विवेचन सारांश
દૈવી અને આસુરી સંપદા
૧- અધ્યાય ૨માં સ્થિતપ્રજ્ઞના લક્ષણ
૨- અધ્યાય ૧૨માં ભક્તના લક્ષણ
૩- અધ્યાય ૧૪માં ગુણાતીતના લક્ષણ
૪- અધ્યાય ૧૬માં દૈવી અને આસુરી પ્રકૃતિના લક્ષણ
ભગવાન કહે છે કે આનાથી આપણે ક્યાં સ્થિત છીએ તેનું મૂલ્યાંકન કરી શકીએ. આ અધ્યાયના પહેલા શ્લોકમાં જે નવ ગુણની ચર્ચા કરી તે બધા ગુણો પ્રત્યેક મનુષ્યની અંદર વિદ્યમાન હોય છે, પરંતુ તેની માત્રા અલગ-અલગ હોય છે, કોઈની અંદર ન તો શૂન્ય હોય છે કે ન તો શત પ્રતિશત હોય છે. મારામાં કયા ગુણ ઓછા છે અને તેને વધારવાના છે તેવો વિચાર કરો. આપણે બધાએ કંઈક ને કંઈક દાન આપ્યું છે, કોઈના કહેવાથી કે કોઈના દબાવને લઈને આપણે દાન આપ્યું હશે, હવે આપણે સ્વેચ્છાએ, ઉપકારની ભાવના રાખ્યા વગર દાન આપવાની પ્રવૃત્તિને વધારવી જોઈએ, આ પ્રકારે ધીમે-ધીમે બધા ૨૬ ગુણોને આપણામાં વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ.
16.2
અહિંસા સત્યમક્રોધઃ(સ્), ત્યાગઃ(શ્) શાન્તિરપૈશુનમ્।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં(મ્), માર્દવં(મ્) હ્રીરચાપલમ્॥૧૬.૨॥
“અપૈશુનમ્” એટલે કોઈની નિંદા, કુથલી કરવી નહીં, જેવી રીતે એક ઘાને ખોતરવાથી તે પાક ઉત્પન્ન કરે છે, તેમ નિંદા પણ એવી જ છે. આપણને ખબર જ છે કે કોઈ વાત ખુલશે તો એકબીજા પ્રત્યે દુઃખ થશે અને ક્રોધ આવશે તેમ છતાં પણ આપણે તેવું કરતા રહીએ છીએ.
ભગવાનને અર્જુનના બે ગુણ ખૂબ જ પ્રિય છે.
૧-અનઘ: અર્જુન પાપ રહિત છે.
૨-અનસુય: બીજાની નિંદા ન કરવી.
બીજાના દોષ ખબર પડે તો તેને પ્રગટ ન કરવા જોઈએ, જ્યાં સુધી આવશ્યક ન હોય અને આવશ્યક હોય તો પણ પ્રિય યુક્ત થઈને કહેવું જોઈએ, ભગવાન કહે છે દરેક પ્રાણી પ્રત્યે દયાનો ભાવ હોવો જોઈએ. બીજાના કાર્યો કરો પણ ઉપકારની ઈચ્છા ન રાખો. દયાના સમયે ઉપદેશ પણ ન આપવો જોઈએ, કારણકે તે વખતે ઉપદેશ એક ‘ઘા પર મીઠું’ નાખવાનું કામ કરે છે. કોઈ તકલીફમાં હોય તો તેને ઉપદેશ ન આપવા જોઈએ, તેનાથી અદયા થઈ જાય છે, મનુષ્યને જ નહિ પરંતુ પ્રાણીઓ પ્રત્યે પણ દયા હોવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં પહેલી રોટલી ગાયની, અંતિમ રોટલી કૂતરાને, ગળપણવાળી વસ્તુ નીચે ઢળી જાય તો તે કીડીને, પક્ષીને દાણા નાખવા વગેરેનું ચલણ છે, દયા માટે અમીરી-ગરીબી ન હોવી જોઈએ, દયા એક સ્વભાવગત ગુણ છે. આપણે એવા પણ લોકોને જોયા હશે કે ખાવાનું બનાવીને ગાડીમાં મૂકી મજૂરોમાં આપતા હોય છે.
“અલોલુપ્તમ” એટલે લાલચ ન હોવી જોઈએ કોઈ વસ્તુના પ્રતિ લાળ ન ટપકે તેને લોલુપ્તમ કહેવાય છે.
આપણે કોઈના ઘરે ગયા હોઈએ અને તેના પડદા જોયા હોય અને તેના પડદા ખૂબ જ સરસ હોય તો આપણે પડદાના વિષયમાં ચર્ચા કરવા લાગીએ છીએ અને પોતાના પડદા બદલવાનો વિચારમાં લાગી જઈએ છીએ. લોલુપતા આંખોમાં દેખાઈ જાય છે.
“માર્દવમ્” એટલે કોમળતા. રામજી કેટલા શક્તિશાળી છે, કૃષ્ણજી કેટલા બળવાન છે પરંતુ તેમની અંદર કોમળતા છે. ઘણા લોકોને જોઈશું તો અકડથી ચાલતા હશે, ચહેરા પર ક્રોધનો ભાવ હશે. આ બધા અદૈવીય ગુણ છે, ભગવાન કહે છે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવા પર લજ્જાનો ભાવ હોવો જોઈએ. ઘણા લોકો અશાસ્ત્રીય કાર્ય કરે છે તો પણ તેને સાચું સિદ્ધ કરવાની કોશિશ કરે છે. તે જ સમયે આસુરી પ્રવૃત્તિ થઈ જાય છે.
“અચાપલમ્” એટલે વ્યર્થ ચેષ્ટાનો અભાવ
રાજસ્થાનમાં એક ક્ષમારામ શાસ્ત્રી સંત છે જે છ કલાક એક જ આસનમાં બેસીને જરા પણ હાલ્યા-ડોલ્યા વગર રામાયણના પાઠ કરે છે. એકવાર પણ નજર ઉંચી કરીને કોઈની તરફ જોતા પણ નથી, એક સમાન વાણી અવિરત બોલે છે, અને આપણને એક કલાક પણ એક આસન પર બેસવાનું મુશ્કેલ થઈ જાય છે.
તેજઃ ક્ષમા ધૃતિઃ(શ્) શૌચમ્, અદ્રોહો નાતિમાનિતા।
ભવન્તિ સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતસ્ય ભારત॥૧૬.૩॥
અંગ્રેજીમાં કહેવત છે forgive and forget
સાચી ક્ષમા એ છે કે આપણને યાદ પણ નથી હોતું કે મેં ભૂતકાળમાં એને ક્ષમા કર્યા હતા.
“ધૃતિ”નો અર્થ છે ધૈર્ય આજના સમયમાં આની ખૂબ જ આવશ્યકતા છે.
જીવનમાં કેટલીક વાતો સમયની સાથે આવે છે. ગરબડ ૧૦૦ દિવસ કરી પરંતુ એક દિવસ સારો ગયો તો ધૈર્ય ખોઈ દઈએ છીએ. જીવનમાં કોઈ (શોર્ટકટ) ટૂંકો રસ્તો ન હોવો જોઈએ, ઉતાવળ પણ ન હોવી જોઈએ.
ધૈર્યથી કામ કરવું જોઈએ.
धीरे-धीरे रे मना धीरे सब कुछ होय|
माली सींचे सौ घड़ा ऋतु आये फल होय||
“ધારણા” અર્થાત સારી વાતને ધારણ કરવી.
“શૌચ”એટલે સુચિતા, પવિત્રતા. કોઈ મને પૂછે કે ઊઠવામાં મોડું થઈ જાય છે તો શું હું નહાયા વગર ભગવાનને ભોગ લગાવી દઉં? આ વર્જિત છે. બહાર અને અંદર બંનેની પવિત્રતા હોવી જોઈએ. પૂજનના નિયમ અનુસાર પહેલા આપણે પોતાને તિલક લગાવીએ છીએ, ત્યારબાદ ભગવાનને તિલક લગાવીએ છીએ, તેનો અર્થ એ થાય પહેલા આપણે પોતાની જાતને પવિત્ર કરો, ત્યારબાદ ઉપાસના કરો. ભગવાન કહે છે કે જીવનમાં કોઈના પ્રતિ દ્રોહ ન કરવો જોઈએ, કોઈએ મારા ઉપર અપકાર કર્યો હોય તો પણ તેના પ્રતિ મંગળની કામના હોવી જોઈએ.
“નાતિમાનીતા:” પોતાનામાં પૂજ્યતાનો અભિમાનનો અભાવ હોવો જોઈએ. અંતમાં ભગવાન કહે છે હે અર્જુન! આ બધા ગુણ દૈવીય સંપદાને લઈને ઉત્પન્ન થયેલા પુરુષના લક્ષણ છે. પોતે પોતાના ગુણોના આધાર પર પૂજનીય બનવું જોઈએ, વસ્ત્ર વગેરે દ્વારા નહીં.
દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥
ભગવાન કહે છે કે જે પોતાના વિષયમાં જ વાત કરે છે, જેમ કે હું સ્વસ્થ છું, હું સુંદર છું વગેરે. એ અભિમાનની શ્રેણીમાં આવે છે. જે મારી પાસે છે તેના વિષયમાં વાત કર્યા કરે છે તેને દર્પ કહેવાય છે, જેમ કે મારો પુત્ર સુંદર છે, મારો મોબાઇલ કિંમતી છે, મારી પત્ની ગુણવાન છે, વગેરે. ત્રીજા નંબરે આવે છે, જેની પાસે કાંઈ નથી છતાં પણ તેનો દેખાડો કરે છે તેને દંભ કહે છે, જેમ કે મહેમાનને દેખીને વધુ સમય પૂજા કરે છે, જોર જોરથી અવાજ કરતા સાથે પૂજા કરે છે અથવા મોલમાં ગયા હોય અને કોઈ શો રૂમમાં કારની સાથે ફોટો પડાવે છે, જેનાથી લોકોને ખબર પડે કે કાર મેં લીધી છે, આ બધું દંભ કહેવાય છે,ક્રોધ કરવો અને કઠોરતાનો ભાવ રાખો. મને ખબર નથી તથા જુઠું બોલવું અને જ્ઞાન હોવાનું વિશ્વાસ અપાવવો આ બધું આસુરી સંપદાને લઈને ઉત્પન્ન થયેલ પુરુષના લક્ષણ છે.
દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥
દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥
૧) દૈવી પ્રકૃતિવાળા અને
૨) આસુરી પ્રકૃતિવાળા
આ બંનેમાં દૈવી ગુણોવાળા મનુષ્યના વિષયમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું છે, હવે તું મને આસુરી ગુણોવાળા મનુષ્યના વિષયમાં વિસ્તારથી સાંભળ.
પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥
અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥
એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥
કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥
ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥
આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥
આપણે બધા જ્યારે નાના હતા ત્યારે કહેતા હતા કે બસ આ મળી ગયું હવે આગળ કઈ જોઈતું નથી, પરંતુ તેની પૂર્તિ થઈ ગયા બાદ બીજી માંગ માની પાસે કર્યા કરતા હતા, આમ આ પ્રકાર તે કદી પૂર્ણ થતી જ ન હતી. આજે પણ મોટા થઈને તે જ આશા આપણે તેનું રક્ષણ કરીએ છીએ,જે કદી તૃપ્ત થતી નથી, ભગવાન કહે છે, એ જુઠ્ઠા! મને ખબર છે.
એક પ્રસિદ્ધ રુસી લેખક લિયો સાઇબેરીયાની વાર્તા છે કે એક ખેડૂતની પાસે વધુ કઈ સમૃદ્ધિ ન હતી તેને કોઈકે કહ્યું કે સાઇબેરિયા એરિયામાં જતા રહો ત્યાં જમીન બહુ ખાલી પડી છે અને મફતમાં પણ મળી રહી છે તે ખેડૂત ત્યાં ગયો અને મુખીયાને મળ્યો. મુખિયા એ કહ્યું સવારે ઊઠીને ચાલજે અને સાંજ સુધી જેટલું તમે ચાલો અને જેટલો ઘેરાવો બનાવી લો તેટલી જમીન તમને મફતમાં મળશે, ખેડૂતે વિચાર્યું રાત્રે જ ખાવાનું પણ બનાવી લઉં છું અને પાણી પણ સાથે લઈ લઉં છું, સવારે વહેલા મારે ચાલી નીકળાય, રાતમાં આજ વિચારમાં ઊંઘ્યો પણ નહીં સવારે ચાલવાનું શરૂ કર્યું અને વિચાર્યું કે બપોર સુધી જેટલું ક્ષેત્ર ચલાય એટલું હું ચાલી લઈશ અને બપોર પછી બીજી બાજુ હું ચાલવાનું શરૂ કરી દઈશ સાંજ સુધીમાં પહોંચી જઈશ આગળ ગયો તો એક મોટુ તળાવ દેખાયું તેણે તેની પણ ગોળ ફરતા તેને ચાલવાનું શરૂ કર્યું ખાવા પીવાનું ફેંકી દીધું અને ખૂબ જ તેજ (ઝડપથી) દોડવાનું શરૂ કર્યું એટલમાં બપોરના બે વાગી ગયા અને થાકી ગયો પરંતુ ઈચ્છા ખૂબ જ બળવાન થતી જઈ રહી હતી. હાથ અને પગ બંનેથી પડતા અથડાતાં ચાલવા લાગ્યો. એટલો થાકી ગયો કે ત્યાં એક જગ્યા ઉપર બેસી ગયો. હવે તેનાથી બિલકુલ ચલાતું ન હતું, અંતમાં હૃદયની ગતિ રોકાઈ ગઈ અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો. આવી જ સ્થિતિ આપણા બધાની છે. પરિવાર માટે પોતાના સ્વાસ્થ્યને, પોતાની નિંદરને દાવ પર લગાવી દઈએ છીએ અને ભોગવવાના બધા જ સંસાધન હોવા છતાં આપણે ભોગવી શકતા નથી. આમ તે ખેડૂત જેવી સ્થિતિ આપણી પણ થતી જાય છે.
ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥
અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥
મને બધી સિદ્ધિઓ પ્રાપ્ત છે તથા હું જ બળવાન અને સુખી છું.
આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥
અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥
આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥
અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥
તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥
આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥
ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥
એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥
યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥
તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥
૧) મહાપુરુષ ના વચન
૨) ગુરુથી પ્રાપ્ત નિર્દેશ
૩) સત્સંગ
આ સાથે જ વિવેચનસત્ર સમાપ્ત થયું અને પ્રશ્નોત્તરીનું સત્ર શરું થયું.
પ્રશ્ન:. રેખાજી
ભૈયા હું ભગવાનને દરરોજ ભોગ ધરાવું છું તો તેમાં ડુંગળી અને લસણ ચાલી શકે?
જવાબ :
જેટલું થાય તે સારી વાત છે, જુઓ લસણ અને ડુંગળી તામસી છે, તે સારી વાત નથી. જો આપણે સાધનામાં જોડાઈએ તો તામસી પદાર્થનો ત્યાગ કરવો જોઈએ.ભગવાને ૧૭મા અધ્યાયમાં બતાવ્યું છે કે જે પદાર્થથી દુર્ગંધ આવે તે પદાર્થ તામસી છે અને તેનાથી દૂર રહેવું જોઈએ.
પ્રશ્ન: શિવરાજજી
આ પ્રશ્ન બધાને લાગુ પડે છે જેમ આપણે ભક્તિમાં લાગેલા છીએ અને ઊંઘમાં જો ભગવાનનું સ્મરણ કરીએ અને સૂઈ જઈએ તો ઊંઘ આવે છે અને સ્વપ્ન પણ આવે છે તો સ્વપ્ન કોઈને કહેવા જોઈએ કે નહીં?
જવાબ:
તમે કહો કે ના કહો તેની કોઈ કિંમત નથી. કહેવાથી આત્મભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી અહમ વધે છે. કહેવાથી આ એક નુકસાન છે.
પ્રશ્ન:
મને એમ થાય છે કે કહેવાથી સામેવાળાને પણ સારું લાગશે.
જવાબ :
જો આ ભાવનાથી બતાવો તો તેમાં કોઈ આપત્તિ નથી અને તે સારી વાત છે.
પ્રશ્ન: ગૌરીજી
મારો પ્રશ્ન છે કે અંતઃકરણમાં મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત શું છે, એમાંથી ચિત્ત શું છે?
જવાબ :
ચિત્ત ધારણા કરે છે. મન સંકલ્પ-વિકલ્પ કરે છે અને જે નિર્ણય કરે તેને બુદ્ધિ કહેવાય છે. જ્યારે ધારણા કરે જેમ કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, તેને ચિત્ત કહેવાય છે. જ્યારે સ્વયંની અનુભૂતિ કરે છે જેમ કે હું સારી રીતે સુઈ ગયો છું કે જાગી રહ્યો છું ત્યારે અંદર અહમ ભાવની પ્રતીતિ થઈ જાય તેને અહમ કહેવાય છે. આ ચાર અવસ્થા અલગ-અલગ નથી. જેની જેવી એક્શન હોય તેની તેવી સ્થિતિ હોય છે.
આ સાથે પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥