विवेचन सारांश
ભાવ-ધારાનું મહત્ત્વ
પ્રાર્થના , દીપ પ્રજ્વલન અને ગુરુ વંદના , સરસ્વતી વંદના , તથા વેદવ્યાસજીને નમનની સાથે સત્રની શરૂઆત થઈ .
આપણે સૌ એક સાથે ગીતાજીના પ્રવાહને વહેંચી લઈએ છીએ તો ચાલો એ સુંદર પવિત્ર જ્ઞાનેશ્વર મહારાજને અત્યંત પ્રિય એવા આ અધ્યાયના મધ્યાંશના વિવેચન તરફ જઈએ.
આપણે જોયું કે ભગવાને રહસ્ય ખોલવાના ચાલુ કર્યું છે , અને જ્ઞાન વિજ્ઞાનની વાતો બતાવતા પહેલાં ગુહ્ય વાતો જણાવવાની ચાલુ કરી. રાજવિદ્યા રાજગુહ્ય, એ રહસ્યમય વાતો ભગવાન આ સૃષ્ટિની સંરચના અથવા જીવ, જગત અને જગદીશ્વર એ ત્રણેયનો પરસ્પર સંબંધ કઈ રીતે છે? કઈ રીતે ભગવાન કણ કણમાં વસ્યા છે? કણકણમાં વસીને કઈ રીતે ભગવાન એનાથી અલિપ્ત છે? ભગવાનમાં સંપૂર્ણ સૃષ્ટિ સમાહિત છે, તો પણ ભગવાન આ સૃષ્ટિમાં નથી, એનાથી પણ અલિપ્ત છે આ વાત જણાવે છે.
“ न च मत्स्थानि भूतानि , पश्य मे योगमैश्वरम्।”
બધું મારામાં છે પણ હું તેનામાં નથી. જેવી રીતે લહેરો સાગરમાં ઊઠે છે અને સાગરમાં વિલીન થઈ જાય છે એ પ્રકારે પરમાત્માના અધિષ્ઠાનમાં આ સૃષ્ટિનું નિર્માણ થાય છે અને પરમાત્માની અધ્યક્ષતામાં આ સૃષ્ટિનું કાર્ય ચાલે છે. સૃષ્ટિ ફરી પરમાત્મામાં વિલિન થઈ જાય છે. જે રીતે લહેરો સાગરમાં વિલીન થાય છે પણ સંપૂર્ણ સાગર લહેરોમાં નથી હોતો એ જ રીતે બધું પરમાત્મામાં છે પણ પરમાત્મા એમાં નથી.
"मयाध्यक्शेण प्रकृतिः सूयते सचराचरम् ।"
ભગવાન રહસ્યમય વાતો બતાવતા કહે છે કે પ્રકૃતિ બધા કાર્યો મારા અધિષ્ઠાનમાં કરે છે. આપણે થોડાક ઉદાહરણના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જોયું કે જ્ઞાનેશ્વર મહારાજનો પણ આ પ્રિય અધ્યાય છે. ગીતાની વચ્ચોવચ આ અધ્યાય છે. જ્યારે જ્ઞાનેશ્વર મહારાજે સજીવન સમાધિ લીધી ત્યારે આ અધ્યાય પોતાની આંખો સામે ખોલીને રાખ્યો હતો.
" तैसे हे अध्याय गीतेचे , परिअनिर्वाच्यपण नवमाचे .
આપણે સૌ એક સાથે ગીતાજીના પ્રવાહને વહેંચી લઈએ છીએ તો ચાલો એ સુંદર પવિત્ર જ્ઞાનેશ્વર મહારાજને અત્યંત પ્રિય એવા આ અધ્યાયના મધ્યાંશના વિવેચન તરફ જઈએ.
આપણે જોયું કે ભગવાને રહસ્ય ખોલવાના ચાલુ કર્યું છે , અને જ્ઞાન વિજ્ઞાનની વાતો બતાવતા પહેલાં ગુહ્ય વાતો જણાવવાની ચાલુ કરી. રાજવિદ્યા રાજગુહ્ય, એ રહસ્યમય વાતો ભગવાન આ સૃષ્ટિની સંરચના અથવા જીવ, જગત અને જગદીશ્વર એ ત્રણેયનો પરસ્પર સંબંધ કઈ રીતે છે? કઈ રીતે ભગવાન કણ કણમાં વસ્યા છે? કણકણમાં વસીને કઈ રીતે ભગવાન એનાથી અલિપ્ત છે? ભગવાનમાં સંપૂર્ણ સૃષ્ટિ સમાહિત છે, તો પણ ભગવાન આ સૃષ્ટિમાં નથી, એનાથી પણ અલિપ્ત છે આ વાત જણાવે છે.
“ न च मत्स्थानि भूतानि , पश्य मे योगमैश्वरम्।”
બધું મારામાં છે પણ હું તેનામાં નથી. જેવી રીતે લહેરો સાગરમાં ઊઠે છે અને સાગરમાં વિલીન થઈ જાય છે એ પ્રકારે પરમાત્માના અધિષ્ઠાનમાં આ સૃષ્ટિનું નિર્માણ થાય છે અને પરમાત્માની અધ્યક્ષતામાં આ સૃષ્ટિનું કાર્ય ચાલે છે. સૃષ્ટિ ફરી પરમાત્મામાં વિલિન થઈ જાય છે. જે રીતે લહેરો સાગરમાં વિલીન થાય છે પણ સંપૂર્ણ સાગર લહેરોમાં નથી હોતો એ જ રીતે બધું પરમાત્મામાં છે પણ પરમાત્મા એમાં નથી.
"मयाध्यक्शेण प्रकृतिः सूयते सचराचरम् ।"
ભગવાન રહસ્યમય વાતો બતાવતા કહે છે કે પ્રકૃતિ બધા કાર્યો મારા અધિષ્ઠાનમાં કરે છે. આપણે થોડાક ઉદાહરણના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જોયું કે જ્ઞાનેશ્વર મહારાજનો પણ આ પ્રિય અધ્યાય છે. ગીતાની વચ્ચોવચ આ અધ્યાય છે. જ્યારે જ્ઞાનેશ્વર મહારાજે સજીવન સમાધિ લીધી ત્યારે આ અધ્યાય પોતાની આંખો સામે ખોલીને રાખ્યો હતો.
" तैसे हे अध्याय गीतेचे , परिअनिर्वाच्यपण नवमाचे .
हे तुमचे सामर्थ्य प्रभो ।"
કોઈપણ પોતાની વાણીથી સંપૂર્ણ રહસ્ય ખોલીને નથી બતાવી શકતા પણ આ કેવળ ગુરુદેવના ચરણોનો આશ્રય લઈને આ અધ્યાયને થોડા પ્રમાણમાં નિરૂપણ કરી શકે છે, અને જે પ્રકારે પરમશ્રદ્ધેય ગુરુદેવ જે જ્ઞાનયોગ,ભક્તિયોગ અને કર્મયોગનો સંપૂર્ણ મિલાપ છે, જેમનું જીવન આપણને અવતરિત થયેલું દેખાય છે. ગુરુદેવ જે નિરંતર કર્મયોગમાં કર્મશીલ છે, રાષ્ટ્ર સેવા, રામ મંદિર નિર્માણ કાર્ય, કૃષ્ણ મંદિર નિર્માણ કાર્ય એમ આ બધા દેશ સેવાના કાર્યો કરતાં કરતાં હંમેશા વ્યસ્ત રહ્યા છે. અખંડ કાર્યરત અને એની સાથે જ્ઞાનની ધારા જેમના મુખમાંથી વહેતી રહે છે અને ભક્તિમય, રસમય એવી એમની મંત્રમય વાણી આ ત્રણે યોગની જેમના જીવનમાં આપણને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે એ ગુરુદેવના ચરણોમાં નત મસ્તક થઈને એ જ્ઞાનધારાનું પ્રાશન કરીને આ અધ્યાયનું તીર્થ પ્રાશન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનું અદ્ભુત મિલન આ અધ્યાયમાં છે. આ અધ્યાયમાં જ્ઞાનની વાત કરતાં કરતાં જ્ઞાનયોગની ભગવાને વાત કરી, હવે ભગવાન ભક્તિ તરફ આવે છે પણ પહેલા સૃષ્ટિનું રહસ્ય ખોલે છે
આપણે એક મહત્વપૂર્ણ શ્લોક જોયો.
" मयाध्यक्शेण प्रकृतिः सूयते सचराचरम् ।"
એક વાત ઉદાહરણથી સમજીએ. જે રીતે સિનેમાનો પડદો હોય છે એના પર દૃશ્ય હોય છે એ દ્રશ્ય આપણને દેખાય એના માટે પડદાની આવશ્યકતા છે. અધિષ્ઠાન પડદો છે પણ એ દ્રશ્ય એ પડદામાં નથી, એ દ્રશ્ય પડદા પર અંકિત છે, ચલચિત્રના માધ્યમથી એ બદલાઈ પણ રહ્યું છે પણ એની પાછળ ન બદલાવાવાળો અપરિવર્તનશીલ પડદો છે, એ જ પ્રકારે અપરિવર્તનશીલ પરમાત્માના અધિષ્ઠાનમાં આ પરિવર્તનશીલ સંસારની સંપૂર્ણ રમત રમાઈ રહી છે. જે રીતે સાગરની ઊંડાઈ હોય છે પણ ઉપર લહેરો ઉઠતી દેખાય છે એ પ્રકારે આ સૃષ્ટિની પણ રમત છે. પરમાત્મા કણ કણમાં વસેલા હોવા છતાં પરમાત્મા એમાં છુપાઈ ગયા છે અને એટલે જ આપણે ભગવાનને બરાબર જાણતા નથી, જાણવાની ઈચ્છા પણ નથી રાખતા, એટલે જ ભગવાન કહે છે,
"अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रिता ।"
ભગવાને ત્રણ પ્રકારના લોકો કહ્યા. જાનંતી, અવજાનન્તિ, ન જાનંતિ. જાણનારા, અપૂર્ણ જ્ઞાનવાળા અને ન જાણનારા. ભગવાને કહ્યું કે અર્જુન! મારો ભાવ સંપૂર્ણપણે ન જાણનારા કેટલાક લોકો જો હું ધર્મ સંસ્થાપન કરવા માટે આવું છું, અવતાર લઈને આવું છું, મનુષ્યરુપ લઈને આવું છું તો મને મનુષ્ય સમજે છે અથવા મનુષ્યને જ પરમાત્મા સમજીને પછી એ આકારને સત્ય માને છે અને ત્યાં અટકી જાય છે. કોઈ નિરાકારને નથી માનતા, સાકારને માને છે અથવા એ સાકારને નથી માનતા નિરાકારને માને છે. પરમાત્માના બંને રુપને ન જાણનારા કે ઓછું જાણનારને ભગવાને અવજાનન્તિ કહી દીધા. કેટલાક જાણતા પણ નથી અને જાણવાની ઈચ્છા પણ નથી રાખતા અને પછી પરમાત્માના સ્વરૂપનો વિશ્વાસ નથી કરતા, સાંભળીને પણ વિરોધ કરે છે. આવા લોકો પણ આ સૃષ્ટિમાં રહે છે.
છેલ્લા સત્રમાં મને કોઈએ પૂછ્યું કે સગુણ અને નિર્ગુણ બંને પરમાત્માના રૂપ છે તો સગુણની આરાધના કઈ રીતે કરવી? આપણે સગુણની આરાધના કરીએ છીએ, પૂજા કરીએ છીએ પણ એ કેવળ મૂર્તિ નથી. એ જડ નથી ચૈતન્યરૂપ છે. એ મૂર્તિમાં પરમાત્મા છે, એ અનંત છે, ચૈતન્ય પણ છે અને શાંત રૂપમાં મારી સામે છે.
જેવી રીતે આપણી સામે બધી જગ્યાએ હવા છે પણ જો આપણને એ હવાનો આનંદ લેવો હોય તો આપણે પંખો ચલાવવો પડે છે એ જ રીતે કણ કણમાં પરમાત્મા છે પણ એની અનુભૂતિ આપણે કરવી હોય તો આપણે પણ એક જગ્યાએ શાંત રૂપમાં એની પ્રતિકૃતિમાં ભગવાનને જોવા પડે છે. જે રીતે નાનકડી પ્રતિકૃતિ બનાવવામાં આવે છે, રામ મંદિરની પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી. ભગવાન કહે છે કે અર્જુન એને સમગ્રપણે ન જાણવાને કારણે એને સાંપ્રદાયિકતાનું સ્વરૂપ અપાય છે. હું જે આકારને માનું છું તે જ સત્ય છે અથવા કોઈ નિરાકારને ન
માનવાવાળો પરમાત્મા માનતો જ નથી અને એમાંથી સૃષ્ટિમાં સાંપ્રદાયિકતાનું નિર્માણ થાય છે.
ભગવાન કહે છે કે ન જાણવા વાળા, જાણવાની ઈચ્છા ન રાખનારા અથવા પરમાત્માનો વિરોધ કરનારા કેટલાક લોકો હોય છે. આમ નિરાકાર ભગવાનને સગુણરૂપ આપતા મૂર્ખ લોકો એ એક જ રૂપને વળગી રહે છે અને એવી પરિસ્થિતિમાં સાંપ્રદાયિકતા વધી જાય છે.
કોઈપણ પોતાની વાણીથી સંપૂર્ણ રહસ્ય ખોલીને નથી બતાવી શકતા પણ આ કેવળ ગુરુદેવના ચરણોનો આશ્રય લઈને આ અધ્યાયને થોડા પ્રમાણમાં નિરૂપણ કરી શકે છે, અને જે પ્રકારે પરમશ્રદ્ધેય ગુરુદેવ જે જ્ઞાનયોગ,ભક્તિયોગ અને કર્મયોગનો સંપૂર્ણ મિલાપ છે, જેમનું જીવન આપણને અવતરિત થયેલું દેખાય છે. ગુરુદેવ જે નિરંતર કર્મયોગમાં કર્મશીલ છે, રાષ્ટ્ર સેવા, રામ મંદિર નિર્માણ કાર્ય, કૃષ્ણ મંદિર નિર્માણ કાર્ય એમ આ બધા દેશ સેવાના કાર્યો કરતાં કરતાં હંમેશા વ્યસ્ત રહ્યા છે. અખંડ કાર્યરત અને એની સાથે જ્ઞાનની ધારા જેમના મુખમાંથી વહેતી રહે છે અને ભક્તિમય, રસમય એવી એમની મંત્રમય વાણી આ ત્રણે યોગની જેમના જીવનમાં આપણને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે એ ગુરુદેવના ચરણોમાં નત મસ્તક થઈને એ જ્ઞાનધારાનું પ્રાશન કરીને આ અધ્યાયનું તીર્થ પ્રાશન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનું અદ્ભુત મિલન આ અધ્યાયમાં છે. આ અધ્યાયમાં જ્ઞાનની વાત કરતાં કરતાં જ્ઞાનયોગની ભગવાને વાત કરી, હવે ભગવાન ભક્તિ તરફ આવે છે પણ પહેલા સૃષ્ટિનું રહસ્ય ખોલે છે
આપણે એક મહત્વપૂર્ણ શ્લોક જોયો.
" मयाध्यक्शेण प्रकृतिः सूयते सचराचरम् ।"
એક વાત ઉદાહરણથી સમજીએ. જે રીતે સિનેમાનો પડદો હોય છે એના પર દૃશ્ય હોય છે એ દ્રશ્ય આપણને દેખાય એના માટે પડદાની આવશ્યકતા છે. અધિષ્ઠાન પડદો છે પણ એ દ્રશ્ય એ પડદામાં નથી, એ દ્રશ્ય પડદા પર અંકિત છે, ચલચિત્રના માધ્યમથી એ બદલાઈ પણ રહ્યું છે પણ એની પાછળ ન બદલાવાવાળો અપરિવર્તનશીલ પડદો છે, એ જ પ્રકારે અપરિવર્તનશીલ પરમાત્માના અધિષ્ઠાનમાં આ પરિવર્તનશીલ સંસારની સંપૂર્ણ રમત રમાઈ રહી છે. જે રીતે સાગરની ઊંડાઈ હોય છે પણ ઉપર લહેરો ઉઠતી દેખાય છે એ પ્રકારે આ સૃષ્ટિની પણ રમત છે. પરમાત્મા કણ કણમાં વસેલા હોવા છતાં પરમાત્મા એમાં છુપાઈ ગયા છે અને એટલે જ આપણે ભગવાનને બરાબર જાણતા નથી, જાણવાની ઈચ્છા પણ નથી રાખતા, એટલે જ ભગવાન કહે છે,
"अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रिता ।"
ભગવાને ત્રણ પ્રકારના લોકો કહ્યા. જાનંતી, અવજાનન્તિ, ન જાનંતિ. જાણનારા, અપૂર્ણ જ્ઞાનવાળા અને ન જાણનારા. ભગવાને કહ્યું કે અર્જુન! મારો ભાવ સંપૂર્ણપણે ન જાણનારા કેટલાક લોકો જો હું ધર્મ સંસ્થાપન કરવા માટે આવું છું, અવતાર લઈને આવું છું, મનુષ્યરુપ લઈને આવું છું તો મને મનુષ્ય સમજે છે અથવા મનુષ્યને જ પરમાત્મા સમજીને પછી એ આકારને સત્ય માને છે અને ત્યાં અટકી જાય છે. કોઈ નિરાકારને નથી માનતા, સાકારને માને છે અથવા એ સાકારને નથી માનતા નિરાકારને માને છે. પરમાત્માના બંને રુપને ન જાણનારા કે ઓછું જાણનારને ભગવાને અવજાનન્તિ કહી દીધા. કેટલાક જાણતા પણ નથી અને જાણવાની ઈચ્છા પણ નથી રાખતા અને પછી પરમાત્માના સ્વરૂપનો વિશ્વાસ નથી કરતા, સાંભળીને પણ વિરોધ કરે છે. આવા લોકો પણ આ સૃષ્ટિમાં રહે છે.
છેલ્લા સત્રમાં મને કોઈએ પૂછ્યું કે સગુણ અને નિર્ગુણ બંને પરમાત્માના રૂપ છે તો સગુણની આરાધના કઈ રીતે કરવી? આપણે સગુણની આરાધના કરીએ છીએ, પૂજા કરીએ છીએ પણ એ કેવળ મૂર્તિ નથી. એ જડ નથી ચૈતન્યરૂપ છે. એ મૂર્તિમાં પરમાત્મા છે, એ અનંત છે, ચૈતન્ય પણ છે અને શાંત રૂપમાં મારી સામે છે.
જેવી રીતે આપણી સામે બધી જગ્યાએ હવા છે પણ જો આપણને એ હવાનો આનંદ લેવો હોય તો આપણે પંખો ચલાવવો પડે છે એ જ રીતે કણ કણમાં પરમાત્મા છે પણ એની અનુભૂતિ આપણે કરવી હોય તો આપણે પણ એક જગ્યાએ શાંત રૂપમાં એની પ્રતિકૃતિમાં ભગવાનને જોવા પડે છે. જે રીતે નાનકડી પ્રતિકૃતિ બનાવવામાં આવે છે, રામ મંદિરની પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી. ભગવાન કહે છે કે અર્જુન એને સમગ્રપણે ન જાણવાને કારણે એને સાંપ્રદાયિકતાનું સ્વરૂપ અપાય છે. હું જે આકારને માનું છું તે જ સત્ય છે અથવા કોઈ નિરાકારને ન
માનવાવાળો પરમાત્મા માનતો જ નથી અને એમાંથી સૃષ્ટિમાં સાંપ્રદાયિકતાનું નિર્માણ થાય છે.
ભગવાન કહે છે કે ન જાણવા વાળા, જાણવાની ઈચ્છા ન રાખનારા અથવા પરમાત્માનો વિરોધ કરનારા કેટલાક લોકો હોય છે. આમ નિરાકાર ભગવાનને સગુણરૂપ આપતા મૂર્ખ લોકો એ એક જ રૂપને વળગી રહે છે અને એવી પરિસ્થિતિમાં સાંપ્રદાયિકતા વધી જાય છે.
9.12
મોઘાશા મોઘકર્માણો, મોઘજ્ઞાના વિચેતસઃ।
રાક્ષસીમાસુરીં(ઞ્) ચૈવ, પ્રકૃતિં(મ્) મોહિનીં(મ્) શ્રિતાઃ॥૯.૧૨॥
એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાન નો દુરુપયોગ કરનારા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતીને જ ધારણ અજ્ઞાની જનો કરી રાખે છે .
પ્રકૃતિના આશ્રયે અલગ અલગ પ્રકારના લોકો આ સૃષ્ટિમાં રહે છે પણ એમની આશા, અપેક્ષા બરાબર જાણતા ન હોવાથી વ્યર્થ હોય છે અને એમના મનમાં સંભ્રમ હોય છે. એ વ્યર્થ કર્મ કરે છે. તેજોમયાનંદજીએ કહ્યું છે કે જે કર્મથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી તે કર્મ વ્યર્થ છે. જો હું મારું કાર્ય કરું છું પણ એનાથી કોઈનું કલ્યાણ થતું નથી તો એ કર્મ વ્યર્થ થશે. મારા કર્મથી મારું, મારા પરિવારનું, મારા રાજ્યનું, મારા રાષ્ટ્રનું, મારી સૃષ્ટિનું કોઈને કોઈ રીતે કલ્યાણ થઈ રહ્યું છે? ભલે હું કોઈ છોડ વાવું, પક્ષીઓ માટે દાણા કે પાણી નાખું, ગાયને રોટલી ખવડાવું એવા નાનકડા કર્મ આ સૃષ્ટિના કલ્યાણમાં સંમેલિત થઈ જાય છે એટલે અર્જુન! આ રીતે આપણા કર્મ તરફ જોવાનું નથી, શું કરું છું એ વિચાર કરવાનો નથી. આ કર્મથી કોઈની ઉન્નતી થાય છે કે નહીં એ વિચાર કરતા નથી એમનું કર્મ વ્યર્થ છે. એ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પણ વ્યર્થ છે. ક્રિકેટ, સિનેમા વગેરેનું સામાન્ય જ્ઞાન અમુક ઉંમર સુધી બરાબર છે પણ એક ઉંમર પછી એવું જ્ઞાન જોઈએ જેનાથી મારા જીવનનું ઉન્નયન થાય, જે જ્ઞાન મારા અંતરંગના બધા ભ્રમ દૂર કરે. એવું જ્ઞાન ભલે તે ઉપજીવિકાનું હોય, સૃષ્ટિનું હોય કે તે આત્મજ્ઞાન હોય. ભગવાન કહે છે કે તે વ્યર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે મોઘ જ્ઞાન પ્રાપ્ત કરે છે .આપણે આજકાલ આ વ્યર્થ જ્ઞાનમાં એટલા અટવાયા છીએ જેવું કે whatsapp, facebook, instagram વગેરેમાં એટલાં અટવાયા છીએ પણ શું એ જ્ઞાન આપણા અંતરંગનો ખરેખર વિકાસ કરે છે? એ વાત આપણે વિચારતા જ નથી. જે જ્ઞાનથી અંતરંગમાં શાંતિ, ભક્તિ, વૈરાગ્યની પ્રાપ્તિ નથી થતી એ જ્ઞાન વ્યર્થ છે. જેમનું ચિત્ત ચંચળ છે એ વિચેતસ છે, પોતાના જીવન વિશે વિચાર કરનાર સુચેતસ નથી. અમુક સુચેતસ હોય છે, જે વ્યવસ્થિત હોય છે, જે પોતાના જીવનનો વિચાર કરે છે. મારા જીવનનું નિશ્રેયસ શું છે? કલ્યાણ શેમાં છે? કયું જ્ઞાન પ્રાપ્ત કરું? એની પર વિચાર નથી કરતા. ભગવાન આવા લોકોને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરે છે.
રાક્ષસી, આસુરી અને મોહિની.
" अशुसु रमन्ते इति आसुरा ।”
જે ઇન્દ્રિયોના સુખમાં જ રમમાણ છે, જેમની પાસે ઉપજીવિકાનું જ્ઞાન હોય છે, ક્ષમતા હોય છે, આ લોકો જીવનમાં પ્રાપ્તિ પણ ઘણી કરે છે, ઘણું બધું જીવનમાં શીખે પણ છે પણ એનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરતા. એમના જીવનનું ધ્યેય " Eat, Drink and be merry” એટલે કે મિત્રોને મળવું, બધા એક સાથે ક્લબમાં જઈને નાચવું, ગાવું, દારૂ પીવો. એ લોકો સંપૂર્ણ સૃષ્ટિને એક રોંગ સિગ્નલ આપી દે છે કે જીવન આ રીતે જીવવું જોઈએ. એન્જોય કરો પણ સેકન્ડ ઈનિંગ એવી રીતે એન્જોય કરો કે ગીતાજીની સાથે, ભાગવતની સાથે, કથા સાંભળીને ભગવાનની ભક્તિનો રસ અંતરંગમાં પ્રવાહિત કરીને. આ એમની વાતો આસુરી છે. એટલે જ માયાસુર હતો તે અસુર હતો અને મયસભાની રચના તેણે જ કરી હતી. ભગવાન કહે છે કે એવા અસુરોની વૃત્તિ બીજાને કષ્ટ આપવાની નથી હોતી પણ ભોગ પ્રધાન હોય છે. ભોગ લેતા લેતા સૃષ્ટિનું ક્યારેક ક્યારેક શોષણ પણ કરે છે. આવા લોકો આસુરી છે.
બીજા છે રાક્ષસી. હવે રાક્ષસી એટલે કે આપણે નાનપણમાં સાંભળ્યું હોય કે રાક્ષસોને બે શિંગડા હોય, એમના ભયાનક દાંત હોય વગેરે પણ આજની સૃષ્ટિના જે રાક્ષસો હોય છે તે બીજાને કષ્ટ આપે છે, અતિરેકી હોય છે, ટેરેરિસ્ટ હોય છે. બીજાની જમીન હડપકાં હોય, નિર્દોષ લોકોને મારતા પણ હોય છે, અથવા બીજા પ્રકારના કષ્ટ આપીને એટલે કે બોમ્બ વિસ્ફોટ કરાવે છે એ રાક્ષસી છે.
આપણો જ ધર્મ સત્ય છે, તલવારના જોરે આપણે તેનો પ્રચાર કરીશું, જે નહીં માને એને મારી નાખીશું એવી તેમની ભાવના હોય છે.
ત્રીજા પ્રકારના લોકો મોહિની વૃત્તિવાળા હોય છે જે અજ્ઞાનમાં પોતાનું જીવન જીવે છે. આજે પણ એવા લોકો છે જે ચોખાને સડવા દે છે અને ચોખાને સડાવીને એમાંથી દારૂ બનાવે છે. આખો દિવસ કામ કરીને રાત્રે દારૂ પીને પડી રહે છે. જુગાર રમે છે. એમને સૃષ્ટિમાં ચાલનારા કાર્યોથી કોઈ નિસ્બત નથી હોતી એવા મોહિની વૃત્તિ વાળાલોકો તમોગુણ પ્રધાન છે. ભગવાન આ ત્રણ પ્રકારના લોકોનું અહીં વર્ણન કરેછે.
મહાત્માનસ્તુ માં(મ્) પાર્થ, દૈવીં(મ્) પ્રકૃતિમાશ્રિતાઃ।
ભજન્ત્યનન્યમનસો, જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્॥૯.૧૩॥
પણ હે પાર્થ! દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વ ભૂતોનું સનાતન કારણ અને નાશ રહિત અક્ષર-સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે.
ભગવાન અર્જુન માટે જુદા જુદા નામોનો ઉલ્લેખ કરે છે, ક્યારેક ગુડાકેશ( ઉંઘ પર વિજય મેળવનાર), ક્યારેક ધનંજય( ધન મેળવનાર), ક્યારેક કૌંતેય(કુંતિના પુત્ર), ક્યારેક પાંડવ(પાંડુના પુત્ર) તો ક્યારેક પાર્થ(પૃથાના પુત્ર). આ નામોનો ઉલ્લેખ કરીને તેમને યાદ કરાવે છે કે તારા માતા-પિતા કોણ છે અને તમને કેવી રીતે ઉછેર્યા હતા. ઋષિમુનિઓના આશ્રમમાં તમે કઈ રીતે સમય વિતાવ્યો, કેવા સંસ્કાર તમને આપ્યા છે અને કઈ રીતે અર્જુન દૈવી પ્રકૃતિના ગુણોથી સંપન્ન છે. એમણે ઋષિમુનિઓની સેવા કરી હતી એટલે એમને વરદાન પણ મળ્યા હતા. આવી કુંતી માતાનો તું પુત્ર છે. હે પાર્થ! તું દૈવી પ્રકૃતિથી સંપન્ન છે અને આવી દૈવી પ્રકૃતિથી સંપન્ન થયેલા લોકો અહીં છે.
મહાત્મા એટલે કે જેમનો આત્મા મહાન છે, વિશાળ હૃદય ધરાવે છે, અંતરંગથી જે પરિપક્વ છે, મૂળ અવિનાશી તત્ત્વને એમણે જાણી લીધું છે એવા ભગવાનની મહત્તા જાણવાવાળા લોકો અહીં રહે છે. ભગવાન યોગેશ્વરના ઐશ્વર્યને જાણનારા લોકો અહીં રહે છે તેથી આ સૃષ્ટિના સંરક્ષણ માટે તેઓ નિરંતર કર્મશીલ રહે છે. એ લોકો જ્ઞાનમાં લિપ્ત રહે છે. પરમાત્મા સાથે એકાકાર થઈને જીવે છે અને એમની કીર્તિ ગાય છે. અહીં એક સુંદર શબ્દનો પ્રયોગ કરે છે, ભગવાન અનન્યમનસો શબ્દનો પ્રયોગ કરે છે. અનન્યતાને પણ આપણે સમજવું જોઈએ. એ અનન્ય એટલે કૃષ્ણ જ. ફક્ત એને આકારમાં સીમિત ન કરવું જોઈએ. કૃષ્ણ જ સત્ય છે જેમણે ગીતા કહી બાકી ભગવાનના રૂપ સત્ય નથી એવું નથી. ગુરુદેવ કહે છે કે કોઈપણ રૂપમાં ભગવાન અવતારિત થઈ શકે છે. જગદંબા, શિવજી, રામજી કોઈ પણ રૂપમાં એમની પૂજા કરીએ એ પરબ્રહ્મ પરમેશ્વરની પાસે પહોંચી જાય છે કારણ કે એ બધા એમના જ રૂપ છે, અન્ય નહીં. રૂપ ભલે અનેક છે પણ પરમાત્મા એક જ છે. આ રીતે પરમાત્માને જાણીને, સમજીને એની સાથે એકાકાર થાય છે તેવું કહે છે. પરમાત્મા પાસે જઈને પરમાત્માને જ માંગે છે.
સંત તુકારામ મહારાજ કહે છે.
न मिळो खावया न वाढो संतान ।
મહાત્મા એટલે કે જેમનો આત્મા મહાન છે, વિશાળ હૃદય ધરાવે છે, અંતરંગથી જે પરિપક્વ છે, મૂળ અવિનાશી તત્ત્વને એમણે જાણી લીધું છે એવા ભગવાનની મહત્તા જાણવાવાળા લોકો અહીં રહે છે. ભગવાન યોગેશ્વરના ઐશ્વર્યને જાણનારા લોકો અહીં રહે છે તેથી આ સૃષ્ટિના સંરક્ષણ માટે તેઓ નિરંતર કર્મશીલ રહે છે. એ લોકો જ્ઞાનમાં લિપ્ત રહે છે. પરમાત્મા સાથે એકાકાર થઈને જીવે છે અને એમની કીર્તિ ગાય છે. અહીં એક સુંદર શબ્દનો પ્રયોગ કરે છે, ભગવાન અનન્યમનસો શબ્દનો પ્રયોગ કરે છે. અનન્યતાને પણ આપણે સમજવું જોઈએ. એ અનન્ય એટલે કૃષ્ણ જ. ફક્ત એને આકારમાં સીમિત ન કરવું જોઈએ. કૃષ્ણ જ સત્ય છે જેમણે ગીતા કહી બાકી ભગવાનના રૂપ સત્ય નથી એવું નથી. ગુરુદેવ કહે છે કે કોઈપણ રૂપમાં ભગવાન અવતારિત થઈ શકે છે. જગદંબા, શિવજી, રામજી કોઈ પણ રૂપમાં એમની પૂજા કરીએ એ પરબ્રહ્મ પરમેશ્વરની પાસે પહોંચી જાય છે કારણ કે એ બધા એમના જ રૂપ છે, અન્ય નહીં. રૂપ ભલે અનેક છે પણ પરમાત્મા એક જ છે. આ રીતે પરમાત્માને જાણીને, સમજીને એની સાથે એકાકાર થાય છે તેવું કહે છે. પરમાત્મા પાસે જઈને પરમાત્માને જ માંગે છે.
સંત તુકારામ મહારાજ કહે છે.
न मिळो खावया न वाढो संतान ।
परि हा नारायण कृपा करो ॥१॥
ऐसी माझी वाचा मज उपदेशी ।
आणीक लोकांसी हेचि सांगे ॥ध्रु.॥
विटंबो शरीर होत कां विपत्ती ।
परि राहो चित्तीं नारायण ॥२॥
तुका म्हणे नासिवंत हें सकळ ।
आठवे गोपाळ तेचि हित ॥३॥
મને ફક્ત નારાયણ જોઈએ,અન્ય કોઈ નહીં. હું એને પ્રાપ્ત કરવા માગું છું.
સ્વામી વિવેકાનંદ તો નિરાકારને જ માનતા હતા. જુઓ કેવી અદ્ભુત ગુરુ શિષ્યની જોડી હતી. ઠાકુર સાકાર જગદંબા કાલીમાના ભક્ત અને એમનો શિષ્ય નિરાકારનો ભક્ત. ઠાકુરે કહ્યું કે તું તો જગદંબાને નથી માનતો અને હું એની પાસે કંઈ માંગતો નથી પણ આજે મંગળવાર છે તો જગદંબા તને જે જોઈએ તે આપશે, તું જ માંગી લે. સ્વામીજીએ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને જેવી સાકાર માએ એમને પ્રત્યક્ષ દર્શન આપ્યા તો સ્વામીજી અભિભૂત બની ગયા અને માં પાસે માગ્યું કે માં મને કંઈ નહીં જોઈએ, મને ભક્તિ આપો, જ્ઞાન આપો, વૈરાગ્ય આપો. ઠાકુરે પૂછ્યું માં પાસે શું માગ્યું? ન માગી શક્યો. એવું ત્રણ વાર થયું. તો ઠાકુર બોલ્યા જગદંબા આવ્યા તો જગદંબા પાસે લૌકિક શું માંગવું? આ તમારા અંતરંગનો પરિચય તમે આપ્યો. હું જ મારી તરફથી તમારા પરિવારને આશીર્વાદ આપું છું કે અન્ન વસ્ત્રની કમી એમને નહીં રહે.
મને ફક્ત નારાયણ જોઈએ,અન્ય કોઈ નહીં. હું એને પ્રાપ્ત કરવા માગું છું.
સ્વામી વિવેકાનંદના જીવનમાં એક પ્રસંગ છે સ્વામી વિવેકાનંદજી વિશ્વનાથ દત્તજીના પુત્ર હતા, સંપન્ન ઘર હતું. પિતાજીનું નિધન થયું,
દેવું વધી ગયું. એવી પરિસ્થિતિ આવી કે ઘર પણ એમનું ઝુટવી લેવાયું. આવા સમયે એ સાધના કરવા માગતા હતા. ગુરુજી તો એમને પ્રાપ્ત હતા, સ્વામી રામકૃષ્ણ ઠાકુર. સાધનાના માર્ગે એ પરમાત્મા સુધી પહોંચવા માગતા હતા પણ ઉપજીવીકા માટે એમને કોઈને કોઈ નોકરી કરવાની જરૂર પડી. ચાર બહેનો હતી, અને આખું કુટુંબ અન્ન માટે તરસવા લાગ્યું તો તે ઠાકુર પાસે આવ્યા અને કહ્યું કે જગદંબા માની તમે આરાધના કરો છો, માં તમારું સાંભળે છે મને કોઈપણ રીતે મારા ઘરની ઉપજીવીકાનું સાધન મળી જાય એવું એમની પાસે માંગો. સ્વામી વિવેકાનંદ તો નિરાકારને જ માનતા હતા. જુઓ કેવી અદ્ભુત ગુરુ શિષ્યની જોડી હતી. ઠાકુર સાકાર જગદંબા કાલીમાના ભક્ત અને એમનો શિષ્ય નિરાકારનો ભક્ત. ઠાકુરે કહ્યું કે તું તો જગદંબાને નથી માનતો અને હું એની પાસે કંઈ માંગતો નથી પણ આજે મંગળવાર છે તો જગદંબા તને જે જોઈએ તે આપશે, તું જ માંગી લે. સ્વામીજીએ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને જેવી સાકાર માએ એમને પ્રત્યક્ષ દર્શન આપ્યા તો સ્વામીજી અભિભૂત બની ગયા અને માં પાસે માગ્યું કે માં મને કંઈ નહીં જોઈએ, મને ભક્તિ આપો, જ્ઞાન આપો, વૈરાગ્ય આપો. ઠાકુરે પૂછ્યું માં પાસે શું માગ્યું? ન માગી શક્યો. એવું ત્રણ વાર થયું. તો ઠાકુર બોલ્યા જગદંબા આવ્યા તો જગદંબા પાસે લૌકિક શું માંગવું? આ તમારા અંતરંગનો પરિચય તમે આપ્યો. હું જ મારી તરફથી તમારા પરિવારને આશીર્વાદ આપું છું કે અન્ન વસ્ત્રની કમી એમને નહીં રહે.
સતતં(ઙ્) કીર્તયન્તો માં(ય્ઁ), યતન્તશ્ચ દૃઢવ્રતાઃ।
નમસ્યન્તશ્ચ માં(મ્) ભક્ત્યા, નિત્યયુક્તા ઉપાસતે॥૯.૧૪॥
એ દૃઢનિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતાં અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે.
બધામાં એ જ પરમાત્મા છે એ જાણીને એ પરમાત્માની કીર્તિ બધી જગ્યાએ ગાવાવાળા લોકો પણ હોય છે. પરમાત્મા માટે એમનો દ્રઢ નિશ્ચય થઈ જાય છે. ગાવું એ તીવ્ર સંવેગ છે. આપણે કોઈ ભક્તિ ગીત સાંભળીએ તો આપણા અંતરંગમાં સ્થિત આત્મતત્ત્વ સાથે આપણે એકાકાર થઈ જઈએ છીએ, એક પરમ શાંતિ આપણને પ્રાપ્ત થાય છે. પરમાત્માના બધા ભક્ત પરમાત્માના નામ અને ગુણ ગાતા એક બીજાને મળે છે, પ્રણામ કરતા એની સાથે હંમેશા જોડાયેલા રહે છે અને ભક્તિથી પરમાત્માની ઉપાસના કરે છે. આવા લોકો દૈવી સંપત્તિથી યુક્ત હોય છે. પરમાત્માની સતત કીર્તિ ગાવી એનો અર્થ ઠાકુરવાડીમાં બેસીને સતત ભજન-કીર્તન કરવું એ નથી, એનો અર્થ છે ચરાચરમાં પરમાત્માને જુઓ. "હર દેશમેં તું, હરવેશમેં તું, તેરે નામ અનેક, તુ એક હી હૈ."એ ભાવના ઉદિત કરવી. એમની કીર્તિ ગાતી વખતે જોવું કે કઈ રીતે સૂરજ ઉગે છે? કઈ રીતે ફુલ સૂરજના પ્રકાશને કારણે ખીલે છે? પૃથ્વી પ્રકાશિત થાય છે, નદીઓ વહે છે. વરસાદ સૂરજના ઉગવાથી થાય છે. ક્યા પ્રકારે પંખી દાણા ખાય છે? આ દાણા પાણી કઈ રીતે પરમાત્મા નિર્મિત કરે છે? આ સંપૂર્ણ કીર્તિ આપણી અંદર પણ જોઈએ. કઈ રીતે મારી આંખો બધું જુએ છે? મારા કાન બધું સાંભળે છે, મારા અંદરની સિસ્ટમ ચાલે છે. હું સમજી પણ શકું છું, બોલી પણ શકું છું, હું જોઈ પણ શકું છું, હું કામ કરી શકું છું. આ રીતે નર્વસ સિસ્ટમ પણ મારી બરાબર છે. મનુષ્યની અને સૃષ્ટિની એક સુંદર સંરચના પરમાત્માએ જ કરી છે. એમને માટે અન્નનું નિર્માણ કર્યું. ગીતકાર ભરત વ્યાસે પરમાત્માને ચિત્રના ચિત્રકાર તરીકે સંબોધે છે.
“ तपस्वीयों सी है अटल ये पर्वतोंकी चोटियाँ
ये बर्फ़ की घुमेरदार घेरदार घाटियाँ
ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के
गलीचे ये गुलाब के बग़ीचे ये बहार के
ये किस कवि की कल्पना का चमत्कार है
ये कौन चित्रकार है ये कौन चित्रकार ।”
આ ચમત્કાર અને એની કીર્તિ જુઓ. સવાર સવારમાં ભગવાન કહે છે કે નિત્યયુક્તા ઉપાસતે ... પરમાત્માની સાથે નિરંતર અંદરથી એકાકાર હોય છે. કર્મ એમનું કંઈ પણ ચાલ્યા કરે પણ પરમાત્માની સાથે એનું અનુસંધાન રહે છે. હું એ ચરાચરનો સેવક છું જે પરમાત્માનું જ રૂપ છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે હું એ પરમાત્માનો સેવક છું જેને લોકો મનુષ્ય કહે છે. મનુષ્યની સેવા કરતાં કરતાં એમાં પરમાત્માના દર્શન કરવા, કોઈને નમન કરતી વખતે એનામાં જે નારાયણ છે એને નમન કરવા, માતા પિતાને નમન કરતી વખતે પણ એમનામાં જે નારાયણની અભિવ્યક્તિ છે તેને નમન કરવું.
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે, યજન્તો મામુપાસતે।
એકત્વેન પૃથક્ત્વેન, બહુધા વિશ્વતોમુખમ્॥૯.૧૫॥
બીજા જે જ્ઞાનયોગીઓ છે, એ મુજ નાર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્નભાવે પુજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે, એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટસ્વરૂપ પરમેશ્વરની પૃથક્-ભાવે ઉપાસના કરે છે.
નિર્ગુણ પરમાત્માની આરાધના કરતા કેટલાક લોકો જ્ઞાનયજ્ઞથી એની આરાધના કરે છે. શાસ્ત્રનો અભ્યાસ એ પણ ભગવાનની આરાધના છે. ગીતાજીનું અધ્યયન કરતા કરતા પણ પરમાત્માની આરાધના હું કરું છું. કેટલાક વૈજ્ઞાનિકોએ સૃષ્ટિના કલ્યાણ માટે કરોનાની મહામારી આવી તો વેક્સિન શોધી કાઢ્યું અને એમની સૃષ્ટિના કલ્યાણ માટેની ભાવના એ મહાયજ્ઞ જ છે. કેટલાક લોકો આ રીતે નિર્ગુણ પરમાત્માની આરાધના કરતા કરતા જ્ઞાનયજ્ઞ કરે છે; તો કેટલાક લોકો એકત્ત્વ ભાવથી એટલે કે બધામાં એક જ ભગવાન છે એ રીતે અદ્વૈતભાવથી પરમાત્માની આરાધના કરે છે; તો કેટલાક લોકો પૃથકત્વેન એટલે કે દ્વૈત ભાવથી આરાધના કરે છે.
હનુમાનજીમહારાજ રામજીનો હું દાસ છું એ રીતે દાસ્ય ભાવથી કે અર્જુન સખાભાવથી પરમાત્માની આરાધના કરે છે. ભગવાન મારા સ્વામી છે એ કાન્તાભાવથી ઘનાનંદજી તો માધુર્ય ભાવથી સંત ગુલાબરાવ મહારાજે મધુરાદ્વૈત સંપ્રદાયની સ્થાપના કરી. કોઈએ મારા સ્વામી છે, મારા પતિ છે, પ્રિયકર છે હું તેમની પત્ની છું એ ભાવથી તો યશોદામાતાએ પુત્રભાવથી માન્યા. ઠાકુર રામકૃષ્ણદેવે હું તેમનો બાળક છું ભગવાન મારી મા છે એ ભાવથી તો વાત્સલ્ય ભાવથી કૌશલ્યામાતાએ એમને સ્વીકાર્યા. કોઈપણ ભાવથી ભગવાનની આરાધના કરવાવાળા હોય છે.
भावबळी आकळे, येर्हवी नाकळे
करतळी आंवळे , ,तैसा हरी .
સંત તુકારામ મહારાજ કહેતા કે હરીને માત્ર ભાવથી જ ઓળખી શકાય છે અને આ ભાવ ઉદિત કરવા માટે જ બધા માધ્યમ છે અને જ્યાં સુધી આ ભાવ ઉદીત ના થાય ત્યાં સુધી એમને સમગ્રતાથી ઓળખી ન શકાય, જ્ઞાનથી પણ નહીં. આમ ભક્તિ સર્વોપરી છે. ભગવદ્ગીતામાં પણ ભગવાન કહે છે, "विश्वतोमुखम्" એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડ એ ભગવાનનું રૂપ છે એ રીતે એની સેવા કરો.
"पृथक्त्वेन उपासते ।"
હનુમાનજી મહારાજ અને રામજીના જીવનનો એક પ્રસંગ છે. રામજીએ પૂછ્યું, હનુમાનજી તમે મારી સેવા પરમભાવથી, દાસ્ય ભાવથી, પ્રેમ ભાવથી પણ કરો છો તમારા અને મારા વચ્ચે તમે કયા પ્રકારનો સંબંધ માનો છો તે વિસ્તારથી સમજાવો. હનુમાનજી તો "બુદ્ધિમતામ્ વરિષ્ઠમ" અત્યંત બુદ્ધિશાળી છે એટલે જ આપણે હનુમાન ચાલીસા રોજ સાંભળીએ છીએ થોડીક તો બુદ્ધિ આવે. "વિદ્યાવાન ગુની ચતુર રામ કાજ કરીને કો આતુર,"એવા છે હનુમાનજી જે રામ કાજ કરવા માટે આતુર છે અને પોતાના પાસેની બધી વિદ્યા, ગુણ, ચતુરાઈ એ બધું રામને અર્પણ કરવા માંગે છે તો આવા હનુમાનજીએ ભગવાને પૂછ્યું કે તમે કયા પ્રકારની ભૂમિકામાં મને પ્રશ્ન પૂછો છો તે બતાવો. દેહ દ્રષ્ટિએ? જીવદ્રષ્ટિથી કે આત્મદ્રષ્ટિથી?
દેહ દ્રષ્ટિએ પૂછો તો હું પરમાત્માનો સેવક છું, દાસ છું. જીવદ્રષ્ટિથી પૂછો તો હું આપનો એક અંશ છું અને આત્મદ્રષ્ટિથી પૂછો તો તમે અને હું જુદા નથી. એ પ્રકારે સુંદર ઉત્તર હનુમાનજી ભગવાને આપ્યો.
જે રીતે ગંગાજીમાંથી એક લોટો ભરીને આપણે પાણી લીધું તો બંનેના ગુણધર્મ એક સરખા જ છે એ જ રીતે દેહમાં બંધાયેલો આ પરમાત્માનો જ અંશ છે અને આત્મદ્રષ્ટિથી તમે અને હું એક જ છીએ જુદા નથી.
"पृथक्त्वेन उपासते ।"
હનુમાનજી મહારાજ અને રામજીના જીવનનો એક પ્રસંગ છે. રામજીએ પૂછ્યું, હનુમાનજી તમે મારી સેવા પરમભાવથી, દાસ્ય ભાવથી, પ્રેમ ભાવથી પણ કરો છો તમારા અને મારા વચ્ચે તમે કયા પ્રકારનો સંબંધ માનો છો તે વિસ્તારથી સમજાવો. હનુમાનજી તો "બુદ્ધિમતામ્ વરિષ્ઠમ" અત્યંત બુદ્ધિશાળી છે એટલે જ આપણે હનુમાન ચાલીસા રોજ સાંભળીએ છીએ થોડીક તો બુદ્ધિ આવે. "વિદ્યાવાન ગુની ચતુર રામ કાજ કરીને કો આતુર,"એવા છે હનુમાનજી જે રામ કાજ કરવા માટે આતુર છે અને પોતાના પાસેની બધી વિદ્યા, ગુણ, ચતુરાઈ એ બધું રામને અર્પણ કરવા માંગે છે તો આવા હનુમાનજીએ ભગવાને પૂછ્યું કે તમે કયા પ્રકારની ભૂમિકામાં મને પ્રશ્ન પૂછો છો તે બતાવો. દેહ દ્રષ્ટિએ? જીવદ્રષ્ટિથી કે આત્મદ્રષ્ટિથી?
દેહ દ્રષ્ટિએ પૂછો તો હું પરમાત્માનો સેવક છું, દાસ છું. જીવદ્રષ્ટિથી પૂછો તો હું આપનો એક અંશ છું અને આત્મદ્રષ્ટિથી પૂછો તો તમે અને હું જુદા નથી. એ પ્રકારે સુંદર ઉત્તર હનુમાનજી ભગવાને આપ્યો.
જે રીતે ગંગાજીમાંથી એક લોટો ભરીને આપણે પાણી લીધું તો બંનેના ગુણધર્મ એક સરખા જ છે એ જ રીતે દેહમાં બંધાયેલો આ પરમાત્માનો જ અંશ છે અને આત્મદ્રષ્ટિથી તમે અને હું એક જ છીએ જુદા નથી.
અહં(ઙ્) ક્રતુરહં(ય્ઁ) યજ્ઞઃ(સ્), સ્વધાહમહમૌષધમ્।
મન્ત્રોઽહમહમેવાજ્યમ્, અહમગ્નિરહં(મ્) હુતમ્॥૯.૧૬॥
ક્રતું એટલેકે શ્રોતકર્મ હું છું, યજ્ઞ એટલેકે પંચ મહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું, સ્વધા એટલેકે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું, ઔષધ હું છું, મંત્ર હું છું, ધૃત હું છું, અગ્નિ હું છું અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું.
સૃષ્ટિમાં ચાલનારા બધા યજ્ઞો અર્જુન મારા જ સ્વરૂપ છે. આપણે ત્રીજા અધ્યાયમાં "सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः"
યજ્ઞની સાથે જ આ સૃષ્ટિનું નિર્માણ બ્રહ્માજીએ કર્યું. આ પરસ્પરાવલંબી સૃષ્ટિ છે. એક બીજા પર નિર્ભર છે. આ યજ્ઞની સંકલ્પનામાં સમાહિત છે. યજ્ઞ એટલે કે સંગઠિત રૂપે સૃષ્ટિના કલ્યાણ માટે કરવામાં આવેલું કોઈપણ કાર્ય.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
"आता विश्वात्मके दओषए ,जेणेज् ज्ञानयज्ञ ।"
આ વાણીનો યજ્ઞ છે, આ વિશ્વાત્મક પરમાત્મા મારી વાણીથી સંતુષ્ટ થઈ જાય.
આપણે કહીએ છીએ કે ગીતાજીના આ મહાયજ્ઞમાં સૌએ પોતાની આહુતિ આપવી જોઈએ, સૌએ મળીને જે શક્ય હોય તે કરીને પોતાની ક્ષમતા પ્રમાણે આહુતિ આપવી જોઈએ. યજ્ઞ એ મારું જ સ્વરૂપ છે. ક્રતુ એટલે શ્રોત, સ્માર્ત વગેરે વેદોક્ત યજ્ઞ. જ્યારે પિતૃઓને આહુતિ આપવામાં આવે ત્યારે સ્વધા બોલવામાં આવે છે અને સ્વાહા એ દેવતાઓને આહુતિ આપતી વખતે બોલવામાં આવે છે. પણ આ સૃષ્ટિમાં મોટા મોટા યજ્ઞ થાય છે જેમ કેવિજળી વિભાગમાં કોલસામાંથી વીજળી ઉત્પન્ન થાય ત્યાં સુધી એટલું મોટું કામ થાય છે અથવા ઔષધી નિર્માણ કરવાના કારખાનામાં પણ કેટલું મોટું કાર્ય થાય છે. આ આખી સૃષ્ટિ યજ્ઞથી ચાલે છે. આ યજ્ઞનું નિર્માણ પરમાત્માએ કર્યું, પરમાત્મા સ્વયં જ યજ્ઞ સ્વરૂપ છે. એમાં જે પણ ઔષધીનો પ્રયોગ કરાય છે તે ઔષધી પરમાત્માએ બનાવી છે, વીજળી નિર્માણ કરતી વખતે જે કોલસો, પાણી વગેરેની જરૂર હોય તે કાંઈ આપણે નથી નિર્માણ કરી શકતા. જે પણ હોય ભગવાને કર્યું છે એટલે એમાં ઉપયોગમાં આવેલ જે પણ ઘટકો છે તે પરમાત્મા સ્વરૂપ જ છે. એના માટે જે મંત્રોનો ઉપયોગ થાય તે પણ પરમાત્મા જ છે. અથવા જે પણ ફોર્મ્યુલા બનાવવામાં આવે છે તે પણ પરમાત્મા જ છે, ઘી પણ પરમાત્મા જ છે, જેમાં આહુતિ આપવામાં આવે તે અગ્નિ અને હૂતમ એટલે કે સંપૂર્ણ હવનની ક્રિયા છે તે પણ પરમાત્મા જ છે. આ સંપૂર્ણ યજ્ઞની પ્રક્રિયામાં જેનો જેનો ઉપયોગ થાય છે એ પરમાત્મા જ છે.
"अहम् "માં અ થી શરૂ થઈને મ સુધી સંપૂર્ણ વર્ણમાળાના અક્ષરો બધા પરમાત્માના જ સ્વરૂપ છે. પરીક્ષામાં ક્યારેક આપણે પેપર લખીએ ત્યારે પેપર,પેન પણ પરમાત્મા જ છે ,લખું છું પણ હું જ આમ જ સંપૂર્ણ સૃષ્ટિમાં પરમાત્માનો વાસ છે એવું ભગવાન કહે છે. હવે મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે પરમાત્માની સૃષ્ટિ પરમાત્માએ નિર્માણ કરી તો પરમાત્માને કોણે નિર્માણ કર્યા? મનમાં આવેલા આ પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે આગળના શ્લોકમાં.
પિતાહમસ્ય જગતો, માતા ધાતા પિતામહઃ।
વેદ્યં(મ્) પવિત્રમોઙ્કાર, ઋક્સામ યજુરેવ ચ॥૯.૧૭॥
આ સકળ જગતનો ધાતા એટલેકે ધારણ કરનાર, કર્મોનાં ફળને આપનાર, પિતા, માતા, દાદા, જે જાણવા યોગ્ય છે એ તત્ત્વ, પવિત્ર ૐકાર, તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું.
ભગવાન કહે છે કે આ પૃથ્વીને ધારણ કરનાર હું જ છું. આપણને ગુરુત્વાકર્ષણના માધ્યમથી પૃથ્વીએ ધારણ કર્યા છે અને પૃથ્વીને સુરજ ભગવાને ધારણ કરી છે. સુરજ ભગવાનની પરિક્રમા પૃથ્વી કરે છે, સુરજ ભગવાન પણ પોતાના ગ્રહોને લઈને કોઈ કેન્દ્રની પરિક્રમા કરે છે તો આ સંપૂર્ણ રીતે નિયામકરૂપમાં ચાલનાર સંસારમાં કેટલી પરિક્રમાઓ નિયમિતરૂપે ચાલે છે અને એકની કક્ષા બીજાની કક્ષા સાથે ભેગી થતી નથી. એટલી નિયામકતાથી આ સંસાર ચાલે છે. ભગવાન કહે છે, મેં આ જગતને ધારણ કર્યું છે, હું એનો પિતા એટલે જે બીજ આપનાર છે તે પણ હું છું, માતા પણ હું છું. એમનાથી ઉત્પન્ન થનાર જગત પણ પરમાત્મા સ્વરૂપ જ છે. ભગવાન આગળ કહે છે જ પિતામહ પણ હું જ છું. એટલે ભગવાનને કોણે બનાવ્યા? આ પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. એ સંસારના નિમિત્ત કારણ છે એ સ્વયંભૂ છે. જે ઘડો બનાવે છે એ કુંભાર ઘડાનું નિમિત્ત કારણ છે, માટી ઉપાદાન કારણ છે અને ઘડો નિર્મિત છે. આ રીતે આ જગતમાં માતા ઉપાદાન કારણ છે, પિતાએ નિમિત્ત કારણ છે અને જગત એની નિર્મિત એક ફળ છે, પણ આ ત્રણેય પણ પરમાત્મા જ છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ તથા ફળ એ ત્રણેય એક જ છે. अ, ऊ, म થી બનતો પવિત્ર ओमकार; अ એટલે બ્રહ્મા જે નિર્માણ કરે છે, ऊ એટલે શંકર જે સંહાર કરે છે અને મ એટલે વિષ્ણુ જે પાલન કરે છે. નિર્મિતી કરનાર, પાલન કરનાર અને સંહાર કરનાર હું જ છું. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ ત્રણેય વેદ હું જ છું. વેદો મારા નિશ્વાસ છે અને સૃષ્ટિનું સંવિધાન છે એટલે પરમાત્મા વેધ છે. વેધ એટલે જેમને જાણવા જોઈએ. આપણે મનુષ્ય જન્મ લઈને સૃષ્ટિમાં આવ્યા છીએ પણ આપણને આપણા પોતાના સ્વરૂપની ઓળખાણ નથી, પરમાત્મા અને સૃષ્ટિકર્તા સાથે આપણો શું સંબંધ છે એ પણ આપણને ખબર નથી.
જે રીતે ચિન્મયાનંદજી મહારાજે કહ્યું કે જેમ પરીક્ષા હોય તો એક પ્રશ્ન ફરજિયાત છે અને બાકીના પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. હવે જો આપણે બીજા પ્રશ્નોના જવાબ આપવામાં રહ્યા અને ફરજિયાતવાળો પ્રશ્ન રહી ગયો. જીવનના અંત સમયે બધું જ કરી લીધું પણ જે કરવાની જરૂર હતી તે ના કર્યું .બીજી બધી સમસ્યાઓનો હલ કરવામાં રહ્યા, પણ જે વેદ્ય છે, જે જાણવાની જરૂર છે તે જ બાકી રહી ગયું. જે રીતે આપણે બહારગામ જવું હોય, કોઈ રેલવે સ્ટેશને આપણે જઈએ અને રેલવે માસ્તરની સાથે આપણી ઓળખાણ છે, તો આપણને કોઈ તકલીફ નથી પડતી. ક્યાંથી ક્યાં જવું, કઈ ગાડી આવશે વગેરે બધી વાતોની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ફેકટરીના મેનેજિંગ ડિરેક્ટરની ઓળખાણ છે, કોઈ રાજ્યમાં પ્રાઇમ મિનિસ્ટરની ઓળખાણ છે તો કોઈ તકલીફ નથી. એ રીતે આ સૃષ્ટિની રચના કરનાર સર્વોપરી પરમાત્માને ઓળખવા, જાણવા અને જાણ્યા બાદ બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે એટલે હે અર્જુન પવિત્ર ઓમકાર, રુકક્ષામ અને યજુર્વેદને જાણવું જોઈએ.
ગતિર્ભર્તા પ્રભુઃ(સ્) સાક્ષી, નિવાસઃ(શ્) શરણં(મ્) સુહૃત્।
પ્રભવઃ(ફ્) પ્રલયઃ(સ્) સ્થાનં(ન્), નિધાનં(મ્) બીજમવ્યયમ્॥૯.૧૮॥
પરમપદસ્વરૂપ પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ- અશુભ ને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઇચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ-પ્રલય નો હેતુ, સ્થિતિ નો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું.
जो मज होय अनन्य शरण । त्याचें निवारी मी जन्ममरण ।
यालागीं शरणागता शरण्य । मीचि एकु ॥ २८८ ॥
પરમાત્મા સુધી પહોંચવા માટે એક ગતિ, એક સ્પીડ જોઈએ . ગતિનો અર્થ માર્ગ પણ છે અને ગંતવ્ય પણ છે. આ ગતિ કોને માટે છે? પરમાત્મા માટે છે. જીવનનું ગંતવ્ય શું છે અને એના સુધી પહોંચવાનો માર્ગ કયો છે? તો એ પણ પરમાત્મા જ છે. ભર્તા એટલે સૌનું ભરણપોષણ કરનારા, સૌના સ્વામી, સાક્ષી તટસ્થ ભાવથી બધા જીવોનું અવલોકન કરનારા છે, બધાના સાક્ષી, બધાનું નિવાસસ્થાન, શરણે જવા જેવા અને સુહૃદ એટલે સૌનું હિત કરનારા એટલે કે સારા મિત્ર જેની સાથે સુંદર સમય વીત્યો છે, જેના અંતરંગને જાણવાની કોશિશ કરી છે એવા ભગવાન સુહૃદ છે. એમની સાથે વચ્ચે વચ્ચે એકાકાર થવું પડે છે એમની ભક્તિ કરવી પડે છે.
विभक्त नव्हे तो भक्त.
એવી ભક્તિ કરવી જોઈએ. પ્રભુ એટલે ઉત્પત્તિ અને પ્રલય એટલે વિલીન થવું. ઉત્પત્તિ પણ થાય અને વિલીન પણ થાય. સૃષ્ટિની ઉત્પત્તિ પણ થાય છે વિલિન પણ થાય છે અને સ્થાન એટલે એમનું વિષ્ણુ રૂપે ભરણપોષણ પણ કરે છે એટલે વિષ્ણુ પાલનકર્તા છે. જ્યારે કોઈ સમસ્યા હોય તો વિષ્ણુજીની આરાધના કરવી. જ્યારે સૃષ્ટિથી વૈરાગ્ય જોઈએ તો શિવજીની આરાધના કરવી. એટલે બ્રહ્મા, વિષ્ણુ મહેશ એ સૃષ્ટિના નિયામક, નિયંતાના રૂપમાં છે. દત્તાત્રેય ભગવાનની આરાધના આપણે કરીએ છીએ. નિધાન એટલે જ્યાં બધું ધન ભેગું થાય છે એટલે કે ખજાનો. આથી અવિનાશી બીજ પણ હું જ છું, રહેવાની જગ્યા પણ હું છું, શરણે જવા જેવો પણ હું જ છું. હું સૌનો સુહૃદ મિત્ર છું. મારા માટે આ જીવને ગતિ છે, હું સૌનું ભરણ પોષણ કરનાર છું, સૌને તટસ્થતાથી જોવાવાળો છું. સાક્ષી છું. હું પ્રભાવ, પ્રલય અને સ્થાન પણ છું અને અવ્યય બીજ પણ છું. આ રીતે ભગવાન પોતાનું વર્ણન કરે છે.
પરમાત્મા સુધી પહોંચવા માટે એક ગતિ, એક સ્પીડ જોઈએ . ગતિનો અર્થ માર્ગ પણ છે અને ગંતવ્ય પણ છે. આ ગતિ કોને માટે છે? પરમાત્મા માટે છે. જીવનનું ગંતવ્ય શું છે અને એના સુધી પહોંચવાનો માર્ગ કયો છે? તો એ પણ પરમાત્મા જ છે. ભર્તા એટલે સૌનું ભરણપોષણ કરનારા, સૌના સ્વામી, સાક્ષી તટસ્થ ભાવથી બધા જીવોનું અવલોકન કરનારા છે, બધાના સાક્ષી, બધાનું નિવાસસ્થાન, શરણે જવા જેવા અને સુહૃદ એટલે સૌનું હિત કરનારા એટલે કે સારા મિત્ર જેની સાથે સુંદર સમય વીત્યો છે, જેના અંતરંગને જાણવાની કોશિશ કરી છે એવા ભગવાન સુહૃદ છે. એમની સાથે વચ્ચે વચ્ચે એકાકાર થવું પડે છે એમની ભક્તિ કરવી પડે છે.
विभक्त नव्हे तो भक्त.
એવી ભક્તિ કરવી જોઈએ. પ્રભુ એટલે ઉત્પત્તિ અને પ્રલય એટલે વિલીન થવું. ઉત્પત્તિ પણ થાય અને વિલીન પણ થાય. સૃષ્ટિની ઉત્પત્તિ પણ થાય છે વિલિન પણ થાય છે અને સ્થાન એટલે એમનું વિષ્ણુ રૂપે ભરણપોષણ પણ કરે છે એટલે વિષ્ણુ પાલનકર્તા છે. જ્યારે કોઈ સમસ્યા હોય તો વિષ્ણુજીની આરાધના કરવી. જ્યારે સૃષ્ટિથી વૈરાગ્ય જોઈએ તો શિવજીની આરાધના કરવી. એટલે બ્રહ્મા, વિષ્ણુ મહેશ એ સૃષ્ટિના નિયામક, નિયંતાના રૂપમાં છે. દત્તાત્રેય ભગવાનની આરાધના આપણે કરીએ છીએ. નિધાન એટલે જ્યાં બધું ધન ભેગું થાય છે એટલે કે ખજાનો. આથી અવિનાશી બીજ પણ હું જ છું, રહેવાની જગ્યા પણ હું છું, શરણે જવા જેવો પણ હું જ છું. હું સૌનો સુહૃદ મિત્ર છું. મારા માટે આ જીવને ગતિ છે, હું સૌનું ભરણ પોષણ કરનાર છું, સૌને તટસ્થતાથી જોવાવાળો છું. સાક્ષી છું. હું પ્રભાવ, પ્રલય અને સ્થાન પણ છું અને અવ્યય બીજ પણ છું. આ રીતે ભગવાન પોતાનું વર્ણન કરે છે.
તપામ્યહમહં(વ્ઁ) વર્ષં(ન્), નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ।
અમૃતં(ઞ્) ચૈવ મૃત્યુશ્ચ, સદસચ્ચાહમર્જુન॥૯.૧૯॥
હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું; હે અર્જુન! હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત્- અસત્ પણ હું જ છું.
હે અર્જુન, સૂર્યના રૂપે હું તાપ, ઉષ્ણતા આપું છું .હવે આ બાષ્પીભવનની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે જુઓ. અત્યારે ઉનાળો હતો, કઈ રીતે આપણે પાણી માટે તરસતા હતા. અહીં નાગપુરમાં તો ક્યારે પાણી આવે એની વાટ જોતા હતા. પાણી ના આવ્યું તો આંખમાંથી પાણી આવી જાય છે. પ્રભુ કહે છે કે હું તાપ આપું છું અને સાગરના પાણીને ખેંચીને લઉં છું પછી એનો વર્ષાવ કરું છું. પાણીના રૂપમાં ભગવાનની સૃષ્ટિની કેટલી સુંદર રચના છે! એક દાણામાંથી લાખો દાણા ભગવાને ઉત્પન્ન કર્યા અને ભગવાન કહે છે કે હું અમૃત પણ છું અને મૃત્યુ પણ છું. આપણે બે વસ્તુથી બનેલા છીએ, એક આપણો દેહ અને બીજું આપણી અંદરનું અવિનાશી ચેતનતત્ત્વ જે આપણને બધા કાર્યો કરાવી રહ્યું છે, આપણે જેને લીધે જોઈ શકીએ છીએ કે ચાલી શકીએ છીએ, ફરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. જો દીવાની જ્યોત પર આપણી આંગળી રાખીએ તો ખૂબ પીડા થાય છે અને આપણે તરત જ આંગળી ખસેડી લઈએ છીએ તો એ આ ચૈતન્યતત્ત્વને લીધે જ. જે આપણે માટે અમૃત સમાન છે. હું અમૃત પણ છું, મૃત્યુ પણ છું; હું સ્થૂળ પણ છું અને સૂક્ષ્મ પણ છું. સ્થૂળથી અલગ સૂક્ષ્મ તત્ત્વ પણ છું અને સત અને અસત પણ છું, અસત એટલે જે સત્ય નથી એવું નથી .
સત્યથી અલગ પણ જે સૃષ્ટિ છે હવે આપણને જે આંખોથી દેખાય છે તે જ સત્ય છે તેવું નથી એનાથી અલગ પણ જે સૃષ્ટિ છે તે હું છું.
અહીં જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
"अक्षर तू सदाशिवा तुचि सत् असत् देवा ।"
તું અક્ષર છે, તું સદા શિવ છે. જે પાશબદ્ધ છે તે જીવો છે અને પાશમુક્ત છે તે સદાશિવ છે. આ માટે તું સત્ પણ છે અસત્ પણ તું જ છે. ઇન્દ્રિયગોચર પણ છે અને એનાથી અલિપ્ત પણ છે. તું સ્થૂળ પણ છે સૂક્ષ્મ પણ છે અને આ બધાથી પર એ પણ તું જ છે.
ત્રૈવિદ્યા માં(મ્) સોમપાઃ(ફ્) પૂતપાપા,
યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં(મ્) પ્રાર્થયન્તે।
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ્,
અશ્નન્તિ દિવ્યાન્દિવિ દેવભોગાન્॥૯.૨૦॥
ત્રણેય વેદોમાં વિધાન કરાયેલાં સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે, એ માણસો પોતાનાં પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે.
9.20 writeup
તે તં(મ્) ભુક્ત્વા સ્વર્ગલોકં(વ્ઁ) વિશાલં(ઙ્),
ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં(વ્ઁ) વિશન્તિ।
એવં(ન્) ત્રયીધર્મમનુપ્રપન્ના,
ગતાગતં(ઙ્) કામકામા લભન્તે॥૯.૨૧॥
તેઓએ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુ લોકમાં પાછા આવે છે; આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિનાં સાધન ભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા, તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન-આગમનને પામે છે એટલેકે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુ લોકમાં આવે છે.
યજ્ઞ કરતા કરતા ભગવાનની આરાધના તો કરીએ છીએ, પણ પરમાત્માની પ્રાપ્તિ માટે નથી કરતા. ભોગવિલાસની પ્રાપ્તિ માટે પણ કરે છે. દેવતાઓ વરદાન પણ આપે છે અને સૃષ્ટિની સંચાલન કરનારી અનેક શક્તિઓ છે એ શક્તિઓ આપણને વરદાન આપે છે. લૌકિક જીવનના અભ્યુદય માટે નિયમ અનુસાર આરાધના કરીએ એ કોઈ ખોટું નથી પણ ત્યાં જ અટકી રહેવું યોગ્ય નથી. ભગવાન કહે છે કે હે અર્જુન! ત્રણેય વેદોમાં જે રીતે સકામ આરાધના કહેવામાં આવી છે તે કરવી જોઈએ કારણ કે એ આપણી વૈદિક સંસ્કૃતિ છે અને વેદ આપણી સૃષ્ટિનું સંવિધાન છે તો આ જીવનમાં આપણને કોઈ મુશ્કેલી કે અડચણ આવે તો આપણે પૂજા અર્ચના કરવી જોઈએ. પણ વેદોમાં બતાવેલા સકામ કર્મકાંડોમાં રચ્યાપચ્યા જે લોકો હોય છે તેઓ સોમરસનું પ્રાસન કરે છે. અહીં સોમ એટલે શરાબ નહીં પણ સોમ એટલે ચંદ્રમા. ચંદ્રમા આપણી સૃષ્ટિની વનસ્પતિઓનું પોષણ કરીને ઔષધી પ્રદાન કરે છે. આમ ચંદ્રથી પુષ્ટિ પામેલ સારી વનસ્પતિઓનું સેવન કરવાવાળા, સારું અન્ન ગ્રહણ કરવાવાળા સમૃદ્ધ લોકો જે પવિત્ર પણ છે, પાપ રહિત પણ છે. યજ્ઞ પણ કરે છે એનાથી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. સારું જીવન પ્રાપ્ત થાય, આવતો જન્મ પણ સંપન્ન કુળમાં પ્રાપ્ત થાય આ પુણ્યને માટે ભગવાનની આરાધના કરતા કરતા હે અર્જુન! દેહ છોડ્યા પછી સુરેન્દ્રલોકની પણ તેમને પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગમાં જે દિવ્ય ભોગો છે તેનો આસ્વાદ માણે છે.
ત્યાં વિશાળ સ્વર્ગલોકમાં ભોગ ભોગવ્યા પછી જેવું એમનું પુણ્ય ક્ષીણ થાય છે કે સમાપ્ત થાય છે તો ફરી મૃત્યુલોકમાં આવે છે. એ રીતે વેદોમાં બતાવેલા કર્મકાંડનો આશ્રય લઈને વારંવાર મૃત્યુલોકમાં પાછા આવે છે. જે પ્રકારે જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે,
“ मग तया पुण्यांची पाउटी सरे । सवेंचि इंद्रपणाची उटी उतरे ।
आणि येऊं लागती माघारे ॥”
પુણ્ય સમાપ્ત થાય તો ઈન્દ્રને પણ આસન છોડવું પડે છે. જે રીતે આપણા બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ હોય ત્યાં સુધી આપણે ફાઇવ સ્ટાર હોટલમાં જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે ત્યાં રહી શકાય, જ્યાં સુધી આપણા બેંક એકાઉન્ટમાં બેલેન્સ છે અને પછી બિલ ભરવાની આપણી ક્ષમતા ન હોય તો આપણો સામાન એ લોકો બહાર જ મૂકી દે છે. એટલે જ પુણ્ય સમાપ્ત થાય તો વારંવાર મૃત્યુલોકમાં આવવું પડે છે. અમેરિકામાં આપણા વિઝા જ્યાં સુધી હોય ત્યાં સુધી જ આપણે રહી શકીએ છીએ એ જ રીતે વારંવાર એ ભગવાન સુધી નથી પહોંચતા .વારંવાર વાસનાઓને કારણે અહીં એમનું આવવા જવાનું ચાલ્યા જ કરે છે. ભગવાનની તત્ત્વજ્ઞાન પ્રધાન ભાષા આ શ્લોકથી બદલાઈ જાય છે અને એ મંગલમય શ્લોક ભગવાનના મુખારવિંદથી પ્રવાહીત થાય છે જે ભગવાન સુધી પહોંચે છે અનન્ય ભાવથી.
તો પછી ભગવાન સુધી કોણ પહોંચે છે કોણ ભગવાનની સાથે નિત્ય યુક્ત થાય છે કોના યોગક્ષેમ ની જવાબદારી ભગવાન સ્વયં વહન કરે છે મારા સુધી પહોંચવા વાળા ભગવાનના અનન્ય ભક્ત કેવા હોય છે એ આપણે આવતા વિવેચન સત્રમાં જોઈશું.
વિવેચનની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું.
પ્રશ્નોત્તરી
પ્રશ્નકર્તા - કોમલ દીદી
પ્રશ્ન - શ્રીકૃષ્ણના નામનો શું અર્થ છે?
ઉત્તર - શ્રીકૃષ્ણના તો અનેક નામ છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં જ તેમના સહસ્ત્ર નામનો ઉલ્લેખ છે. કૃષ્ણના બે અર્થ છે એક તે શામળા છે અને બીજા જે પોતાની તરફ આકર્ષિત કરે છે. એકવાર તેમનું આકર્ષણ આપણા મનમાં થઈ જાય પછી તેમની સુંદર મૂર્તિ, તેમની વાંસળી ધારણ કરવાની રીત, તેમના પગને આંટી મારીને ઊભા રહેવાની સ્થિતિ, તેમના શીશ પર મુગટ અને તે મુગટ પર મોરનું પીછું એ બધું જ આપણને તેમની તરફ આકર્ષિત કરી લે છે તેથી તેમનું નામ શ્રી કૃષ્ણ છે.
પ્રશ્નકર્તા - કોમલ દીદી
પ્રશ્ન - ભગવાન દેખાતા નથી તો શું ભગવાન નથી?
ઉત્તર - દરેક વસ્તુમાં, વ્યક્તિમાં ભગવાન છે. તે જ આ સૃષ્ટિનું નિર્માણ કરે છે, તેથી તે દરેકમાં પરમાત્મા રૂપે છે, પરંતુ તે સૂક્ષ્મ રૂપથી સંતાયેલ છે, આપણને માત્ર સ્થૂળ રૂપ જ દેખાય છે જે પ્રકાર વૃક્ષ બીજથી ઉત્પન્ન થાય છે, પરંતુ તે વૃક્ષમાં તે બીજ દેખાતું નથી એ પ્રકારે જેનાથી નિર્મિત હોય છે તે છુપાઈ જાય છે. વીજળી કોલસા અને પાણીથી ઉત્પન્ન થાય છે પરંતુ વીજળીમાં કોલસા કે પાણી દેખાતા નથી.
પ્રશ્નકર્તા - અનિતા દીદી
પ્રશ્ન - क्षीणे पुण्ये નો અર્થ શું?
ઉત્તર - આપણે બીજાની સહાયતા કરવાવાળા જે પણ સારા કર્મ કરીએ છીએ તેનાથી પુણ્ય અર્ચિત થાય છે. અને બીજાને કષ્ટ પહોંચાડનાર પ્રત્યેક કુકર્મથી પાપ સંચિત થાય છે, પુણ્ય અને પાપ આપણા ખાતામાં રહે છે પુણ્યના બદલે જેટલા ભોગ આપણે લઈએ છીએ તેટલા જ પુણ્ય ક્ષીણ થાય છે, અને પછી ભોગ ભોગવી ને મૃત્યુલોકમાં જવું પડે છે. મૃત્યુલોકમાં પણ જેની પાસે ખૂબ જ ભોગ અને સુખ સુવિધા હોય છે તે પણ ગમે ત્યારે તો સમાપ્ત થાય જ છે.
પ્રશ્નકર્તા – અનિતા દીદી
પ્રશ્ન - લોકો કહે છે કે પૂર્વ જન્મના પાપ આપણને આ જન્મમાં ભોગવવા પડે છે? કેવી રીતે?
ઉત્તર - પૂર્વ જન્મના પાપ જ નહીં પરંતુ આપણે પુણ્ય પણ ભોગવીએ છીએ, પુણ્યના કારણે જ આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે, કોઈ આપણને ખરાબ કહે તો આપણું કર્તવ્ય છે કે આપણે તેને ક્ષમા કરી દઈએ, અને જો આપણે દ્વેષ કરીશું તો આપણા ખાતામાં ફરીથી પાપ રહી જશે. સંત મહાત્માના જીવનથી ક્ષમા કરવાનું શીખવું જોઈએ. ભગવાન પાસે બીજાને ક્ષમા કરવાની શક્તિ માંગવી જોઈએ. બીજાના માત્ર ગુણોનું ચિંતન કરો. તમે તેના દોષોનું ચિંતન કરશો તો તે દોષ આપણી અંદર પણ પ્રવેશ કરે છે. જ્યારે કષ્ટ આવે ત્યારે એ માનવું કે ભગવાનની કૃપાથી આ કષ્ટ આપણને મળેલ છે જેનાથી સૃષ્ટિની સાથે સંબંધ વિચ્છેદ થઈને સૃષ્ટિ કરતાની સાથે સંબંધ બને.
પ્રશ્નકર્તા - મીનાક્ષી દીદી
પ્રશ્ન - તત્વજ્ઞાનને વાંચતા વાંચતા પૂજામાં મન લાગતું ઓછું થઈ ગયું છે શું આ ખોટું થઈ રહ્યું છે? કે મને ઉદાસીનતા આવી રહી છે?
ઉત્તર - તમે સકામ ઉપાસનાથી ધીરે ધીરે નિષ્કામ ઉપાસનાની તરફ વધી રહ્યા છે આ સારી વાત છે, પરંતુ મન સગુણાકારની ઉપાસના કર્યા વગર નથી રહી શકતું, ભગવાનને કંઈક ને કંઈક અર્પિત કર્યા વગર રહેવું ન જોઈએ, તેનાથી ભગવાનની સાથે જોડાયેલા રહીએ છીએ, પૂજા અને પાઠ બંને કરતા રહેવું જોઈએ.
પ્રશ્નકર્તા – કનકલતા દીદી
પ્રશ્ન - વારંવાર ક્ષમા કરવા છતાં દોષી સ્વયમને નિર્દોષ માનવા લાગે છે તો શું ક્ષમા કરવું ઠીક છે?
ઉત્તર - ક્ષમા આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી અંદરની પીડા શાંત થઈ જાય. ક્ષમા એવી રીતે કરવી જોઈએ કે બીજાને પોતાની ભૂલનું જ્ઞાત થાય.
એક સાધુ એક જંગલથી પસાર થઈ રહ્યા હતા. એક સાપ સાધુની શરણમાં આવ્યો, સાધુએ તેને ઉપદેશ આપ્યો કે તું લોકોને ડંખ મારવાનું બંધ કરી દે તેણે સાધુના ઉપદેશનું પાલન કર્યું, થોડા સમય બાદ તે સાધુ ફરીથી તે જંગલમાં આવ્યા તો તેમણે જોયું કે સાપ લોહી લુહાણ થઈને પડ્યો હતો, તેમણે સાપને તેની આ હાલત વિશે પૂછ્યું તો તેને કહ્યું કે મેં બીજાને ડંખ મારવાનું છોડી દીધું તો લોકોએ મને ડંડા અને પથ્થરો મારવાનું શરૂ કરી દીધું, સાધુએ સમજાવ્યું કે મેં તને કહ્યું હતું કે તું કોઈને ડંખ ન માર પરંતુ તેનો અર્થ એ નથી થતો કે તું ફૂંફાડા મારવાનું પણ બંધ કરી દે, કોઈ તમારી ઉપર અન્યાય કરે તો તમારે તેનો પ્રતિકાર ન કરો એવું તો શક્ય નથી
પ્રશ્નકર્તા - ગોવિંદ ભૈયા
પ્રશ્ન - ગીતાજી અને જ્ઞાનેશ્વરીનો શું સંબંધ છે?
ઉત્તર - ગીતાજી અને જ્ઞાનેશ્વરીમાં ખૂબ જ વિશેષણ સંબંધ છે. પુનાની પાસે આળંદી નામનું સ્થાન છે, જ્યાં જ્ઞાનેશ્વર મહારાજની સંજીવન સમાધિ છે. જ્ઞાનેશ્વર મહારાજે પોતાના ગુરુની કૃપાથી ગીતા પર જે ભાષા પોતાના મુખેથી કહી તે જ્ઞાનેશ્વરી કહેવાય છે. ગીતાના વિવેચનના તેમણે કાવ્યના રૂપમાં ૯૦૦૦ પદોમાં આપ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના પરસ્પર વાર્તાલાપ અને તેમના સંબંધ, મનોભાવોને જેટલા સુસ્પષ્ટ રૂપથી જ્ઞાનેશ્વરીમાં દર્શાવ્યા છે તેટલા અન્ય કોઈ ગ્રંથમાં નથી મળતા, એટલે જ્ઞાનેશ્વરી ગીતાના ભાષ્ય હોવા ઉપરાંત એક સ્વતંત્ર સુંદર આત્માનુંભૂતિનો ગ્રંથ છે, અને અસીમ શાંતિ પ્રદાન કરે છે, સંત જ્ઞાનેશ્વર કહે છે ગીતાના નિમિત્ત મારા અંતરંગની અંદરના આત્માનંદને પ્રવાહીત કરવા માટે શ્રોતાઓને શાંતિ પ્રદાન કરવા માટે આ મારા મુખરવિંદથી પ્રવાહીત થયેલ છે.
સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સંપૂર્ણ થયું અને પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચન સત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥
સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સંપૂર્ણ થયું અને પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચન સત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥