અહીં પ્રથમ ત્રણ શ્લોક છે.
અહીં 26 ગુણો ની સૂચિ ભગવાન આપે છે. જે પોતાને સાત્વિક માને છે , ભદ્ર પુરુષ માને છે, ધાર્મિક માને છે , ભગવાનના ભક્ત માને છે, એવા લોકોના લક્ષણ કયા હોવા જોઈએ.
ભગવાન કહે છે કે બે જ પ્રકારના લોકો મૂળ રૂપે આ સંપૂર્ણ સંસારમાં વિભાગી શકાય છે, એક દૈવી ગુણોવાળા પુરુષો એટલે કે સારા પુરુષો અને બીજા આસુરી ગુણોવાળા પુરુષો એટલે કે ખરાબ પુરુષો. .એટલે અહીં મહિલા- પુરુષ વાળા પુરુષ નહીં સમજવાના. ભગવત ગીતામાં પુરુષ વાંચીએ ત્યારે તેનો માનવ એવો અર્થ છે.
અહિંસા નવમો ગુણ. ભગવાન કહે છે કે મન વચન અને કર્મથી કોઈની હિંસા ના કરવી એવું ભગવાન કહે છે .કેટલીક વાર હિંસાનો સ્વભાવ બની જાય છે. પોતાના સુખ માટે , પોતાના આરામ માટે નાની નાની હિંસાને તો આપણે એકદમ આવશ્યક જ માની લઈએ છીએ. કોઈ મચ્છર વંદા વગેરેને તો આપણે તરત જ મારીએ છીએ ઉંદર આવે તો નેટ લગાવી દે છે એટલે કે તે નેટ ને ચોંટી જાય છે, પછી નીકળી નથી શકતાં. ચોંટીને મરી જાય છે કોઈ મોટા હોસ્પિટલમાં જઈએ તો ત્યાં અલ્ટ્રાવાયોલેટ રોશનીની જાળી હોય છે જેની પર કીટકો આવીને ચોંટી જાય છે .આટલી ભયંકર હિંસા થાય છે આપણે અન્ય જીવોની પાસેથી એમના જીવવાનો અધિકાર છીનવી લઈએ છીએ, કારણ કે આપણને કેટલીક સુવિધાઓ જોઈએ છે .ભગવાને પૃથ્વી આપણને જ માટે નથી બનાવી આપી, બધા જીવો માટે છે. આપણે અંદર જમીનો વેચીને એમાં આપણા ઘરો બનાવી લીધા છે ઼ આ ઘર મારું, એવું કહીને એની પર અધિકાર જમાવી દીધો . પણ ભગવાને કંઈ એવી વહેંચણી કરીને આપણને નથી મોકલ્યા. ભગવાને ફક્ત શરીર સાથે આપણને મોકલ્યા છે. આપણે અન્ય પ્રાણીઓના અધિકાર પર કબજો મેળવીને રહીએ છીએ, એમાં કોઈ આપત્તિ નથી પણ આને કારણે આપણે બીજા કોઈને સહન જ નથી કરી શકતા. એમને બાર ભગાવવાનું તો છોડો, એને મારી જ નાખીએ છીએ એ જીવો જેમને અક્કલ જ નથી , જેમને પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે , આપણે અવિવેકથી એમની હત્યા કરીએ છીએ. જેટલા મચ્છર, કીટક, ઉંદર વગેરે આપણે મારીએ તો ધ્યાન રાખો કે એટલા જ જીવન આપણે એટલા જ કષ્ટની સાથે ભોગવવા પડે છે. એમાં ‘ પણ પરંતુ’ નહીં રહે. નાના જીવને સતાવવા એ એક બાબત છે. આપણે તો જેમને હું પસંદ નથી કરતી કે નથી કરતાં , એમની સાથે પણ ઘણી હિંસા કરીએ છીએ. આજે તો મેં એને એટલું સંભળાવ્યું છે કે તે સૂઈ પણ શકવાનો નથી. બીજાને લાગી આવે એવા શબ્દો કહેવા, જે મને અપ્રિય છે તેને કઈ રીતે નીચું જોવું પડે , એવું કરવું એ વાણીની હિંસા છે. મનથી કોઈનું અહીં જ કરવું એ માનસિક હિંસા છે. કોઈને લાગે કે મનમાં વિચાર કર્યો કે વનમાં તેનું તો કોઈ વાંધો નથી કળિયુગમાં મનથી વિચાર કરવાથી પાપ નથી લાગતું પણ ધ્યાનમાં રાખો એમાં નથી ખેંચા વતા વધતા આપણી વાણી હિંસામાં ફેરવાઈ જાય છે અને વાણી હિંસા વધતા વધતા શારીરિક હિંસામાં પરિવારથી જ થાય છે આ થવાનું જ છે તેથી મનના સ્તર પર થતી હિંસાને ત્યાં જ દબાવી દેવી જોઈએ. મારે કારણે કોઈને ક્લેશ ન થવો જોઈએ .
હું બીજાના કષ્ટનુ
કારણ ન બનુ એ દૈવી ગુણ છે.
મેં 16 માં અધ્યાય નું ચિંતન કરતી વખતે એ વિચાર કર્યો કે આપણે એક અઠવાડિયા સુધી આ દૈવી ગુણોમાંથી એક કે બે ગુણોનું પાલન કરીએ, કે આગળના એક અઠવાડિયા દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા ન કરું .
હવે આગળના ગુણોની પણ આપણે ચર્ચા કરીએ. 10 મો ગુણ ભગવાન કહે છે કે’ સત્ય’. ’ બધા ગુણોથી સર્વોપરી છે તે સત્ય છે. પણ સત્ય બોલવા માટે પણ થોડું સમજવું જોઈએ. સત્ય બોલવાની બાબતમાં આપણો એક ભ્રમ હોય છે. કેટલાક લોકો કહે છે કે હું તો સાચું બોલું છું, જેને ખોટું લાગવું હોય તેને લાગે .હું ચિંતા નથી કરતો. હું સાંચે- સાચું કહી દેવામાં માનું છું. જે પણ સજ્જન આવું કરે છે તેમને ધ્યાનમાં આવવું જોઈએ કે આપણે બિલકુલ અયોગ્ય કરીએ છીએ .કારણ કે નીતિશાસ્ત્ર કહે છે કે
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम् ।
સત્ય બોલો, સારી રીતે બોલો, જે કોઈને અપ્રિય લાગે તેવી રીતે ના બોલ. ઘણું ખરું તો સત્ય અપ્રિય નથી લાગતું. આપણે જે પ્રકારે કહીએ છીએ તે લાગી આવે છે. આ કારણે જે સત્ય બોલવું આવશ્યક લાગે તેને મીઠી વાણીમાં કઈ રીતે બોલવું તેનો વિચાર કરવો જોઈએ. આપણી વાણી જો પ્રભાવી બનાવવી હોય તો તેને સત્ય થી આરૂઢ કરો. જેની વાણીમાં જેટલું વધારે સત્ય હશે તેની વાણીમાં વિશ્વાસ બેસે છે. જે વાતવાતમાં કારણ વગર ખોટું બોલે છે તે સાચું બોલે તો પણ લોકો એની પર વિશ્વાસ નથી રાખતા . અને એ વખતે તેને થાય છે કે અત્યારે તો હું સાચું બોલું છું , અત્યારે મારી ઉપર કોઈ વિશ્વાસ કેમ નથી કરતુ ? પણ તમારો પાછલો ઇતિહાસ છે ને? આ કારણે મારી વાણી એવી હોય કે લોકોને તરત જ વિશ્વાસ બેસે કે મેં કહ્યું છે તો સાચું જ હોઈ શકે. અને એ આપણા જીવનની એક મોટી જીત છે કે લોકો મારી વાત પર વિશ્વાસ કરે. .વિશ્વાસ એકમાત્ર સત્ય બોલવાના ગુણથી આવે છે, તો આજથી એક પ્રતિજ્ઞા લઈ શકો. રોજ રાત્રે પોતાના નામ પર પોતાના મોબાઈલમાં એક સંદેશો મોકલો કે, આજે સંપૂર્ણ દિવસમાં મારાથી કેટલી વખત ખોટું બોલાઈ ગયું ? 10, 12 , 8 વાર કે છ -સાત વાર ખોટું બોલાઈ ગયું?તમને બીજા દિવસે અનુભવ થશે કે અડધાથી વધારે અસત્ય આપણે અસાવધાન પૂર્વક, કારણ વગર લાભ વગર, પ્રયોજન વગર એમને એમ બોલી દઈએ છીએ, અને ત્રણ દિવસ પછી તો મનમાં ગણતરી થાય છે કે આજે સવારથી ત્રીજી વાર જુઠ્ઠાણું નીકળી ગયું રાત સુધી દસ વાર, બીજે દિવસે બે વાર ઓછું, ત્રીજે દિવસે હજી બે વાર ઓછું , એમ કરતા કરતા એક દિવસ શૂન્ય થઈ ગયું. આપણી વાણીમાં મર્યાદા લાવવી હોય, અને તેજસ્વી બનાવવી હોય તો સત્યનું આવરણ તેનો ઉપાય છે. તો એક અઠવાડિયા સુધી જેને પ્રતિજ્ઞા લેવી હોય તે લઈ શકે છે કે હું એક અઠવાડિયા સુધી કારણ વગર કે કારણ સહિત જૂઠું નહીં બોલું. વાતને ફેરવી ફેરવીને પણ નહીં બોલું. આપણે ઘણીવાર ચાલાકી કરીએ છીએ કે હું ખોટું નથી બોલ્યો.
अश्वत्थामा हतो हतः।
नरो वा कुञ्जरो वा ।
આપણે તાર્કિક દૃષ્ટિથી સત્યનુ પાલન કરીએ , એવો પ્રયત્ન કરીએ.
अक्रोधः
11 ક્રોધ અને અહંકાર એવા બે વિકારો છે કે જેમને ઉઠતા જ દબાવી દીધા હોય તો થોડામાં જ પતી જાય છે. જે રીતે અગ્નિ ને ચિનગારી લાગે તે જ સમય હોલવું ઘણું સરળ હોય છે, પણ ચિનગારી થોડી મોટી થાય તો એને ઓલાવવું થોડું અઘરું થતું જાય છે, અને એક સમયે આગ એવું મોટું સ્વરૂપ ધારણ કરે છે કે તેને ઓલવવી કઠિન કાર્ય બની જાય છે. ફાયર બ્રિગેડ વાળા આવે તો પણ કેટલા દિવસો સુધી પ્રયત્ન કરીએ તો તે ઓલવાતી નથી. શરૂઆત એક નાનકડી ચિનગારી સાથે થઈ ત્યાં જઈને ઓલવવી હોય તો એકદમ સરળ છે .ક્રોધનું પણ એવું જ છે, શરૂઆતમાં જ એનુ શમન કરો. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ક્રોધ જેવો આવે, 10 સુધી ગણવા માંડો, ઊંડો શ્વાસ લઈ લો, એ બધા ઉપાય બરાબર છે. ક્રોધ વ્યક્ત કરવાથી તે વધતો જાય છે , તેથી એને પી લો.
બીજી વાત , ક્રોધ રોજ વારંવાર આવે તો એના મૂળમાં વિચાર કરવો જોઈએ કે મને વારંવાર ક્રોધ કેમ આવે છે? એ વિશેષતા છે કે તે એકલો નથી આવતો , તે બીજા વિકારોનું હનન કરવા માંગે છે. કામના માં વિઘ્ન આવે ત્યારે ક્રોધ આવે છે , અહંકારમાં વિઘ્ન આવે ત્યારે ક્રોધ આવે છે , લોભ પર વિઘ્ન પડે તો ક્રોધ આવે છે .આપણને કારણ વગર ક્રોધ નથી આવતો. આપણા અહંકાર, લોભ, મોહ વગેરેને ઠેસ પહોંચે તો ક્રોધ આવે છે . કોઈ જાનવર ના બચ્ચા ને છંછેડીએ તો એમને ક્રોધ આવી જાય છે, એમના મોહ ને ઠેસ વાગે છે. સૌથી વધારે ક્રોધ ત્યારે આવે છે કે મારી રીતે કોઈ કામ ન કરે..કારણ કે સૌથી બુદ્ધિશાળી તો હું જ છું. પત્નીને લાગે છે કે સૌથી વધુ બુદ્ધિશાળી હું છું, પતિને લાગે છે કે સૌથી બુદ્ધિશાળી હું છું. તો બાળકોને પણ લાગે છે કે સૌથી બુદ્ધિશાળી અમે છીએ, આ તો જુનવાણી વિચારનાં છે. સાસુ અને સસરા ને તો લાગે છે કે અમે તો વધારે અનુભવીએ છીએ , અને એને કારણે અમે વધારે હોશિયાર છીએ. આમ બધાને લાગે છે કે અમે સૌથી બુદ્ધિમાન છીએ. એને કારણે બધા ઈચ્છે છે કે સૌ લોકો મારી સાથે સારો વ્યવહાર કરે . અમને લાગે છે કે અમે સૌથી બુદ્ધિમાન છીએ , પણ બીજા એ માનવા તૈયાર નથી. આ કારણે બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે વ્યવહાર કરે છે. પોત પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરે છે. પોત પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરતા કરતા મારો અપેક્ષા ભંગ ન થઈ જાય એથી મને તકલીફ થાય છે, એ ધ્યાનમાં રાખો. બીજાનો વ્યવહાર મને ક્રોધિત નથી કરતો , પણ એ કારણે મારી અપેક્ષા પૂરી થતી નથી એથી મને ક્રોધ આવે છે. મને પાંચ વાગ્યે ચા જોઈએ એટલે જોઈએ જ. સવા પાંચ કઈ રીતે થઈ જાય? તરત જ બૂમો પાડવાનું શરૂ કર્યું . આમ તો શું ફરક પડે છે મને પાંચને બદલે સવા પાંચ વાગે ચા મળે તો? પણ મેં જબરદસ્તીથી પોતાના મનમાં એક અપેક્ષા રાખી, કે મને પાંચ વાગ્યે જ ચા પીવા જોઈએ તમે ધ્યાન કેમ નથી રાખતા? હવે એ બતાવો કે એ ચા પાંચને બદલે સવા પાંચ વાગે આવી એટલે મને ક્રોધ આવ્યો, કે મેં અપેક્ષા જ બનાવી રાખી કે પાંચ વાગ્યાની ચા મને પાંચ વાગ્યે જ મળે એટલે મને ક્રોધ આવ્યો? આમ બીજાના વ્યવહારને કારણે મને ક્રોધ નથી આવ્યો પણ મારી અપેક્ષા ને કારણે મને ક્રોધ આવ્યો. આ જ વહેવાર બીજો કરે તો મને ક્રોધ નથી આવતો . જેની પાસેથી મારી અપેક્ષા છે તેની ઉપર મને ક્રોધ આવ્યો . આમ ક્રોધનું મૂળ કારણ મારી અપેક્ષા છે. તો આવતા અઠવાડિયા સુધી પ્રયત્ન કરો કે કારણ કોઈ પણ હોય હું ક્રોધ નહીં કરું. હું મારા ક્રોધ પર કાબુ રાખું, અને પ્રયાસ કરું કે કોઈપણ રીતે ક્રોધ ના કરુ અને આવતા અઠવાડિયે વિવેચન વખતે બતાવો એ કેવું રહ્યું? સફળ રહ્યા કે અડધા સફળ રહ્યા ?.
ત્યાગ - બારમો ગુણ ત્યાગ છે . જે અવસ્થા મને પ્રિય છે તે અવસ્થા ન મળવાથી મનમાં અપ્રસન્નતા ન આવે એ ધ્યાન રાખો. આપણને લાગે છે કે ત્યાગ કરવો એટલે છોડવું, એ એનો શાબ્દિક અર્થ છે. તે એની મૌલિક ભાવના નથી. ગરમી ઘણી છે, લાઈટ- વીજળી જતી રહી. હવે હું‘હાય હાય ‘ શરૂ કરું છું, એકદમ બેકાર છે મોદી સરકાર, એમને તો મત આપીને ચૂંટવા જ ન જોઈએ. ગરમીમાં પણ વીજળી ના આપી શકે તો શું કરવું ? આવી સરકાર શું કામની? તરત આપણે વિજળી ઘરમાં ફોન કરીએ કે લાઈટ ક્યારે આવશે? હજી તો પંખો પૂરો બંધ પણ નથી થયો, ત્યાં તરત ફોન કરીને કહીએ છીએ કે વિજળી ક્યારે આવશે? આવી ગરમીમાં આપણે કઈ રીતે રહી શકીએ ? લાઈટ જતી રહી તો ભલે ગઈ, સહજ બની જાવ . ચા મળે કે ના મળે, કોઈ વાંધો નહીં .ત્યાં કોઈ વ્યક્તિવિશેષ કે વસ્તુ વિશેષ નો ત્યાગ કરવો પડે તો તે પણ કરવો જોઈએ .પણ આ આરંભિક બાબત છે, મૌલિક બાબત છે. ત્યાગ નો સ્વભાવ તમે સહજ સરળ બની જાવ. જ્યાં આગળ જે વસ્તુવ્યક્તિ મને અપેક્ષિત છે તે ન મળી , થોડી વાર પછી મળી , મળી કોઈ વાંધો નહીં. સભામાં દસ વ્યક્તિ છે , એમાંથી એકાદને ચા આપવાની રહી ગઈ, અથવા બહુ જ ઓછી બને તો વાંધો નહીં. આપણે દુઃખી થવાની જરૂર નથી. જે મળવાનું છે તે ન મળ્યું તો એનો ત્યાગ સહજ થઈ જાય તો એમાં ગભરાવાની જરૂર નથી. જેમ કે કેટલાક લોકો ચેટ કરી રહ્યા છે, બીજા કહે છે કે ચેટ ન કરો. આપણે સહન કરીએ. અને શું અઘરું છે ન પણ હટાવીએ તો? કરવા દો ને, આપણે બધું આપણી રીતે ચલાવવા કેમ માગીએ છીએ ?
अपैशुनम् શાંતિ. આપણે ગડબડ ક્યાં કરીએ છીએ?સુખોની આશામાં શાંતિ ગુમાવીએ છીએ. પૈસા ખૂબ પ્રાપ્ત થાય એ માટે પુરુષો પોતાની શાંતિ ગુમાવી દે છે. ઘર પર સંપૂર્ણ અધિકાર મારો થઈ જાય એ માટે સ્ત્રીઓ પોતાની શાંતિ ગુમાવી દે છે. જો પૈસા મળી જાય અને ઘર પર અધિકાર મળી જાય તો શું જોઈએ? તો કહે કે શાંતિ મળી જશે. શાંતિ ગુમાવીને શાંતિ મળી જશે ,શાંતિ એટલે સમતા.
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ।
ભગવાન કહે છે કે છ વસ્તુઓમાં સમતા આવી ગઈ .સુખોમાં જેમને ખુશી વ્યક્ત કરવાની આદત છે, દુઃખોમાં એને એટલું જ રોવું પડે છે. જે જેટલું વધારે નાના નાના સુખોમાં ખુશ થાય છે, એને નાના નાના દુઃખો દુઃખી પણ કરે છે. સમતા લાવો. જીવનમાં શાંતતા લાવો.આપણે સુખોમાં વધારે ધ્યાન કેન્દ્રિત ન કરીએ, ,આપણે શાંતિમાં ધ્યાન કેન્દ્રિત કરીએ . સુખોના ત્યાગ માત્રથી શાંતિ મળે છે. શાંતિમય જીવન રહે. શાંતિ કોઈ કિંમતે ન ગુમાવી. કંઈક કિંમત આપીને પણ શાંતિ પ્રાપ્ત કરી દો .કારણ કે શાંતિ અમૂલ્ય છે. એટલે બીજાની નિંદા કરવી, ચુગલી કરવી. કોઈએ પૂછ્યું હિંસા ક્રોધ ક્યારે આવશ્યક છે? ક્યારેય આવશ્યક નથી. રાજા માટે આવશ્યક હશે. ભારત પર પાકિસ્તાન હુમલો કરે તો ભારતે શું જવાબ આપવો જોઈએ એ જવા દો . વ્યક્તિગત ધર્મમાં હિંસા ની કોઈ આવશ્યકતા નથી. ક્રોધ સારો અલંકાર છે. આમ તો ક્રોધ નહીં પણ એનો દેખાવ એ યોગ્ય આભૂષણ છે , પણ ક્રોધ કરતી વખતે તમે માથું બીજી તરફ લઈને થોડા હસતાં હસતાં ક્રોધ કરી શકો છો. .તો એ ક્રોધ આભૂષણ છે , પણ જ્યારે ક્રોધ કરતી વખતે તમારી આંખો મોટી થાય, હોઠ થરથરે,બ્લડપ્રેશર વધી જાય તો એ ક્રોધ તમારી પર કબજો મેળવી લે છે. અને હવે એ આભૂષણ નથી, હવે તો એ નાશ કરનાર છે. બાળકને પણ એના હિત માટે થોડુંક લડી લો કે એકાદ થપ્પડ લગાવી દો તો એ ક્રોધનો વાંધો નથી. આ ક્રોધ આપને હતાશા છુપાવવા માટે નથી , પણ એ સારું વર્તન બાળક કરે તે માટે છે. એ સારો બને , એનું કલ્યાણ થાય , એને વાત સમજાય , એટલા માટે એને ક્યારેક લડવું પડે અથવા એક થપ્પડ મારવી પડે તો વાંધો નહીં. જો એમાં મારતી વખતે મોઢું ફેરવીને તમે થોડુંક હસી શકો છો તો તમારો ક્રોધ પર તો કાબુ છે, અને આ ક્રોધ તમારા માટે આભૂષણ સમાન છે પણ જો તે તમારી પર ચડી બેઠી બેસે છે તો ગડબડ થશે, અને વાત બગડી જશે.
ભગવાન કહે છે કે કોઈની નિંદા ન કરો , ચુગલી ન કરો , એને વિશે અપશબ્દ ન બોલો. ભગવાનને એ ખરાબ લાગે છે અને આપણને એમાં મજા આવે છે. ખુજલી અને નિંદા એ બંને એવા દોષ છે કે ખબર છે કે ખંજવાળ્યા કરીશ તો અહીં ઘા તાજો થશે , અથવા લોહી નીકળશે છતાં પણ ખંજવાળવાની મજા આવે છે. નિંદા કરતી વખતે તો ખબર છે કે એને ખબર પડી જશે અને વાત બગડી જશે, તો પણ કરે છે. જુઓ હું તમને કહું છું પણ તમે કોઈને કહેતા નહીં. આવું કહીને આપણે બીજાની નિંદા કરવામાં ખૂબ રસ લઈએ છીએ. જ્યાં નિંદા થાય છે ત્યાંથી પોતાને દૂર રાખીએ, આપણા પરિવારના કોઈ દોષ દેખાય તો તેને ઢાંકી લેવા જોઈએ, પ્રકટ ન કરવા જોઈએ .બીજાના દોષોને પ્રકટ ન કરવા, એને છુપાવો .છુપાવવુ એ દૈવીપણુ છે, જ્યારે ઉઘાડવું એ આસુરીપણું છે .બીજાના દોષોને ત્રીજા ની સામે ઉઘાડા કરવા એ આસુરી પણું છે, જ્યારે કોઈના દોષોને ખબર પડી જાય અને તેને છુપાવીએ તો એ દૈવીપણુ છે.
તો એક અઠવાડિયા માટે વ્રત લઈ લો કે હું કોઈની નિંદા ચુગલી નહીં કરું , પડોશીને ત્યાં શું થયું એ કામવાળી બાઈ પાસેથી જાણી લઈએ છીએ, તે એક અઠવાડિયા સુધી બંધ રાખો.
दया भूतेषु દયા કોઈ સામયિક કર્મ નથી. દયા એ કરી શકે છે કે જેનો સ્વભાવ દયાળુ છે .એક વ્યક્તિ ઘણો દયાળુ છે , બીજાનું કષ્ટ એનાથી જોવાતુ નથી. એ દયાનો સ્વભાવ છે .મારી વસ્તુ બીજાને ઉપયોગમાં આવે એ દયાળુ સ્વભાવ છે, મારી હોશિયારી , મારી યોગ્યતા, મારુ બળ, મારી સમૃદ્ધિ, જે કંઈ પણ ભગવાને મને આપ્યું છે તે બીજાઓની સેવામાં કામમાં આવે. જેને મારા કરતાં વધારે આવશ્યકતા હોય તેને હું આપી દઉં એ દયા નો સ્વભાવ છે. આ સામયિક નથી , વર્ષમાં એક વખત કરવાની ઘટના નથી, રોજે રોજ મારા હાથે, મારા પરિચિત, ઓળખીતા તેમજ ઓળખીતા ના હોય એવા પણ લોકોની પ્રત્યે દયા બતાવી શકો. ગરમી બહુ હોય તો ધાબા પર પાણી ભરીને વાસણોમાં મૂકી દો તો એ દયા છે. એ મારો સ્વભાવ છે .તેના બદલામાં મને કોઈ અપેક્ષા નથી. દયાના પાત્ર માટે દોષનો વિચાર નથી કરતો. અરે એકવાર આપીએ તો રોજે રોજ માગવા આવશે. આવે તો રોજે રોજ આપી દો ને? શું કઠિન છે? એક દિવસ આપીશું તો ગાય રોજે રોજ આવશે. આવવા દો ને, સારી વાત છે. તમને ભગવાને એ લાયક બનાવ્યા છે તો એનાથી વધારે સારું શું હોઈ શકે ?અને સૌથી વધુ કુશળતા તો એ છે કે જેને દયાની આવશ્યકતા છે તેને ઉપદેશ ના આપ્યા કરો. ક્યારેક કોઈ દુઃખી હોય, કોઈ નુકસાન થયું હોય, કોઈ નાપાસ થયો હોય તો આપણે બધા એને જઈને ઉપદેશ આપીએ છીએ .દયા તો કરતા જ નથી , એ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે .જે દયાને પાત્ર છે તેમને ઉપદેશ ક્યારેય પણ ન કરવો જોઈએ. તે થોડો પોતાની જાતને સંભાળી લે પછી તેને ઉપદેશ આપી શકાય. કોઈ વેપારમાં નુકસાન થાય તો તેને સહાનુભૂતિ જોઈએ કે ઉપદેશ ?
અત્યારે ગરમી વધુ છે , તો પશુ પક્ષીઓ માટે પાણી ભરી રાખો. ઘણી આવશ્યકતા છે . અત્યારે જે કરે તેઓ પોતાનો સંકલ્પ લખે. બાકી જે આવશ્યકતા પડે ત્યાં આપણી આસપાસ સૌને દયાળુ બનીને ઉદાર બનીને, અને ભગવાને આપણને એટલે આપ્યું છે કે તે હું સૌને વહેંચી શકું એ ભાવનાથી કરો.
अलोलुप्तं લોલુપ એટલે કે જેને બીજાનું સારું જોઈને લાલ ટપકતી હોય, બીજાનું ટીવી જોઈને લાગે કે આનો ટીવી કેટલો સરસ છે કે આના પડદા કેટલા સરસ છે ! મારા મકાનમાં આવા પડદા લગાવું .સોફા જોયા તો સોફા કેટલા સુંદર છે , અરે એ જવા દો, કોઈના જમાઈ જુઓ તો કેટલો સુંદર જમાઈ છે ! મારો પણ એટલો સુંદર જમાઈ હોય. બીજાનું જે પણ જોઈએ તો તેને સારું જ લાગે છે. લાળ ટપકયા કરે છે ભોગોની લાલસા માટે.જ્યાં જે વસ્તુ બીજા પાસે દેખાય તે મારી પાસે ક્યારે આવે? ભગવાન કહે છે કે અલોલુપ બની જઈએ. આ જે કોઈને આંખોથી જ સમજાઈ જાય છે આંખોથી જ ખબર પડે છે કે તે કેટલો લાલચી છે ! તેની આંખોમાં જે ચમક દેખાય તેના પરથી જ તેમની ખબર પડી જાય. કથા સાંભળવા જાય ત્યારે પણ પ્રસાદનું એક પેકેટ હું વધારાનું લઈ લઉં એવી ભાવના જોવા મળે છે. એક સ્વભાવ હોય છે કે કંઈ પણ પડીકા મળે તો લઈ લો.જાહેરાતના ચોપાનિયાં જોઈએ તો પણ તેને પણ લઈ લેવાની ઈચ્છા થાય છે. આજકાલ એમેઝોન flipkart પર આપણને ઉલ્લુ બનાવતી જાહેરાતો આવે છે, અને આપણે ઉલ્લુ બની જઈએ છીએ .લોકો વાટ જોતા હોય છે કે ક્યારેય વિક એન્ડ ડેઝ અઠવાડિયાના અંતિમ દિવસોની જાહેરાતો આવશે અને મને મફતમાં કંઈ પણ મળી જાય. પણ આપણો સ્વભાવ જ એવો હોવો જોઈએ કે મને મફતમાં કંઈ જોઈતું જ નથી. મફત કોઈ વસ્તુ હું શા માટે લઉં ? . ભગવાને મને ભિખારી થોડો જ બનાવ્યો છે ?બધા જ પ્રકારના સાધનોથી મને સંપન્ન બનાવ્યો, તે છતાં પણ હું જોયા કરું છું કે મને મફતમાં શું મળશે ? હું સક્ષમ છું , પૈસા ચૂકવીશ. મને કંઈ મફત મળે તો નથી જોઈતું. આ પછી કોઈ મફત વાળી વસ્તુ દેખાય તો એની તરફ દુર્લક્ષ કરો .મફત વાળી વસ્તુ મને બતાવો જ નહીં. યોગ્ય કિંમત આપીને જે મળે તે જ મને જોઈએ.
मार्दवं માર્દવ એટલે કોમળતા. કેટલાક લોકોની બોલીમાં જ એટલી મીઠાશ હોય છે કે ક્યારેક આપણે ઉદાસ હોઈએ કે નારાજ હોઈએ તો એવી વ્યક્તિને શોધીએ છીએ કે એની પાસે બેસીએ તો થોડીક શાંતિ મળશે .એની પાસે કોમળતા હોય છે , કઠોરતા નહીં. મલમની જેમ બીજાના જખમને ભરનારી .એમનો સ્વભાવ બીજાને આરામ આપનાર હોય છે. કેટલાક લોકોનો સ્વભાવ બધાને પરેશાન કરે છે, જ્યારે કેટલાક લોકોનો સ્વભાવ સહુને આરામ આપે છે .મારો સ્વભાવ કેવો છે ? લોકો મારા સ્વભાવથી ઉશ્કેરાય છે કે મારા સ્વભાવથી આરામ અનુભવે છે .મારી આસપાસના સૌની સાથે હું સહજ આરામદાયક અનુભવું છું.
ह्रीर. હ્રીર નો અર્થ છે લજ્જા.જે કામ કરવું યોગ્ય નથી ,તે કામ કરવાની મને થોડીક શરમ આવે, થોડોક સંકોચ થાય તે હ્રીર.
अचापलं। સફળતા નો અભાવ. આપણી બધી ઇન્દ્રિયો ચંચળ હોય છે .સૌથી ચંચળ હોય છે આપણે આંખો. .ચારે બાજુ આમતેમ ફરતી હોય છે. કેટલાકની આંખો ચારે બાજુઓ સ્કેનરની જેમ ચકાસતી હોય છે. શાંતિથી બેસો ને! આજકાલની વાત નથી, જુના જમાનામાં જ્યારે છોકરી જોવા જવાની વાત હોય,( આજકાલ તો છોકરો જોવા જવાનું હોય છોકરી નહીં - )તો વડીલો છોકરીની આંખો જોતા. એની આંખો જ આપણે જેટલી વાર બેઠા હતા એટલી વારમાં કેટલી વાર આમ તેમ ફરતી હતી !જો તે ફરતી ન હતી, તો તેનો અર્થ શાંત સ્વભાવની છે. અને જો તેની આંખો ચારે બાજુ ચક્કર ચક્કર કરતી હોય, તો તેઓ આ માગું જવા દેતા .આ છોકરી ઘણી ચાલાક -ચંચળ છે. આ વાત જવા દઈએ તો પણ આંખોથી સ્વભાવ જાણી શકાય છે .આંખોમાં જેટલી વધારે ચંચળતા દેખાય એ વ્યક્તિનું મન તેટલું જ અસ્થિર હોય છે. આંખોની ચંચળતા હોય, હાથોની ચંચળતા હોય, પગની ચંચળતા હોય .આપણામાંથી કેટલા લોકો વિવેચનમાં સીધા બેસે છે ? વિવેચન એટલે કોઈ પણ કામમાં આપણે બેઠા બેઠા હાથ ખંજવાળ્યા કરીએ , ક્યારેક ગાલ ખંજવાળ્યા કરીએ , ક્યારેક સાડીનો છેડો ફેરવફેરવ કરીએ, કોઈ ઘાસ પર બેઠા હોય તો ઘાસ તોડે છે, કોઈ પગ હલાવ્યા કરે છે આમ તેમ .આ વ્યર્થની ચષ્ટાઓ એ જ સંચળતા છે. જીવનમાં ચંચલતાની ન્યૂનતમ હોવી જોઈએ
મને યાદ છે કે નાનપણમાં અમે ગીતા પારાયણમાં જતા હતા. હજી પણ જઈએ છીએ તો એ સમયે મહંત શ્રી ક્ષમારામજી શાસ્ત્રી જે હજી પણ છે, અને હજી પણ પારાયણ કરે છે, તો આજે પણ હું કલ્પના કરું છું કે એમનો એમની ઇન્દ્રિયો પર કેટલો સંયમ હતો કે રામાયણનું પારાયણ રોજ ત્રણથી છ કલાક તેઓ કરતા હતા. સંપૂર્ણ પારાયણ દરમિયાન એમની આંખો ઉપર ઉઠતી ન હતી. છ કલાક પોતાની દ્રષ્ટિ ને ગ્રંથ પર મૂકીને એકવાર પણ એ ઉપર જોતા ન હતા .એમનો સ્વર પણ ઉપર નીચે થતો ન હતો. મહંતશ્રી ક્ષમા રામજી શાસ્ત્રી એમનો youtube પર ઓડિયો તમને જરૂર પ્રાપ્ત થશે. એમનો રામાયણ પાઠ, સુંદરકાંડ પાઠ પ્રાપ્ત થશે.મેં પણ એમના સાનિધ્યમાં ઘણા પારાયણ કર્યા .એટલો અદભુત એમનો સંયમ હતો કે સંપૂર્ણ સમય દરમ્યાન એમની દૃષ્ટિ નીચે જ રહેતી. કોણ આવ્યું? કોણ સાંભળી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે , હજારો લોકો એમના પંડાલમાં આવી રહ્યા હતા. પણ તેમણે ક્યારેય જોયું જ નહીં કે કોણ આવ્યું, કોણ ગયું. એ બધા સાથે તેમને કોઈ નિસ્બત ન હતી. એક વખત પણ એમની આંખો છ કલાક દરમિયાન ઉપર ઉઠી તે દેખાશે નહીં એટલો ગજબનો સંયમ હતો.
આપણે પણ આ સંયમનો અભ્યાસ કરીએ. આપણે આગળના એક અઠવાડિયા દરમિયાન આપણામાંથી ચંચળતા દૂર કરવાનો પ્રયત્ન કરીએ.