આ શ્લોક વાંચીને અર્થ કાઢ્યો કે જયારે બધા સુઈ રહ્યા હોય ત્યારે મુનિ જાગે છે. એટલે કે દિવસભર સુઈ રહો અને રાતે જાગતા રહો. આવું બિલકુલ નથી. તેમણે કહ્યું કે તમને ભગવદ્ગીતા સમજવા માટેની ઈચ્છા થઇ અને એવા ઘણા લોકોને તમોએ કહ્યું કે ચાલો ગીતા શીખવા પરંતુ તેઓ કહે ના ના હાલમાં નહી. તો ભગવાન કહે છે, તે લોકો સુઈ રહ્યા છે અને સંયમી મનુષ્ય જાગે છે. આપે લર્ન ગીતામાં આવી જાગવાનું પ્રારંભ કર્યું છે. આમ બીજા લોકો જયારે ભોગ અને સંગ્રહમાં વ્યસ્ત હોય ત્યારે તેઓ સુઈ રહ્યા છે અને મુનિ જાગી રહયા છે. ગીતાનાં માર્ગ પર ચાલવા લાગીએ છીએ અને આનંદનું ઝરણું જ જ્યારે વહેવા લાગે છે ત્યારે નાની નાની વાતો બંધ થઇ જાય છે કે, આણે મને આમ કહ્યું કે તેમ કહ્યું વગેરે.. તમે બીજાના રીમોટ કંટ્રોલથી તમારા આનંદને ઓછો થવા દેશો નહી. કોઈના કંઈક કહેવાથી તમે ક્રોધિત કે આનંદિત નહી થાઓ.
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં(મ્),
સમુદ્રમાપઃ(ફ્) પ્રવિશન્તિ યદ્વત્।
તદ્વત્કામા યં(મ્) પ્રવિશન્તિ સર્વે,
સ શાન્તિમાપ્નોતિ ન કામકામી॥૨.૭૦॥
જે પ્રમાણે બધી બાજુથી જળ દ્વારા ભરપૂર, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોની કામનાવાળો નહીં.
જેમ કે સંપૂર્ણ નદીઓનું પાણી સમુદ્રને આવીને મળે છે પરંતુ સમુદ્ર તેની મર્યાદામાં અચલ પ્રતિષ્ઠત રહે છે. તે જ રીતે સંપૂર્ણ ભોગ પદાર્થ જે સંયમી મનુષ્યને વિકાર ઉત્ત્પન્ન કર્યા વિના જ પ્રાપ્ત થાય છે તે જ મનુષ્ય પરમ શાંતિને પામે છે. અને તેની સાતત્ય પૂર્ણ કામના વાળો મનુષ્ય પરમ શાંતિ મેળવી શકતો નથી.
વિહાય કામાન્યઃ(સ્) સર્વાન્, પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ।
નિર્મમો નિરહંકારઃ(સ્), સ શાન્તિમધિગચ્છતિ॥૨.૭૧॥
જે પુરુષ સઘળી કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત્ તે શાંતિને પામેલો છે.
જે મનુષ્ય સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરી મોહ રહિત, મમતા રહિત અને અહંકાર રહિત રહે છે તે શાંતિને મેળવે છે. ત્રણ વાતો સમજીએ
સ્પૃહા રહિત - નાની એવી કોઈ ઘટના બની કે તે આનંદથી ઝૂમી ઉઠે છે.
મમતા રહિત - એનો અર્થ પ્રેમ રહિત નથી. પ્રેમ અલગ વાત છે અને મોહ અલગ છે. અર્જુનને મોહ થયો છે. મોહ રહિત થવાનું છે એટલેકે મમતા રહિત.
અહંકાર રહિત - મે, મારું, મારાથી વગેરે જે કહ્યા કરે છે. . . આ મારા કારણે થ,યું આ મારું છે. આ જે અહંકાર છે. તેનાથી સંપૂર્ણ રીતે વિમુખ અલગ થઇ જશે તે શાંતિને પ્રાપ્ત કરશે. આપણે નાની નાની વાતો પર કેટલો અહંકાર કરીએ છીએ. આપણી બુદ્ધિ, આપણા કમાયેલ નાણા પર, આપણી ધનિકતા પર, આપણા સૌન્દર્ય પર, આપણા વસ્ત્રો પર. આપણા રૂપ પર અહંકાર કરીએ છીએ. જ્યાં સુધી આ બધા અહંકારોથી બહાર નહી નીકળીએ ત્યાં સુધી કશું નથી થવાનું. આ બધા અહંકાર આપણી સાથે બળી જવાના. રૂપ ઉમર સાથે નષ્ટ પામે છે કમાયેલું ધન સ્થિર નથી એક દિવસ ચાલી જશે. એટલા માટે અહંકારથી દૂર થઇ, મોહ થે બહાર નીકળી, અપેક્ષાઓનો ત્યાગ કરી આપણે શાંતિ મેળવી શકીએ છીએ. અને આવા લોકો ક્યાં પહોંચે છે.
સ્પૃહા રહિત - નાની એવી કોઈ ઘટના બની કે તે આનંદથી ઝૂમી ઉઠે છે.
મમતા રહિત - એનો અર્થ પ્રેમ રહિત નથી. પ્રેમ અલગ વાત છે અને મોહ અલગ છે. અર્જુનને મોહ થયો છે. મોહ રહિત થવાનું છે એટલેકે મમતા રહિત.
અહંકાર રહિત - મે, મારું, મારાથી વગેરે જે કહ્યા કરે છે. . . આ મારા કારણે થ,યું આ મારું છે. આ જે અહંકાર છે. તેનાથી સંપૂર્ણ રીતે વિમુખ અલગ થઇ જશે તે શાંતિને પ્રાપ્ત કરશે. આપણે નાની નાની વાતો પર કેટલો અહંકાર કરીએ છીએ. આપણી બુદ્ધિ, આપણા કમાયેલ નાણા પર, આપણી ધનિકતા પર, આપણા સૌન્દર્ય પર, આપણા વસ્ત્રો પર. આપણા રૂપ પર અહંકાર કરીએ છીએ. જ્યાં સુધી આ બધા અહંકારોથી બહાર નહી નીકળીએ ત્યાં સુધી કશું નથી થવાનું. આ બધા અહંકાર આપણી સાથે બળી જવાના. રૂપ ઉમર સાથે નષ્ટ પામે છે કમાયેલું ધન સ્થિર નથી એક દિવસ ચાલી જશે. એટલા માટે અહંકારથી દૂર થઇ, મોહ થે બહાર નીકળી, અપેક્ષાઓનો ત્યાગ કરી આપણે શાંતિ મેળવી શકીએ છીએ. અને આવા લોકો ક્યાં પહોંચે છે.
એષા બ્રાહ્મી સ્થિતિઃ(ફ્) પાર્થ, નૈનાં(મ્) પ્રાપ્ય વિમુહ્યતિ।
સ્થિત્વાસ્યામન્તકાલેઽપિ, બ્રહ્મનિર્વાણમૃચ્છતિ॥૨.૭૨॥
હે પાર્થ ! આ બ્રહ્મને પામી ચુકેલા પુરુષની સ્થિતિ છે, આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈ જાય તો તેને નિર્વાણ (શાન્ત) બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે.
હે પૃથાનંદન, આ બ્રાહ્મી સ્થિતિ છે. તેને મેળવીને કોઈ ક્યારેય મોહિત થતા નથી. મૃત્યુના સમયે આ સ્થિતિ મળી જાય તે માટે ખૂબ ખૂબ ગૃહકાર્ય કરવું પડે છે. જેનાથી નિર્વાણ શાંત અને બ્રહ્મ બની રહે. જેટલું વધુ ગૃહ કાર્ય કરશો તેટલો વધુ શક્યતા છે કે મૃત્યુ સમયે તમે સ્થિર મતિ રહી શકો. નહી તો મૃત્યુ સમયે પણ તમને આ અને તે બધું યાદ આવી જશે અને એમ જ મૃત્યુ થઇ જશે તો ફરી જન્મ લેવો પડશે અને આ બધું દુઃખ મેળવશે.
મૃત્યુ સમયે ચિત્ત એકદમ શાંત રહેવું જોઈએ. કારણ કે જયારે પ્રાણ છૂટશે તો આટલા સમયના ફેવિકોલના બંધનથી પીડા તો થશે પણ હુંં આ શરીરમાં નથી પાંચ ઇન્દ્રિયોમાં નથી તેનું ચિંતન પ્રતિદિન પુષ્ટ કરતા રહેવું પડશે. થોડી અમથી પીડા થાય અને સીધા ડોક્ટર પાસે. આપણા શરીરની તકલીફ આત્માની તકલીફ નથી. જો આત્માને સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિમાં આગળ લઇ જવો છે તો આ નાના નાના દુઃખોથી વ્યથિત ન થાઓ.
અહી વિવેચન ઈશ્વર ચરણોમાં સમર્પિત કરી આગળ પ્રશ્નોત્તરી જોઈએ.
ગિરધારીલાલ ભૈયા
પ્રશ્ન:- ઓગણ સિત્તેરમા અને સિત્તેરમા શ્લોકનો અર્થ ફરીથી સમજાવો.
ઉત્તર:- ઓગણ સિત્તેરમો શ્લોક સમજાવે છે કે, સંયમિત વ્યક્તિ કે યોગી પોતાના અંતરમનમાં જાગૃત રહીને આત્મસાક્ષાત્કાર માટે પોતાના દિવસ-રાતનો સદુપયોગ કરે છે. તે ભગવાનમાં એકાકાર રહેવા માટે સતત પ્રયત્નશીલ છે. તે બાહ્ય સંજોગોથી અવિચલિત રહે છે. જ્યારે સિત્તેરમો શ્લોક કહે છે કે, જેમ વિશ્વની બધી નદીઓ સમુદ્રમાં આવીને મળે છે, તેમ છતાં તે તેની સીમામાં રહે છે. તેવી જ રીતે બુદ્ધિમાં સ્થિર રહેનાર માણસ દુઃખ કે સુખ આવે ત્યારે પણ એવો જ રહે છે. તે હંમેશા બાહ્ય સંજોગોથી પ્રભાવિત નથી અને તેની બુદ્ધિ સ્થાપિત કરવામાં સક્ષમ છે.
ભારતી દીદી
પ્રશ્ન:- જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે એ જ વસ્તુઓ આપણી સામે વારંવાર દેખાય છે જે દેખાવી ન જોઈએ. ભગવાનનું ચિત્ર આપણી સમક્ષ દેખાય તે માટે શું કરવું જોઈએ?
જવાબ:- આ કુદરતી પ્રક્રિયા છે. તે દરેકને થાય છે. જેમ આપણે દિવાળીની સફાઈ કરીએ છીએ, ત્યારે સૌપ્રથમ આપણને બધો કચરો દેખાય છે, પરંતુ જ્યારે આપણે ધીમે ધીમે તેને દૂર કરીએ છીએ ત્યારે આપણને દરેક જગ્યાએ સ્વચ્છતા દેખાવા લાગે છે. એવી જ રીતે, ધ્યાન કરતી વખતે આપણા મનમાં આવતી આ અનિચ્છનીય છબીઓ અને વિચારો પણ કચરો છે, તે દૂર થવામાં થોડો સમય લાગશે પણ અભ્યાસથી તે ચોક્કસપણે દૂર થઈ જશે. તમે તમારી જાતને ભગવાનને સમર્પિત કરીને ચાલો છો અને કહો છો, "હવે મેં આ જીવનનો બધો ભાર તમારા હાથમાં સોંપી દીધો છે." જ્યારે તમે આ વિચાર તમારા મનમાં રાખો અને ભગવાનને સમર્પિત કરશો, ત્યારે ધીમે ધીમે બધું સારું થઈ જશે.
ચાંતુરુ દીદી
પ્રશ્ન:- સાંખ્ય યોગ વિશે ફરીથી સમજવશો એવી વિનંતી.
જવાબ:- સંખ્યા શબ્દ પરથી સાંખ્ય બને છે. જ્યારે ગણતરી શરૂ થાય છે, ત્યારે તે એક પર અટકી જાય છે. એક એટલે પૂર્ણાંક. અહીં વિવિધ પ્રકારના દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કોઈ પહાડ પર ચઢે છે, તો ત્યાં પણ જુદા જુદા રસ્તાઓ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ એવરેસ્ટ પર ચઢવા માંગે છે, તો તે તિબેટ અથવા ચીનથી જઈ શકે છે, જે તેને અનુકૂળ હોય. એ જ રીતે, જ્ઞાનના શિખર પર ચઢવા માટે ઘણા માર્ગો સૂચવવામાં આવ્યા છે, જેને દર્શન કહેવામાં આવે છે. તમે જ્યાં ઉભા છો તેના આધારે તમારો રસ્તો પસંદ કરવામાં આવશે. પહેલા દ્વૈતવાદ હતો અને પછી અદ્વૈતવાદ આવ્યો. દ્વૈતવાદ મુજબ, નર અને નારાયણ અલગ છે, પરંતુ અદ્વૈતવાદ અનુસાર, નર અને નારાયણ અલગ નથી પણ એક છે. ભગવાન મારામાં વસે છે અને હું ભગવાનમાં વસુ છુ. એક શબ્દ આવ્યો છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાંખ્ય તત્વજ્ઞાન ખૂબ વ્યાપક છે. તેમાં કહેવાયું છે કે અંતે માણસ અને પ્રકૃતિ પણ એક થઈ જાય છે. તેથી જ સ્વામીજીએ પહેલા ભક્તિ યોગનો અભ્યાસ કરવાનું કહ્યું હતું કે, જો તમે ભક્તિ યોગનો અભ્યાસ કરો તો પછી અન્ય કોઈ યોગ જાણવાની જરૂર નથી. સાંખ્ય તત્વજ્ઞાન કપિલ મુનિએ આપ્યું છે.
આમ અલગ અલગ પ્રશ્નોના ઉત્તરો જાણ્યા બાદ આજના વિવેચનને અહી જ વિરામ આપીએ.
॥ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ॥
મૃત્યુ સમયે ચિત્ત એકદમ શાંત રહેવું જોઈએ. કારણ કે જયારે પ્રાણ છૂટશે તો આટલા સમયના ફેવિકોલના બંધનથી પીડા તો થશે પણ હુંં આ શરીરમાં નથી પાંચ ઇન્દ્રિયોમાં નથી તેનું ચિંતન પ્રતિદિન પુષ્ટ કરતા રહેવું પડશે. થોડી અમથી પીડા થાય અને સીધા ડોક્ટર પાસે. આપણા શરીરની તકલીફ આત્માની તકલીફ નથી. જો આત્માને સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિમાં આગળ લઇ જવો છે તો આ નાના નાના દુઃખોથી વ્યથિત ન થાઓ.
અહી વિવેચન ઈશ્વર ચરણોમાં સમર્પિત કરી આગળ પ્રશ્નોત્તરી જોઈએ.
ગિરધારીલાલ ભૈયા
પ્રશ્ન:- ઓગણ સિત્તેરમા અને સિત્તેરમા શ્લોકનો અર્થ ફરીથી સમજાવો.
ઉત્તર:- ઓગણ સિત્તેરમો શ્લોક સમજાવે છે કે, સંયમિત વ્યક્તિ કે યોગી પોતાના અંતરમનમાં જાગૃત રહીને આત્મસાક્ષાત્કાર માટે પોતાના દિવસ-રાતનો સદુપયોગ કરે છે. તે ભગવાનમાં એકાકાર રહેવા માટે સતત પ્રયત્નશીલ છે. તે બાહ્ય સંજોગોથી અવિચલિત રહે છે. જ્યારે સિત્તેરમો શ્લોક કહે છે કે, જેમ વિશ્વની બધી નદીઓ સમુદ્રમાં આવીને મળે છે, તેમ છતાં તે તેની સીમામાં રહે છે. તેવી જ રીતે બુદ્ધિમાં સ્થિર રહેનાર માણસ દુઃખ કે સુખ આવે ત્યારે પણ એવો જ રહે છે. તે હંમેશા બાહ્ય સંજોગોથી પ્રભાવિત નથી અને તેની બુદ્ધિ સ્થાપિત કરવામાં સક્ષમ છે.
ભારતી દીદી
પ્રશ્ન:- જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે એ જ વસ્તુઓ આપણી સામે વારંવાર દેખાય છે જે દેખાવી ન જોઈએ. ભગવાનનું ચિત્ર આપણી સમક્ષ દેખાય તે માટે શું કરવું જોઈએ?
જવાબ:- આ કુદરતી પ્રક્રિયા છે. તે દરેકને થાય છે. જેમ આપણે દિવાળીની સફાઈ કરીએ છીએ, ત્યારે સૌપ્રથમ આપણને બધો કચરો દેખાય છે, પરંતુ જ્યારે આપણે ધીમે ધીમે તેને દૂર કરીએ છીએ ત્યારે આપણને દરેક જગ્યાએ સ્વચ્છતા દેખાવા લાગે છે. એવી જ રીતે, ધ્યાન કરતી વખતે આપણા મનમાં આવતી આ અનિચ્છનીય છબીઓ અને વિચારો પણ કચરો છે, તે દૂર થવામાં થોડો સમય લાગશે પણ અભ્યાસથી તે ચોક્કસપણે દૂર થઈ જશે. તમે તમારી જાતને ભગવાનને સમર્પિત કરીને ચાલો છો અને કહો છો, "હવે મેં આ જીવનનો બધો ભાર તમારા હાથમાં સોંપી દીધો છે." જ્યારે તમે આ વિચાર તમારા મનમાં રાખો અને ભગવાનને સમર્પિત કરશો, ત્યારે ધીમે ધીમે બધું સારું થઈ જશે.
ચાંતુરુ દીદી
પ્રશ્ન:- સાંખ્ય યોગ વિશે ફરીથી સમજવશો એવી વિનંતી.
જવાબ:- સંખ્યા શબ્દ પરથી સાંખ્ય બને છે. જ્યારે ગણતરી શરૂ થાય છે, ત્યારે તે એક પર અટકી જાય છે. એક એટલે પૂર્ણાંક. અહીં વિવિધ પ્રકારના દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કોઈ પહાડ પર ચઢે છે, તો ત્યાં પણ જુદા જુદા રસ્તાઓ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ એવરેસ્ટ પર ચઢવા માંગે છે, તો તે તિબેટ અથવા ચીનથી જઈ શકે છે, જે તેને અનુકૂળ હોય. એ જ રીતે, જ્ઞાનના શિખર પર ચઢવા માટે ઘણા માર્ગો સૂચવવામાં આવ્યા છે, જેને દર્શન કહેવામાં આવે છે. તમે જ્યાં ઉભા છો તેના આધારે તમારો રસ્તો પસંદ કરવામાં આવશે. પહેલા દ્વૈતવાદ હતો અને પછી અદ્વૈતવાદ આવ્યો. દ્વૈતવાદ મુજબ, નર અને નારાયણ અલગ છે, પરંતુ અદ્વૈતવાદ અનુસાર, નર અને નારાયણ અલગ નથી પણ એક છે. ભગવાન મારામાં વસે છે અને હું ભગવાનમાં વસુ છુ. એક શબ્દ આવ્યો છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાંખ્ય તત્વજ્ઞાન ખૂબ વ્યાપક છે. તેમાં કહેવાયું છે કે અંતે માણસ અને પ્રકૃતિ પણ એક થઈ જાય છે. તેથી જ સ્વામીજીએ પહેલા ભક્તિ યોગનો અભ્યાસ કરવાનું કહ્યું હતું કે, જો તમે ભક્તિ યોગનો અભ્યાસ કરો તો પછી અન્ય કોઈ યોગ જાણવાની જરૂર નથી. સાંખ્ય તત્વજ્ઞાન કપિલ મુનિએ આપ્યું છે.
આમ અલગ અલગ પ્રશ્નોના ઉત્તરો જાણ્યા બાદ આજના વિવેચનને અહી જ વિરામ આપીએ.
॥ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદેસાઙ્ખ્યયોગો નામ દ્વિતીયોઽધ્યાયઃ॥૨॥
આ રીતે ૐ, તત્, સત્-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “સાંખ્યયોગ" નામનો બીજો અધ્યાય પૂરો થયો. ॥૨॥