विवेचन सारांश
આત્મજ્ઞાનનું ગૂઢ રહસ્ય

ID: 4867
गुजराती - ગુજરાતી
રવિવાર, 19 મે 2024
પ્રકરણ 9: રાજવિદ્યા-રાજગુહ્યયોગ
1/3 (શ્લોક 1-9)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


દીપ પ્રજવલન, ગુરુ વંદના અને શ્રી જ્ઞાનેશ્વર મહારાજના સ્મરણની સાથે આજના સત્રનો આરંભ થયો.
  શ્રીમદ્ભગવદ્ગીતાનો સંવાદ સમરાંગણમાં નર અને નારાયણની વચ્ચે થયો, 45 મિનિટનો એક સંવાદ છે. જે પરમ્ પાથેય પ્રદાન કરવાવાળું અનુપમ ગીત છે, તેને મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારતના ભીષ્મ પર્વમાં સંપાદિત કર્યું છે, તેના પ્રત્યેક અધ્યાય જીવનને ઉન્નત કરવાવાળા છે.
  નવમો અધ્યાય ગીતાના મધ્યમાં સ્થિત પરમ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ અધ્યાય છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ જીવ, જગત અને જગદીશના પરસ્પર સંબંધ વિશે ગુઢ રહસ્ય સમજાવ્યું છે.
  આ સંત જ્ઞાનેશ્વર મહારાજનો અત્યંત પ્રિય અધ્યાય છે. એક અનિર્વાચ્ય અધ્યાય છે. સંપૂર્ણ રહસ્યોની સાથે તેનું વર્ણન કોઈપણ નથી કરી શક્યું. ગુરુની કૃપાથી શ્રી જ્ઞાનેશ્વર મહારાજ તેનું નિરૂપણ કરી શક્યા. જીવનના 22 માં વર્ષમાં તેમણે સજીવ સમાધિ લીધી, તે સમયે તેમના મોટાભાઈ અને ગુરુ શ્રીનિવૃત્તિ મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાનો નવમો અધ્યાય ખોલીને તેમની સામે મૂક્યો.
  પૂજ્ય ગુરુદેવ શ્રી ગોવિંદદેવગિરિજી કહે છે કે આ અધ્યાયને ભણનાર કૃતાર્થ થઈ જાય છે. તેને ધ્યાનથી વાંચી તેને સંપૂર્ણ ગીતા સંક્રમિત થઈ શકે છે. શેષ ગીતાજીને વાંચવાની આવશ્યકતા રહેતી નથી. આ અધ્યાયના સમાપનમાં જે સિદ્ધાંત શ્રીકૃષ્ણના શ્રી મુખથી નીકળ્યો હતો, તે અન્ય ક્યાંય પણ નથી, આ અધ્યાય જ્ઞાન, ભક્તિ અને કર્મયોગનું ત્રિવેણી સંગમ છે.
  યોગનો અર્થ છે જોડાવું, પરમાત્માની સાથે જોડાવું, જ્ઞાનયોગમાં તર્કથી, બુદ્ધિથી પરમાત્માને જાણવાનો પ્રયાસ કરવો. ભક્તિયોગમાં ભક્તિ અને નિષ્કામ ભાવથી પરમાત્મા સાથે જોડાવું. કર્મયોગ બધા કર્મ ભગવાનને સમર્પિત કરી તેમની સાથે જોડાવવું
આ સિદ્ધાંતોને સમજાવનાર મહત્ત્વપૂર્ણ અધ્યાય છે. સંત જ્ઞાનેશ્વર મહારાજ આ અધ્યાયનાનો પ્રારંભ નિરૂપિત કરતાં કહે છે કે, 

तरि अवधान एकवेळें दीजे, मग सर्व सुखासि पात्र होईजे।
हें प्रतिज्ञोत्तर माझें, उघड ऐका ॥ १ ॥

તે કહે છે કૃપા કરી ધ્યાન આપો, આ અધ્યાયની જે ધ્યાનથી સાંભળે છે, પૂર્ણ મનથી સાંભળે છે અથવા સાંભળવાનો પ્રયાસ પણ કરે છે, તે સર્વ સુખોનો પાત્ર થઈ જાય છે. શ્રોતાઓનું ધ્યાન ગીતાજીની તરફ પ્રેશિત કરવું અને અંતરંગના તાર ગીતાજી સાથે જોડવા એ જ્ઞાનેશ્વર મહારાજ પાસેથી શીખી શકાય છે. ભગવદ્ગીતા ભૌતિક નથી અને આત્મશાંતિને પાથેય પ્રદાન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ સાતમા અધ્યાયમાં જ્ઞાન કહેવાનો આરંભ કર્યો પરંતુ આઠમાં અધ્યાયમાં અર્જુનની સમસ્યાઓનું સમાધાન કરે છે અને નવમા અધ્યાયમાં સ્વયં પોતાના મનથી જ્ઞાનની વાતો પ્રારંભ કરે છે.


9.1

શ્રીભગવાનુવાચ
ઇદં(ન્) તુ તે ગુહ્યતમં(મ્), પ્રવક્ષ્યામ્યનસૂયવે।
જ્ઞાનં(વ્ઁ) વિજ્ઞાનસહિતં(ય્ઁ), યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેશુભાત્॥૯.૧॥

શ્રી ભગવાન બોલ્યા: તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાાનસહિત જ્ઞાન ને ફરીથી સમ્યક્ રીતે કહું છું કે જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી છૂટી જઈશ.

 શ્રીકૃષ્ણ જ્ઞાન અને વિજ્ઞાન યુક્ત અત્યંત ગૂઢ રહસ્ય અર્જુનને સમજાવવાનો પ્રારંભ કરે છે. આ અધ્યાય રાજવિદ્યારાજગુહ્યયોગ કહેવાય છે.
અધ્યાત્મ વિદ્યા કે સ્વયંનું જ્ઞાન અત્યંત ગોપનીય જ્ઞાન છે. સંપૂર્ણ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અઘરું છે. સ્વયંને જાણવું, સૃષ્ટિ અને સૃષ્ટિકર્તા સાથે આપણા સંબંધનું ગૂઢ રહસ્ય શ્રીકૃષ્ણ અર્જુનને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ ગૂઢતમ રહસ્ય પોતાના નિકટના સંબંધીને જણાવી શકાય છે જે તેનો દુર ઉપયોગ ન કરે.
અર્જુન અનસૂય છે, અર્થાત તે કોઈનામાં પણ દોષ જોતા નથી. આ અર્જુનનો વિલક્ષણ ગુણ છે. માતા કુંતીના કહેવા પર પોતાની નવવિવાહિત પત્નીને પોતાના ભાઈઓ સાથે વહેંચી લે છે, તે ગુરુ દ્રોણાચાર્યના પ્રિય શિષ્ય અને પિતામહ ભીષ્મના પણ અત્યંત પ્રિય છે તેમને કોઈના ઉપર દ્વેષ નથી હોતો.
જ્ઞાનેશ્વર મહારાજે શ્રી કૃષ્ણ અને અર્જુનનેના સુંદર પ્રેમ સંબંધનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે ગુરુદેવ કહે છે કે આવું વર્ણન બીજે ક્યાંય નહીં મળે

तूं प्रेमाचा पुतळा, भक्तीचा जिव्हाळा।
मैत्रियेची चित्कळा, धनुर्धरा ॥ २९ ॥

यालागीं सुमनु आणि शुद्धमती, जो अनिंदकु अनन्यगती।
पैं गा गौप्यही परि तयाप्रती, चावळिजें सुखें ॥ ४० ॥


અર્જુનનુ હૃદય પ્રેમથી તરબોળ છે. તે ખૂબ જ સારા મિત્ર છે. હૃદયમાં ભક્તિ ભરેલા તે વીર ધનુર્ધર છે. તેનું મન અને બુદ્ધિ શુદ્ધ છે, તે કોઈની પણ નિંદા કરતા નથી.
સમર્પણનો ભાવ આપણે અર્જુન પાસેથી શીખવાનો છે. યુદ્ધ પ્રારંભ થવા પહેલા અર્જુન અને દુર્યોધન બંને ભગવાન શ્રીકૃષ્ણને મળવા જાય છે. દુર્યોધન પહેલાં પહોંચી જાય છે, પહેલાં પહોંચી સુતેલા શ્રીકૃષ્ણના માથા પાસે બેસે છે અને અર્જુન ભગવાનના ચરણ પાસે બેસે છે. શ્રીકૃષ્ણની આંખ ખુલતાં તે ચરણ પાસે બેઠેલા અર્જુનને પહેલાં જુએ છે અને તેમને પોતાની શસ્ત્રોથી સુસજ્જિત એક અક્ષૌહિણી સેના અને નિ:શસ્ત્ર સ્વયંમાંથી કોઈ એક ને માંગવાનું કહે છે. અર્જુન નિ:શસ્ત્ર શ્રીકૃષ્ણને પોતાના સારથીના રૂપમાં માંગે છે. અર્જુનને તેમના આ ગુણોના કારણે શ્રીકૃષ્ણ તેમને જ્ઞાન સાથે વિજ્ઞાનનું અત્યંત ગોપનીય રહસ્ય સમજાવે છે.
જ્ઞાન અને વિજ્ઞાનને વિભિન્નરૂપથી સમજી શકાય છે.

જ્ઞાન થિયરી છે અને વિજ્ઞાન પ્રેક્ટીકલ છે
 રસગુલ્લા ગોળ, સફેદ, ગળ્યા અને રસથી ભરેલા હોય છે, આ જ્ઞાન છે જે બધાને દેખાય છે, પણ ગળ્યા અને રસથી ભરેલા તો તેને ખાય તેને જ ખબર પડે છે, આ વિજ્ઞાન છે.
  જ્ઞાન સામાન્ય જ્ઞાન છે અને વિજ્ઞાન વિશેષ જ્ઞાન છે. 
  સામાન્ય વ્યક્તિ માટે ફૂલ સુગંધિત અને રંગીન હોય છે, પરંતુ વનસ્પતિ વિજ્ઞાનના વિદ્યાર્થી તે ફૂલનું વિશ્લેષણ કરે છે અને તેનું વર્ગીકરણ પણ કરે છે.

જ્ઞાન એટલે આત્મજ્ઞાન અને વિજ્ઞાન સૃષ્ટિનું જ્ઞાન છે.  
  આત્મજ્ઞાન ગીતાનો પ્રિય વિષય છે.
શ્રી જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાન અને વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવતાં કહે છે,

अर्जुना तया नांव ज्ञान। येर प्रपंचु हें विज्ञान।
तेथ सत्यबुद्धि तें अज्ञान। हेंही जाण ॥ ६ ॥


આજીવિકાના માટે આવશ્યક જ્ઞાન વિજ્ઞાન અને સ્વયંના ઉત્થાનનું જ્ઞાન એ આત્મજ્ઞાન, માત્ર ઉપજીવિકા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું, તેને જ સત્ય સમજવું અને આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરવું તે અજ્ઞાન છે. જીવનમાં બંને આવશ્યક છે આ વાત ભગવાને સાતમાં અધ્યાયમાં સમજાવી છે. આત્મજ્ઞાનથી દુઃખોમાંથી મુક્ત થઈ શકાય છે.


9.2

રાજવિદ્યા રાજગુહ્યં(મ્), પવિત્રમિદમુત્તમમ્।
પ્રત્યક્ષાવગમં(ન્) ધર્મ્યં(મ્), સુસુખં(ઙ્) કર્તુમવ્યયમ્॥૯.૨॥

આ વિજ્ઞાન સહિત જ્ઞાન સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું, ધર્મયુક્ત, સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે.

એવું કયું જ્ઞાન છે જે અત્યંત રહસ્યમય છે?
આ આત્મજ્ઞાન છે જે આપણા જીવનમાં અજવાળું કરશે અને આપણા દુઃખ દૂર કરશે. દરેકને બધી જ વાતો કહેવાતી નથી, યોગ્ય વ્યક્તિને જ રહસ્ય કહેવાય છે.
શ્રી કૃષ્ણ રહસ્ય છુપાવવામાં નિપુણ છે.
દાનવીર કર્ણને કુંતી પુત્ર હોવાનું રહસ્ય શ્રીકૃષ્ણ ત્યારે જ કહે છે જ્યારે મહાભારતના યુદ્ધનો પ્રારંભ થવાનો હતો કારણ કે કર્ણએ ખોટા પક્ષનો સાથ આપ્યો હતો.
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ આત્મજ્ઞાનની સ્તુતિ કરે છે. કોઈપણ વાતની શ્રેષ્ઠતા જાણ્યા વગર તેમાં રુચિ આવતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ આ જ્ઞાનને પવિત્ર જ્ઞાન કહે છે, જે જીવનમાં દોષોને દૂર કરનાર છે. પ્રશ્ન ઉભો થાય છે કે આવું ગોપનીય રહસ્ય સમજવામાં અને જીવનમાં ઉતારવાનું અઘરું હોય?
શ્રી ભગવાન કહે છે કે આ સુગમ, ઉત્તમ અને અનુભવગમ્ય છે. ભગવદ્ગીતાને વાંચતાજ તેનો પ્રેમ અંતઃકરણમાં ભરાઈ જાય છે અને તેની જાતે જ ભગવાન શ્રીકૃષ્ણનનો પ્રેમ આપણામાં પ્રવાહિત થવા લાગે છે. જીવન શુદ્ધ થવા લાગે છે.
આ જ્ઞાન નીતિયુક્ત છે. શું નૈતિક વાતો અઘરી હોઈ શકે? કોઈ વસ્તુને જોવી અને તેનો અનુભવ કરવો બંને અલગ-અલગ વાત છે. જેમ પેંડા જોવા અને તેનો સ્વાદ ચાખવો. ભગવાન કહે છે આ જ્ઞાન અત્યંત સરળ, આનંદમય અને અવ્યય છે આ પ્રકાર ભગવાન આત્મજ્ઞાનની સ્તુતિ કરે છે.
  સ્તુતિ બે પ્રકારની કરી શકાય છે
૧) સકારાત્મક શૈલી - કોઈ પણ કાર્યનો લાભ કહીને જેમ યોગાભ્યાસ કરવાથી શરીરમાં થનાર લાભ સમજાવીને.
૨) નકારાત્મક શૈલી - આ ન કરવાથી થનાર હાની સમજાવીને.

બધા જ રહસ્ય પવિત્ર હોતા નથી. 
All the secrets are not sacred!
કેટલાક રહસ્યો રહસ્ય જ રહે છે, એને ખોઈને કહી ન શકાય. જેમને વેદોમાં શ્રદ્ધા નથી તેઓ આ રહસ્યને જાણી શકતા નથી.


9.3

અશ્રદ્દધાનાઃ(ફ્) પુરુષા, ધર્મસ્યાસ્ય પરન્તપ।
અપ્રાપ્ય માં(ન્) નિવર્તન્તે, મૃત્યુસંસારવર્ત્મનિ॥૯.૩॥

હે પરંતપ! ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રઘ્ધા વિનાના માણસો મને ન પામતાં મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકતા રહે છે.

શ્રીકૃષ્ણ અર્જુનને પરંતપ કહે છે કારણ કે અર્જુન પોતાના ગુણોથી સૌનો અવસાદ દૂર કરતા હતા, પરંતુ અત્યારે પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલીને યુદ્ધ ન કરવાના ભાવથી કૃષ્ણને તાપ આપી રહ્યા છે, ચિંતિત કરી રહ્યા હતા.
અર્જુનનો અવસાદ દૂર કરવો એ ભગવાન શ્રીકૃષ્ણનું પ્રથમ કર્તવ્ય થઈ ગયું હતું.
શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિને ધર્મમાં આસ્થા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ.
પરમાણુની રચના રદરફોર્ડે સમજાવી છે કે તેના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે તથા ઇલેક્ટ્રોન પરિધીમાં ફરે છે. આ વાત પર વિશ્વાસ કરવો આવશ્યક છે. પરમાણુ દેખાતો નથી. વૈજ્ઞાનિકોએ આ સંરચનાના આધારે કેટલાય નવા આવિષ્કાર કર્યા છે.
   श्रद्धावाँल्लभते ज्ञानं।
"શ્રદ્ધા સત્યમાપ્યતે" બુદ્ધિ તર્ક કરે છે અને શ્રદ્ધાથી વિશ્વાસ થાય છે. શ્રદ્ધા રહિત વ્યક્તિ આત્મજ્ઞાનનું ગુઢ રહસ્ય જાણી શકતો નથી અને સૃષ્ટિકર્તા સાથે પોતાનો સંબંધ પણ જોડી શકતો નથી.
મનુષ્ય યોનિમાં જ આ યોગ સંભવ છે, અન્ય યોનીઓ ભોગ યોનીઓ છે.
મનુષ્ય યોનિમાં આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરીએ તો આ કાર્ય અધૂરું રહી જશે, આ પૂર્ણ કરવા માટે વારંવાર જન્મ લેવો પડે છે. મનુષ્ય સાંસારિક બંધનોમાં બંધાઈ જાય છે.
       
 संसरति इति संसार:
સંસાર નિરંતર પરિવર્તિત થતો રહે છે.

ભૂતકાળમાં શોક, વર્તમાનકાળમાં મોહ અને ભવિષ્યકાળની ચિંતામાં આપણે ફસાઈ જઈએ છીએ અને પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી મહામારીમાં ભગવદ્ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા તીવ્રતાથી વધી જેમાં આપણા જીવનના દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયા. આગળના શ્લોકમાં ભગવાન અત્યંત મહત્વપૂર્ણ વાત સમજાવે છે.


9.4

મયા તતમિદં(મ્) સર્વં(ઞ્), જગદવ્યક્તમૂર્તિના।
મત્સ્થાનિ સર્વભૂતાનિ, ન ચાહં(ન્) તેષ્વવસ્થિતઃ॥૯.૪॥

મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પ ને આધારે સ્થિત છે, પણ વાસ્તવ માં હું એમનામાં સ્થિત નથી. 

 શ્રી ભગવાન સ્વયંનું વર્ણન કરતાં કહે છે, તે અવ્યક્ત, નિરાકાર મૂર્તિ છે અને માનવ સાકાર મુર્તિ છે. સંત તુકારામ સાકાર નિરાકાર પરમાત્માને જોઈ શકતા હતા આ જ્ઞાનની પરાકાષ્ઠા છે. સંત તુકારામ કહે છે,

सगुण निर्गुण दोन्हीं ज्याची अङ्गें,
तो आम्हां सङ्गें क्रीड़ा करी।


પરમાત્મા વ્યાપક છે સંપૂર્ણ જગતમાં તે વ્યાપ્ત છે પરંતુ તે અણુથી પણ સૂક્ષ્મ છે. 

 अणुरणिया थो कड़ा, तुका आकाशा एवढा।

જગતની વ્યાખ્યા કરી છે,
જ - જાયતે
 ગ - ગચ્છતિ
 ત - તિષ્ઠતિ

જગત એ છે જેની ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય થાય અને પરમાત્મા અવ્યય, અવિનાશી અને અનુત્પન્ન છે.
જગત પરમાત્મામાં વ્યાપ્ત છે અને બધા જીવ તેમાં બિરાજમાન છે પરંતુ ભગવાન તેમાં નથી. જેમ સોનાના ઘરેણા માટે સોનું આવશ્યક છે પરંતુ સોનાનું અસ્તિત્વ ઘરેણા નથી.
માટલા માટીથી બને છે માટી માટલાથી નહીં. 
જગતનું અસ્તિત્વ પરમાત્મા પર નિર્ભર છે પરમાત્માનું અસ્તિત્વ જગત પર નહીં. 
જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય દ્વારા રચિત વિષ્ણુ ષટપદી સ્ત્રોત્રમાં આ વાત પ્રભાવિકતાથી કહી છે. 

सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वं ।
सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ॥ ३॥ 
विष्णुषट्पदि


મોજાં સમુદ્રથી બને છે મોજાં થી સમુદ્ર નથી બનતો.  
આદરણીય ગુરુદેવ શ્રી ગોવિંદદેવ ગીરીજી કહે છે પરમાત્માની સેવા કરે છે સંસાર માટે નહીં આ ભાવથી ગીતા ભણાવવી જોઈએ આમ આપણે મોહ માયાથી મોહિત ન થઈએ વિફળતા મળશે તેનાથી વિચલિત થવાનું નથી.
સંત જ્ઞાનેશ્વર મહારાજ કહે છે

कां बीजचि जाहलें तरु, अथवा भांगारचि अळंकारु।
तैसा मज एकाचा विस्तारु, तें हें जग ॥ ६५ ॥

જે પ્રકાર બી માંથી વૃક્ષ બને છે અને સોનામાંથી આભુષણ તેમજ આ સંસાર પરમાત્માથી બનેલો છે.
પાણીમાં ફીણ બને છે ફીણમાં પાણી નથી હોતું તરસ છીપાવવા માટે પાણીની જરૂર હોય છે ફીણથી તરસ છીપતી નથી.


9.5

ન ચ મત્સ્થાનિ ભૂતાનિ, પશ્ય મે યોગમૈશ્વરમ્।
ભૂતભૃન્ન ચ ભૂતસ્થો, મમાત્મા ભૂતભાવનઃ॥૯.૫॥

અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી; મારી ઈશ્વરીય યોગશક્તિને જો, ભૂતો નું ધારણ- પોષણ કરનાર અને ભૂતો ને ઉત્પન્ન કરનાર છતાંયે મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી.

 જગત પરમાત્મામાં છે પરંતુ પરમાત્મા જગતમાં નથી.
જડ અને ચેતનના સમાગમથી સૃષ્ટિનું કાર્ય ચાલે છે.
જડ એટલે પ્રકૃતિ અને ચેતન એટલે પુરુષ. 
ચેતનાની નિર્મિતી જ પરમાત્માનું પ્રતિબિંબ છે.
ચેતન કે પુરુષનું અસ્તિત્ત્વ જડ કે પ્રકૃતિ પર નિર્ભર નથી હોતું. વેદાંત અનુસાર ચેતનથી જડનું નિર્માણ થાય છે આધુનિક વિજ્ઞાનમાં જડ વિષય (matter)છે અને ચેતન ઉત્સાહ(energy). 
Albert Einstein એ તેના પરસ્પર સંબંધ સમજાવ્યા.
e = mc², જ્યાં
e = energy, m = matter and
c = velocity of light

અહીં જડથી ચેતન બને છે પરંતુ law of conservation of energy કહે છે,

energy can neither be created nor destroyed।
 અવ્યય છે.
તેને બનાવી શકાતી નથી અને તેનો નાશ પણ થતો નથી, માત્ર તેનું સ્વરૂપ બદલી શકાય છે.

થોડા સમય પહેલા જ નાસાએ પૃથ્વી જેવા બીજા ગ્રહની શોધ કરી જે પોતે સૂર્યની પરિક્રમા બે દિવસમાં કરે છે. જ્યારે આપણી પૃથ્વી 365 દિવસમાં કરે છે.
મનુષ્ય વિકારી છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સરમાં ફસાઈ જાય છે. અવિકારી ભગવાનને ભૂલી જાય છે. જ્યારે જ્યારે આ પડદો ખસે છે, ત્યારે પરમાત્મા આપણને દેખાય છે.

जव जव लपे तव तव दिसे

સંત મહાત્માની દ્રષ્ટિ અંતરાત્મા સુધી પહોંચે છે અને તે પરમાત્માને સમગ્રતાથી જાણે છે. સંત જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
 कं पूर्ण कुंभ उलंडला, तेथ बिंबाकारु दिसे भ्रंशला।
परी भानु नाहीं नासला, तयासवें ॥ १४१ ॥
ઘડાના પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે જો ઘડાને ઊંધો કરી દઈએ તો તે નષ્ટ થઈ જાય છે. પરંતુ સૂર્ય તો ત્યાં જ રહેલો છે. તેને કાંઈ નથી થતું, તેમ જ પરમાત્મા ઘટઘટમાં વસેલા છે. પ્રત્યેક જીવમાં છે. જીવના જવાથી પરમાત્મા તો રહે જ છે તેમનું કંઈ બગડતું નથી. આપણે ઈશ્વરમાં સ્થિત છીએ. આ આપણો દ્રષ્ટિકોણ છે. પરંતુ ભૂતમાત્ર ઈશ્વરથી ભિન્ન નથી આ પરમાત્માનો દ્રષ્ટિકોણ છે.
સાગરના મોજામાં સાગર સ્થિત છે. સાગરનું જ પ્રતિરૂપ છે તેનાથી જ તે નિર્મિત છે. 
હવે આગળ ભગવાન એક અત્યંત મહત્વપૂર્ણ વાત સમજાવે છે કે કેવા પ્રકારે આ સૃષ્ટિ તેમાં તેમનામાં સ્થિત છે.

9.6

યથાકાશસ્થિતો નિત્યં(વ્ઁ) વાયુઃ(સ્) સર્વત્રગો મહાન્।
તથા સર્વાણિ ભૂતાનિ, મત્સ્થાનીત્યુપધારય॥૯.૬॥

જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે, એમ સમજ.

સર્વત્ર સંચાર કરવાવાળો વાયુ આકાશમાં સ્થિત હોય છે. જ્યાં વાયુ છે ત્યાં આકાશ છે, અને જ્યાં વાયુ નથી ત્યાં પણ આકાશ તો છે જ, જેને આપણે અંતરિક્ષ કહીએ છીએ. આકાશમાં વાદળ હોય છે, વર્ષા હોય છે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે અનેક રંગ પણ હોય છે, પરંતુ આકાશ સૌમાં પ્રભાવિત નથી હોતું, તે અલિપ્ત છે.
  આ પ્રકારે બધા ભૂતમાત્ર પરમાત્મામાં સ્થિત છે. અવિકારી, અવિનાશી ઈશ્વર સૃષ્ટિની ક્રિયા કલાપોથી અલિપ્ત છે.
  ગુરુદેવ શ્રી ગોવિંદદેવગિરિજી કહે છે કે આપણે શ્રવણ વેદાંત કરીએ છીએ, પરંતુ ચિંતન સંસારનું કરીએ છીએ તેથી ચિંતા થાય છે, માટે
ચિંતન અવિકારી પરમાત્માનું કરો અને કાર્ય સંસારનું કરો.

સ્વામી રામકૃષ્ણ પરમહંસ અમેરિકામાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. એકવાર તેમની સભામાં એક યુવકે પ્રશ્ન કર્યો કે તે ભગવાનને નથી માનતો, ભગવાન ક્યાંય પણ નથી? તો સ્વામીજી તે યુવકને એ વાત લખવાનું કહે છે તે લખે છે.
           
God is no where

સ્વામીજી તે વાતને લખે છે
     
God is now here

કહેવાનું તાત્પર્ય છે કે દૃષ્ટિકોણ બદલવાથી વિચાર બદલાય છે. સૃષ્ટિનું કાર્ય કેવી રીતે ચાલે છે?

9.7

સર્વભૂતાનિ કૌન્તેય, પ્રકૃતિં(ય્ઁ) યાન્તિ મામિકામ્।
કલ્પક્ષયે પુનસ્તાનિ, કલ્પાદૌ વિસૃજામ્યહમ્॥૯.૭॥

હે કૌન્તેય! કલ્પોના અંતે બધા ભૂતો મારી મુળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જુઁ છું.

 જ્યારે આપણે સુઈ જઈએ છીએ તો આપણું આ સંસારમાં કોઈ અસ્તિત્ત્વ નથી હોતું અને જેવી સવારે આંખ ખુલે છે તો આપણે ફરીથી સંસાર સાથે જોડાઈ જઈએ છીએ. એટલે જ આ સૃષ્ટિનું નિર્માણ મહાસર્ગ અર્થાત બ્રહ્માજીના એક દિવસમાં હોય છે, અને મહાપ્રલય અર્થાત બ્રહ્માજીની રાત્રિની સૃષ્ટિનો વિલય થાય છે.
એક ચતુર્યુગી = 43 લાખ 20 હજાર મનુષ્ય વર્ષ
મનવન્તર = 71 ચતુર્યુગ
એક કલ્પ = 14 મનવંન્તર બ્રહ્માજીનો એક દિવસ
આ પ્રકારે આ સૃષ્ટિનું અસ્તિત્વ પરમાત્મા પર નિર્ભર કરે છે


9.8

પ્રકૃતિં(મ્) સ્વામવષ્ટભ્ય, વિસૃજામિ પુનઃ(ફ્) પુનઃ।
ભૂતગ્રામમિમં(ઙ્) કૃત્સ્નમ્, અવશં(મ્) પ્રકૃતેર્વશાત્॥૯.૮॥

પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું.

 સત્ત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોથી આ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, જે આ ત્રણ ગુણોથી બંધાઈ જાય છે. આ બધાના પુનઃ પુનઃ જન્મ થતા રહે છે.
પરમાત્મા ગુણાતીત છે એટલે પ્રકૃતિના બંધનોમાં બંધાતા નથી.


9.9

ન ચ માં(ન્) તાનિ કર્માણિ, નિબધ્નન્તિ ધનઞ્જય।
ઉદાસીનવદાસીનમ્, અસક્તં(ન્) તેષુ કર્મસુ॥૯.૯॥

હે ધનંજય! એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદસીનની જેમ સ્થિત મુજ પરમાત્મા ને એ કર્મો નથી બાંધતાં.


હે અર્જુન! બધા જીવ પોતાના કર્મના અનુસાર ભગવાનની રચેલી આ સૃષ્ટિમાં આવવા માટે વિવશ છે. ગુણાતીત પરમાત્માને આ વ્યવસ્થા નથી, તે કર્મથી બંધાયેલા નથી હોતા કારણ કે તેમાં આસક્ત નથી.
કર્મના બે પ્રકારના બંધન છે. 
આજીવિકા માટે નોકરી કરવી, કોઈ વૃદ્ધ કે બિમારની સેવા કરવી તેને ભારરૂપ સમજી કરીએ તો તે બંધન થઈ જાય છે. અર્જુનને આ સમયે યુદ્ધ એક બંધન લાગી રહ્યું છે.
કર્મમાં આપણે કર્તૃત્વ, ભોક્તૃત્વ અને ફળ માંગીએ છીએ. મેં જે કર્યું તેના ફળની અપેક્ષા કરવી, અહંકૃત ભાવનાથી કર્મ કરીએ છીએ જેમાં આપણે કર્મ બંધનમાં બંધાઈ જઈએ છીએ.
  ભગવાન અહંકૃત ભાવથી કર્મ નથી કરતા અને એટલે તે બંધનોમાં નથી બંધાતા. તે ગાયો ચરાવે છે, વાંસળી વગાડે છે એઠાં પાત્ર ઉઠાવે છે, ધર્મ સ્થાપના માટે યુદ્ધ કરે છે અને અર્જુનના સારથી બનીને તેમના ઘોડાઓની દેખભાળ કરતાં અર્જુનનું માર્ગદર્શન પણ કરે છે.
  એ પોતાની પ્રત્યેક ભૂમિકા સહજતાથી પૂરી કરે છે તેમાં લિપ્ત થતા નથી.
પરમાત્માને જાણવું જ્ઞાન છે. સ્વયંને પરમાત્મામાં ઢાળવાનો પ્રયાસ વિજ્ઞાન છે.
ઉદાસીનનો અર્થ ઉદાસ થવું નથી. દૂરથી તટસ્થ થઈને જીવનને જોવું અને નિષ્કામ ભાવથી પોતાના કર્તવ્ય કર્મ કરતા રહેવું.
  કર્મ આપણને બાંધે છે, આપણે આપણું પદ, આપણું સ્થાન છોડવા માંગતા નથી, આપણને લાગે છે કે આપણા વિના આ કાર્ય થશે જ નહીં પરંતુ સૃષ્ટિ પોતાનું કાર્ય કરતા આગળ ચાલતી જ રહે છે.
  ભગવાનની અધ્યક્ષતામાં સૃષ્ટિનું કાર્ય કેવી રીતે ચાલે છે તેની ચર્ચા આગળના સત્રમાં આપણે કરીશું.
સાથે જ વિવેચનની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું.

                                પ્રશ્નોત્તરી


પ્રશ્નકર્તા- હૃષીકેશ નાગલકર ભૈયા
 પ્રશ્ન- આત્મા અને ભગવાન, શૂન્ય અને અનંત વચ્ચે શું તફાવત છે?
 જવાબ: શૂન્ય હોવાનો ખ્યાલ અને અનંત હોવાનો ખ્યાલ, બંને એક જ છે. તેમની વચ્ચે કોઈ તફાવત નથી. આપણે શરીરમાં છીએ તેથી ખાલી ખાલી જાણવું પૂરતું નથી. શૂન્ય સાથે અનંતને જાણવાથી જ સંપૂર્ણતા આવે છે. આ તો આત્મામાંથી ભગવાન બનવાનું છે. વિપશ્યના દ્વારા વ્યક્તિ શૂન્યતામાં જઈ શકે છે અને તે શૂન્યતા અનંત સાથે જોડાયેલી હોવી જોઈએ. પોતાના અસ્તિત્વને શૂન્ય સુધી ઘટાડવું પડશે, વ્યક્તિએ તે અનંત ભગવાન સાથે જોડાવું પડશે. જો આપણે અનંત સાથે ન જોડાઈએ અને સમાધિ અવસ્થામાંથી બહાર ન આવીએ, તો આપણને તે અતિ આનંદદાયક લાગશે નહીં. શૂન્યથી શાશ્વત સુધીની આ યાત્રા આનંદદાયક છે, તેથી શ્રીમદ્ભગવદ્ગીતા આપણને નરમાંથી નારાયણ તરફ જવાનો આનંદ આપે છે.
आ नो भद्राः क्रतवो यन्तु
 विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः।
અમે સકારાત્મક લેવાનો ઇનકાર કરતા નથી. જેટલા સારા વિચારો છે, સનાતન તેનો સ્વીકાર કરે છે. વિપશ્યના તમને શૂન્ય તરફ લઈ જશે, તેથી અનંતકાળનો માર્ગ પણ ત્યાં જ મળી જશે.
પ્રશ્નકર્તા : ઉર્મિલા દીદી
 પ્ર: શું કૃષ્ણાય વાસુદેવાય ગીતાનો સાર છે?
 ઉત્તર-
 કૃષ્ણય, વાસુદેવાય હરિરે પરમાત્માને
 દુઃખનો નાશ કરનાર ગોવિંદાને પ્રણામ:
આને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર કહી શકાય નહીં. આ શ્રી કૃષ્ણની સ્તુતિ છે. તે મુશ્કેલીનો નાશ કરનાર કહેવાય છે. ગોવિંદા, જે બધાને આકર્ષે છે, તેનો અર્થ છે: અમે તેને વંદન કરીએ છીએ જે ઇન્દ્રિયોના સ્વામી છે. ઇન્દ્રિયોની તકલીફો, આપણા શરીરની તકલીફો, વૃદ્ધાવસ્થાની તકલીફો વગેરે દૂર કરવા માટે તેની સ્તુતિ કરવામાં આવે છે.
પ્રશ્નકર્તા : ઉર્મિલા દીદી
 પ્ર: આગામી જન્મ કઈ યોનિમાં મળશે?
 જવાબ: આઠમો અધ્યાય જણાવે છે કે મૃત્યુ સમયે વ્યક્તિ જે રીતે ધ્યાન કરે છે તે પ્રમાણે આગળનો જન્મ થાય છે. આપણી પ્રથા એવી જ રહી છે. જો આપણે માનવ બ્રહ્માંડમાં આવીને આપણી બુદ્ધિને અપગ્રેડ નહીં કરીએ, જો આપણે પ્રેક્ટિસ નહીં કરીએ, તો આપણે નીચલા બ્રહ્માંડને પ્રાપ્ત કરી શકીએ છીએ. જો આપણી સાધના ઉચ્ચ ગુણવત્તાની હોય, તો આપણને ફરીથી માનવ જીવનનો અભ્યાસ કરવા મળે છે.
પ્રશ્નકર્તા- કલ્યાણી દીદી.
 પ્રશ્ન: મનુષ્ય દુન્યવી આસક્તિથી કેવી રીતે દૂર થઈ શકે?
 જવાબ- અમારી પાસે પંચકોષ છે. અન્નમયકોષ, પ્રણમ્યકોષ, મનોમયકોષ, વિજ્ઞાનમયકોષ અને આનંદમયકોષ. અન્નમયકોશ દરેક વસ્તુમાં હાજર છે, પથ્થરમાં પણ. વનસ્પતિમાં પણ મહત્વપૂર્ણ કોષ હોય છે. વૃક્ષો અને છોડ શ્વાસ લે છે. પશુ-પક્ષીઓ પાસે પણ મનોમયકોશ છે. તેમને પણ કંઈક કરવાનું કે ન કરવાનું મન થાય છે. જ્યારે તેઓ લાકડી જુએ છે ત્યારે તેઓ નજીક આવે છે, જ્યારે તેઓ લાકડી જુએ છે ત્યારે ભાગી જાય છે, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓનું મન ખૂબ વિકસિત નથી. માનવ મન ખૂબ વિકસિત છે. તેમાં સુખ, દુ:ખ, પોતાનું અને પરાયું વગેરે તમામ પ્રકારની લાગણીઓ સમાયેલી છે
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः।
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्॥7:24॥
લાગણીઓના અતિશય વિસ્તરણને લીધે, માણસ તેના પ્રિયજનો સાથે મોહમાં રહે છે. બુદ્ધિનો વૈજ્ઞાનિક જ્ઞાનકોશ પણ મનુષ્યમાં ખૂબ વિકસિત છે. અન્ય જીવો પાસે વિજ્ઞાનમયકોશ ઓછો છે, તેમની બુદ્ધિ ઓછી છે. માણસે તેના વૈજ્ઞાનિક જ્ઞાનકોશમાંથી વિવિધ શોધો કરી છે. તેનાથી આગળ આનંદમયકોશ છે. ઋષિઓ, ઋષિઓ અને યોગીઓ, જ્યાં દુ:ખ પ્રવેશતું નથી, તે આનંદનું ધામ છે. ચાલો સમજીએ કે ખુશ કેવી રીતે રહેવું. આસક્તિને લીધે આપણે દુઃખ ભોગવવું પડે છે એ વાત સાચી, પણ ભગવાન સાથે કેવી રીતે જોડાઈએ જેથી આ સાંસારિક આસક્તિ આપોઆપ ઓછી થઈ જાય, આ જ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે.
પ્રશ્નકર્તા- શ્રી રામચંદ્ર કુલકર્ણી ભૈયા.
પ્રશ્ન- ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન કયા ક્રમમાં છે?
 જવાબ- શ્રીમદ ભગવદ્ ગીતામાં પહેલા કર્મયોગ, પછી ભક્તિ યોગ અને પછી જ્ઞાનયોગ કહેવામાં આવ્યો છે. તેમની ગોઠવણનો ક્રમ ચોક્કસપણે આવો નથી. સંદર્ભ મુજબ આગળ અને પાછળ કેટલાક છે.
છઠ્ઠા અધ્યાય સુધી કર્મયોગનું વર્ણન છે. ભક્તિયોગ સાતમા અધ્યાયથી શરૂ થાય છે.
અહીં ભગવાન ભક્તોની ચાર શ્રેણીઓ જણાવે છે-.
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोઽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ॥7:16॥
નવમો અધ્યાય જ્ઞાન, ભક્તિ અને ક્રિયા વિશે વાત કરે છે. આ ત્રણેય યોગ એકબીજા સાથે ગૂંથેલા છે. જેમ કે જો આપણે ફૂલની પાંખડીઓને અલગ કરવાનું શરૂ કરીએ, તો કંઈ જ બચશે નહીં. ઓર્ડરને બંધનકર્તા બનાવી શકાય નહીં. પોતાને તેમના જેવા બનાવવાનો પ્રયાસ કરવો એ વિજ્ઞાન છે.