विवेचन सारांश
દૈવી તથા આસુરી સંપત્તિનુ વિસ્તૃત જ્ઞાન

ID: 5002
गुजराती - ગુજરાતી
રવિવાર, 16 જૂન 2024
પ્રકરણ 16: દૈવાસુર-સમ્પદ વિભાગ યોગ
2/2 (શ્લોક 2-24)
વિવેચન: ગીતા વિશારદ ડૉ. આશુ ગોયલજી


સુંદર પ્રાર્થના , દીપક પ્રજ્વલન તથા ગુરુ વંદનાની સાથે સત્રની શરૂઆત થઈ.

ભગવાનની અત્યંત અસીમ , મંગલમય કૃપાથી આપણા લોકોનું સૌભાગ્ય જાગૃત થયું છે કે આપણે આ માનવ જીવનને સફળ કરવા માટે , સાર્થક કરવા માટે, તેને પુણ્યગામી બનાવવા માટે તથા તેના લક્ષ્યની પૂર્તિ કરવા માટે આપણે સૌ ભગવદ્ ગીતાનું અધ્યયન અને મનન કરવા માટે અગ્રેસર થયા છીએ. નક્કી જ આ આપણી પર કૃપા થઈ છે કે આપણી ભગવદ્ ગીતા વાંચવા અને શીખવા માટે આપણી પસંદગી થઈ છે. કંઈક આપણા આ જન્મના પુણ્ય કર્મથી તથા કેટલાક આપણા પૂર્વ જન્મના પુણ્ય કર્મ ને લીધે અથવા આપણા પૂર્વજોના પુણ્ય કર્મને લીધે અથવા આ જન્મમાં કોઈ સંત મહારાજની કૃપાદ્રષ્ટિ આપણી પર પડી અને આપણી સૌની ગીતા શીખવા માટે પસંદગી થઈ ગઈ છે. ગીતા સમાન માનવજીવનના કલ્યાણ માટે બીજો કોઈ ઉપયોગી ગ્રંથ નથી, એવું મહાપુરુષોએ વારંવાર કહ્યું છે. .ગીતા પ્રેસના સંસ્થાપક પરમશ્રદ્ધેય ગોયંકાજીએ જ્યારે ગીતાજીનું પ્રાસ્તાવિક લખ્યું, તો એમાં એમણે કહ્યું કે સમસ્ત શાસ્ત્રોના અભ્યાસ પછી હું નિષ્કર્ષ પર પહોંચ્યો કે ગીતા સમાન માનવ જીવનમાં કલ્યાણ માટે બીજો કોઈ પણ ગ્રંથ નથી. આટલો નાનો ગ્રંથ - માચીસ આકારનો નાનકડો ગ્રંથ અને એક ગીતા તો એક પૃષ્ટની પણ આવે છે.આટલી નાની ગીતા પણ ખૂબ જ અસરકારક છે .આપણે સૌએ કેટલી વાર વાંચ્યું છે કે ગીતાજીમાં દરેક પ્રશ્નોનો જવાબ છે. સંચાલન કામગીરી (મેનજમેન્ટ )માટેનું સંપૂર્ણ વિજ્ઞાન આમાં મળે છે. અને આ એક જ ગ્રંથ એવો છે કે જે આ લોક અને પરલોક બંનેનું કલ્યાણ કરે છે . જે ભગવત્દ્ગીતાના સૂત્રોને આપણા જીવનમાં અપનાવે છે તેમનું આ લોકમાં અને પરલોકમાં પણ કલ્યાણ થાય છે .આ એક એવો ગ્રંથ થશે , જેની જયંતિ ઉજવાય છે. આ એક એવો ગ્રંથ છે જે રણાગણમાં કહેવાય છે. અને જે ભગવાન સાક્ષાત શ્રીકૃષ્ણના સ્વયં મુખેથી કહેવાયો છે . આ એક એવો ગ્રંથ છે જેને ભારતના સર્વ સંપ્રદાયમાં નિર્વિવાદ રૂપે સ્વીકાર કરવામાં આવે છે, આદર કરવામાં આવે છે. આ એક માત્ર ગ્રંથ જેની મહિમા ફક્ત ભારતીય દર્શનમાં જ નથી .પશ્ચિમના દર્શનમાં પણ અનેક વિદ્વાનો એ માન્ય કરે છે. ફક્ત ૭૦૦ જ શ્લોક છે પણ એનાથી કેટલાયના જીવન બદલી ગયા છે , કારણ કે સાક્ષાત્ ભગવાનના મુખારવિંદથી આ અદભુત શ્લોક પ્રગટ થયા છે. એમના અર્થ જ કોઈ જાણવા માંગે તો એક જીવન નહીં અનેક જીવનના વીતી જાય તો પણ જાણવું અઘરું છે. પરમ પૂજ્ય સ્વામીજી જેવા સંપૂર્ણ દેશના વિદ્વાનોમાં અગ્રગણ્ય છે , એમણે ગયા વર્ષે કહ્યું કે અરે આજે તો મને નવી વાત જાણવા મળી. જે 16 માં વર્ષાથી તેઓ પ્રવચન કરે છે અને આજે 75 માં વર્ષેમાં કહે છે કે મને નવી વાત જાણવા મળી. ગીતાજીમાં આજે મને કંઈક નવું જાણવા મળ્યું. તમે કલ્પના કરો કે જે આટલા ઊંડાણથી એમા ડૂબકીલગાવે છે એમને પણ રોજે રોજ નવું મળી જાય છે .ગીતા એ માર્ગદર્શિકા છે. 26 દૈવી ગુણોનુ આપણે ચિંતન કરી રહ્યા ગયા હતાં. ગયાઅઠવાડિયે આપણે આઠ ગુણોનું ચિંતન કર્યું હતું. અત્યારે આપણે આજે બાકીના 18 ગુણો જોવાના છે.
.

16.2

અહિંસા સત્યમક્રોધઃ(સ્), ત્યાગઃ(શ્) શાન્તિરપૈશુનમ્।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં(મ્), માર્દવં(મ્) હ્રીરચાપલમ્॥૧૬.૨॥

મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈનેય કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અન્તઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાંય નિંદા આદિ ન કરવાં, સર્વ ભૂત-પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી.

અહીં પ્રથમ ત્રણ શ્લોક છે.
અહીં 26 ગુણો ની સૂચિ ભગવાન આપે છે. જે પોતાને સાત્વિક માને છે , ભદ્ર પુરુષ માને છે, ધાર્મિક માને છે , ભગવાનના ભક્ત માને છે, એવા લોકોના લક્ષણ કયા હોવા જોઈએ.

ભગવાન કહે છે કે બે જ પ્રકારના લોકો મૂળ રૂપે આ સંપૂર્ણ સંસારમાં વિભાગી શકાય છે, એક દૈવી ગુણોવાળા પુરુષો એટલે કે સારા પુરુષો અને બીજા આસુરી ગુણોવાળા પુરુષો એટલે કે ખરાબ પુરુષો. .એટલે અહીં મહિલા- પુરુષ વાળા પુરુષ નહીં સમજવાના. ભગવત ગીતામાં પુરુષ વાંચીએ ત્યારે તેનો માનવ એવો અર્થ છે.

અહિંસા નવમો ગુણ. ભગવાન કહે છે કે મન વચન અને કર્મથી કોઈની હિંસા ના કરવી એવું ભગવાન કહે છે .કેટલીક વાર હિંસાનો સ્વભાવ બની જાય છે. પોતાના સુખ માટે , પોતાના આરામ માટે નાની નાની હિંસાને તો આપણે એકદમ આવશ્યક જ માની લઈએ છીએ. કોઈ મચ્છર વંદા વગેરેને તો આપણે તરત જ મારીએ છીએ ઉંદર આવે તો નેટ લગાવી દે છે એટલે કે તે નેટ ને ચોંટી જાય છે, પછી નીકળી નથી શકતાં. ચોંટીને મરી જાય છે કોઈ મોટા હોસ્પિટલમાં જઈએ તો ત્યાં અલ્ટ્રાવાયોલેટ રોશનીની જાળી હોય છે જેની પર કીટકો આવીને ચોંટી જાય છે .આટલી ભયંકર હિંસા થાય છે આપણે અન્ય જીવોની પાસેથી એમના જીવવાનો અધિકાર છીનવી લઈએ છીએ, કારણ કે આપણને કેટલીક સુવિધાઓ જોઈએ છે .ભગવાને પૃથ્વી આપણને જ માટે નથી બનાવી આપી, બધા જીવો માટે છે. આપણે અંદર જમીનો વેચીને એમાં આપણા ઘરો બનાવી લીધા છે ઼ આ ઘર મારું, એવું કહીને એની પર અધિકાર જમાવી દીધો . પણ ભગવાને કંઈ એવી વહેંચણી કરીને આપણને નથી મોકલ્યા. ભગવાને ફક્ત શરીર સાથે આપણને મોકલ્યા છે. આપણે અન્ય પ્રાણીઓના અધિકાર પર કબજો મેળવીને રહીએ છીએ, એમાં કોઈ આપત્તિ નથી પણ આને કારણે આપણે બીજા કોઈને સહન જ નથી કરી શકતા. એમને બાર ભગાવવાનું તો છોડો, એને મારી જ નાખીએ છીએ એ જીવો જેમને અક્કલ જ નથી , જેમને પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે , આપણે અવિવેકથી એમની હત્યા કરીએ છીએ. જેટલા મચ્છર, કીટક, ઉંદર વગેરે આપણે મારીએ તો ધ્યાન રાખો કે એટલા જ જીવન આપણે એટલા જ કષ્ટની સાથે ભોગવવા પડે છે. એમાં ‘ પણ પરંતુ’ નહીં રહે. નાના જીવને સતાવવા એ એક બાબત છે. આપણે તો જેમને હું પસંદ નથી કરતી કે નથી કરતાં , એમની સાથે પણ ઘણી હિંસા કરીએ છીએ. આજે તો મેં એને એટલું સંભળાવ્યું છે કે તે સૂઈ પણ શકવાનો નથી. બીજાને લાગી આવે એવા શબ્દો કહેવા, જે મને અપ્રિય છે તેને કઈ રીતે નીચું જોવું પડે , એવું કરવું એ વાણીની હિંસા છે. મનથી કોઈનું અહીં જ કરવું એ માનસિક હિંસા છે. કોઈને લાગે કે મનમાં વિચાર કર્યો કે વનમાં તેનું તો કોઈ વાંધો નથી કળિયુગમાં મનથી વિચાર કરવાથી પાપ નથી લાગતું પણ ધ્યાનમાં રાખો એમાં નથી ખેંચા વતા વધતા આપણી વાણી હિંસામાં ફેરવાઈ જાય છે અને વાણી હિંસા વધતા વધતા શારીરિક હિંસામાં પરિવારથી જ થાય છે આ થવાનું જ છે તેથી મનના સ્તર પર થતી હિંસાને ત્યાં જ દબાવી દેવી જોઈએ. મારે કારણે કોઈને ક્લેશ ન થવો જોઈએ .
હું બીજાના કષ્ટનુ
કારણ ન બનુ એ દૈવી ગુણ છે.

મેં 16 માં અધ્યાય નું ચિંતન કરતી વખતે એ વિચાર કર્યો કે આપણે એક અઠવાડિયા સુધી આ દૈવી ગુણોમાંથી એક કે બે ગુણોનું પાલન કરીએ, કે આગળના એક અઠવાડિયા દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા ન કરું .

હવે આગળના ગુણોની પણ આપણે ચર્ચા કરીએ. 10 મો ગુણ ભગવાન કહે છે કે’ સત્ય’. ’ બધા ગુણોથી સર્વોપરી છે તે સત્ય છે. પણ સત્ય બોલવા માટે પણ થોડું સમજવું જોઈએ. સત્ય બોલવાની બાબતમાં આપણો એક ભ્રમ હોય છે. કેટલાક લોકો કહે છે કે હું તો સાચું બોલું છું, જેને ખોટું લાગવું હોય તેને લાગે .હું ચિંતા નથી કરતો. હું સાંચે- સાચું કહી દેવામાં માનું છું. જે પણ સજ્જન આવું કરે છે તેમને ધ્યાનમાં આવવું જોઈએ કે આપણે બિલકુલ અયોગ્ય કરીએ છીએ .કારણ કે નીતિશાસ્ત્ર કહે છે કે

सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम् ।

સત્ય બોલો, સારી રીતે બોલો, જે કોઈને અપ્રિય લાગે તેવી રીતે ના બોલ. ઘણું ખરું તો સત્ય અપ્રિય નથી લાગતું. આપણે જે પ્રકારે કહીએ છીએ તે લાગી આવે છે. આ કારણે જે સત્ય બોલવું આવશ્યક લાગે તેને મીઠી વાણીમાં કઈ રીતે બોલવું તેનો વિચાર કરવો જોઈએ. આપણી વાણી જો પ્રભાવી બનાવવી હોય તો તેને સત્ય થી આરૂઢ કરો. જેની વાણીમાં જેટલું વધારે સત્ય હશે તેની વાણીમાં વિશ્વાસ બેસે છે. જે વાતવાતમાં કારણ વગર ખોટું બોલે છે તે સાચું બોલે તો પણ લોકો એની પર વિશ્વાસ નથી રાખતા . અને એ વખતે તેને થાય છે કે અત્યારે તો હું સાચું બોલું છું , અત્યારે મારી ઉપર કોઈ વિશ્વાસ કેમ નથી કરતુ ? પણ તમારો પાછલો ઇતિહાસ છે ને? આ કારણે મારી વાણી એવી હોય કે લોકોને તરત જ વિશ્વાસ બેસે કે મેં કહ્યું છે તો સાચું જ હોઈ શકે. અને એ આપણા જીવનની એક મોટી જીત છે કે લોકો મારી વાત પર વિશ્વાસ કરે. .વિશ્વાસ એકમાત્ર સત્ય બોલવાના ગુણથી આવે છે, તો આજથી એક પ્રતિજ્ઞા લઈ શકો. રોજ રાત્રે પોતાના નામ પર પોતાના મોબાઈલમાં એક સંદેશો મોકલો કે, આજે સંપૂર્ણ દિવસમાં મારાથી કેટલી વખત ખોટું બોલાઈ ગયું ? 10, 12 , 8 વાર કે છ -સાત વાર ખોટું બોલાઈ ગયું?તમને બીજા દિવસે અનુભવ થશે કે અડધાથી વધારે અસત્ય આપણે અસાવધાન પૂર્વક, કારણ વગર લાભ વગર, પ્રયોજન વગર એમને એમ બોલી દઈએ છીએ, અને ત્રણ દિવસ પછી તો મનમાં ગણતરી થાય છે કે આજે સવારથી ત્રીજી વાર જુઠ્ઠાણું નીકળી ગયું રાત સુધી દસ વાર, બીજે દિવસે બે વાર ઓછું, ત્રીજે દિવસે હજી બે વાર ઓછું , એમ કરતા કરતા એક દિવસ શૂન્ય થઈ ગયું. આપણી વાણીમાં મર્યાદા લાવવી હોય, અને તેજસ્વી બનાવવી હોય તો સત્યનું આવરણ તેનો ઉપાય છે. તો એક અઠવાડિયા સુધી જેને પ્રતિજ્ઞા લેવી હોય તે લઈ શકે છે કે હું એક અઠવાડિયા સુધી કારણ વગર કે કારણ સહિત જૂઠું નહીં બોલું. વાતને ફેરવી ફેરવીને પણ નહીં બોલું. આપણે ઘણીવાર ચાલાકી કરીએ છીએ કે હું ખોટું નથી બોલ્યો.

अश्वत्थामा हतो हतः।  
नरो वा कुञ्जरो वा ।

આપણે તાર્કિક દૃષ્ટિથી સત્યનુ પાલન કરીએ , એવો પ્રયત્ન કરીએ.

अक्रोधः
11 ક્રોધ અને અહંકાર એવા બે વિકારો છે કે જેમને ઉઠતા જ દબાવી દીધા હોય તો થોડામાં જ પતી જાય છે. જે રીતે અગ્નિ ને ચિનગારી લાગે તે જ સમય હોલવું ઘણું સરળ હોય છે, પણ ચિનગારી થોડી મોટી થાય તો એને ઓલાવવું થોડું અઘરું થતું જાય છે, અને એક સમયે આગ એવું મોટું સ્વરૂપ ધારણ કરે છે કે તેને ઓલવવી કઠિન કાર્ય બની જાય છે. ફાયર બ્રિગેડ વાળા આવે તો પણ કેટલા દિવસો સુધી પ્રયત્ન કરીએ તો તે ઓલવાતી નથી. શરૂઆત એક નાનકડી ચિનગારી સાથે થઈ ત્યાં જઈને ઓલવવી હોય તો એકદમ સરળ છે .ક્રોધનું પણ એવું જ છે, શરૂઆતમાં જ એનુ શમન કરો. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ક્રોધ જેવો આવે, 10 સુધી ગણવા માંડો, ઊંડો શ્વાસ લઈ લો, એ બધા ઉપાય બરાબર છે. ક્રોધ વ્યક્ત કરવાથી તે વધતો જાય છે , તેથી એને પી લો.

બીજી વાત , ક્રોધ રોજ વારંવાર આવે તો એના મૂળમાં વિચાર કરવો જોઈએ કે મને વારંવાર ક્રોધ કેમ આવે છે? એ વિશેષતા છે કે તે એકલો નથી આવતો , તે બીજા વિકારોનું હનન કરવા માંગે છે. કામના માં વિઘ્ન આવે ત્યારે ક્રોધ આવે છે , અહંકારમાં વિઘ્ન આવે ત્યારે ક્રોધ આવે છે , લોભ પર વિઘ્ન પડે તો ક્રોધ આવે છે .આપણને કારણ વગર ક્રોધ નથી આવતો. આપણા અહંકાર, લોભ, મોહ વગેરેને ઠેસ પહોંચે તો ક્રોધ આવે છે . કોઈ જાનવર ના બચ્ચા ને છંછેડીએ તો એમને ક્રોધ આવી જાય છે, એમના મોહ ને ઠેસ વાગે છે. સૌથી વધારે ક્રોધ ત્યારે આવે છે કે મારી રીતે કોઈ કામ ન કરે..કારણ કે સૌથી બુદ્ધિશાળી તો હું જ છું. પત્નીને લાગે છે કે સૌથી વધુ બુદ્ધિશાળી હું છું, પતિને લાગે છે કે સૌથી બુદ્ધિશાળી હું છું. તો બાળકોને પણ લાગે છે કે સૌથી બુદ્ધિશાળી અમે છીએ, આ તો જુનવાણી વિચારનાં છે. સાસુ અને સસરા ને તો લાગે છે કે અમે તો વધારે અનુભવીએ છીએ , અને એને કારણે અમે વધારે હોશિયાર છીએ. આમ બધાને લાગે છે કે અમે સૌથી બુદ્ધિમાન છીએ. એને કારણે બધા ઈચ્છે છે કે સૌ લોકો મારી સાથે સારો વ્યવહાર કરે . અમને લાગે છે કે અમે સૌથી બુદ્ધિમાન છીએ , પણ બીજા એ માનવા તૈયાર નથી. આ કારણે બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે વ્યવહાર કરે છે. પોત પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરે છે. પોત પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરતા કરતા મારો અપેક્ષા ભંગ ન થઈ જાય એથી મને તકલીફ થાય છે, એ ધ્યાનમાં રાખો. બીજાનો વ્યવહાર મને ક્રોધિત નથી કરતો , પણ એ કારણે મારી અપેક્ષા પૂરી થતી નથી એથી મને ક્રોધ આવે છે. મને પાંચ વાગ્યે ચા જોઈએ એટલે જોઈએ જ. સવા પાંચ કઈ રીતે થઈ જાય? તરત જ બૂમો પાડવાનું શરૂ કર્યું . આમ તો શું ફરક પડે છે મને પાંચને બદલે સવા પાંચ વાગે ચા મળે તો? પણ મેં જબરદસ્તીથી પોતાના મનમાં એક અપેક્ષા રાખી, કે મને પાંચ વાગ્યે જ ચા પીવા જોઈએ તમે ધ્યાન કેમ નથી રાખતા? હવે એ બતાવો કે એ ચા પાંચને બદલે સવા પાંચ વાગે આવી એટલે મને ક્રોધ આવ્યો, કે મેં અપેક્ષા જ બનાવી રાખી કે પાંચ વાગ્યાની ચા મને પાંચ વાગ્યે જ મળે એટલે મને ક્રોધ આવ્યો? આમ બીજાના વ્યવહારને કારણે મને ક્રોધ નથી આવ્યો પણ મારી અપેક્ષા ને કારણે મને ક્રોધ આવ્યો. આ જ વહેવાર બીજો કરે તો મને ક્રોધ નથી આવતો . જેની પાસેથી મારી અપેક્ષા છે તેની ઉપર મને ક્રોધ આવ્યો . આમ ક્રોધનું મૂળ કારણ મારી અપેક્ષા છે. તો આવતા અઠવાડિયા સુધી પ્રયત્ન કરો કે કારણ કોઈ પણ હોય હું ક્રોધ નહીં કરું. હું મારા ક્રોધ પર કાબુ રાખું, અને પ્રયાસ કરું કે કોઈપણ રીતે ક્રોધ ના કરુ અને આવતા અઠવાડિયે વિવેચન વખતે બતાવો એ કેવું રહ્યું? સફળ રહ્યા કે અડધા સફળ રહ્યા ?.

ત્યાગ - બારમો ગુણ ત્યાગ છે . જે અવસ્થા મને પ્રિય છે તે અવસ્થા ન મળવાથી મનમાં અપ્રસન્નતા ન આવે એ ધ્યાન રાખો. આપણને લાગે છે કે ત્યાગ કરવો એટલે છોડવું, એ એનો શાબ્દિક અર્થ છે. તે એની મૌલિક ભાવના નથી. ગરમી ઘણી છે, લાઈટ- વીજળી જતી રહી. હવે હું‘હાય હાય ‘ શરૂ કરું છું, એકદમ બેકાર છે મોદી સરકાર, એમને તો મત આપીને ચૂંટવા જ ન જોઈએ. ગરમીમાં પણ વીજળી ના આપી શકે તો શું કરવું ? આવી સરકાર શું કામની? તરત આપણે વિજળી ઘરમાં ફોન કરીએ કે લાઈટ ક્યારે આવશે? હજી તો પંખો પૂરો બંધ પણ નથી થયો, ત્યાં તરત ફોન કરીને કહીએ છીએ કે વિજળી ક્યારે આવશે? આવી ગરમીમાં આપણે કઈ રીતે રહી શકીએ ? લાઈટ જતી રહી તો ભલે ગઈ, સહજ બની જાવ . ચા મળે કે ના મળે, કોઈ વાંધો નહીં .ત્યાં કોઈ વ્યક્તિવિશેષ કે વસ્તુ વિશેષ નો ત્યાગ કરવો પડે તો તે પણ કરવો જોઈએ .પણ આ આરંભિક બાબત છે, મૌલિક બાબત છે. ત્યાગ નો સ્વભાવ તમે સહજ સરળ બની જાવ. જ્યાં આગળ જે વસ્તુવ્યક્તિ મને અપેક્ષિત છે તે ન મળી , થોડી વાર પછી મળી , મળી કોઈ વાંધો નહીં. સભામાં દસ વ્યક્તિ છે , એમાંથી એકાદને ચા આપવાની રહી ગઈ, અથવા બહુ જ ઓછી બને તો વાંધો નહીં. આપણે દુઃખી થવાની જરૂર નથી. જે મળવાનું છે તે ન મળ્યું તો એનો ત્યાગ સહજ થઈ જાય તો એમાં ગભરાવાની જરૂર નથી. જેમ કે કેટલાક લોકો ચેટ કરી રહ્યા છે, બીજા કહે છે કે ચેટ ન કરો. આપણે સહન કરીએ. અને શું અઘરું છે ન પણ હટાવીએ તો? કરવા દો ને, આપણે બધું આપણી રીતે ચલાવવા કેમ માગીએ છીએ ?

अपैशुनम् શાંતિ. આપણે ગડબડ ક્યાં કરીએ છીએ?સુખોની આશામાં શાંતિ ગુમાવીએ છીએ. પૈસા ખૂબ પ્રાપ્ત થાય એ માટે પુરુષો પોતાની શાંતિ ગુમાવી દે છે. ઘર પર સંપૂર્ણ અધિકાર મારો થઈ જાય એ માટે સ્ત્રીઓ પોતાની શાંતિ ગુમાવી દે છે. જો પૈસા મળી જાય અને ઘર પર અધિકાર મળી જાય તો શું જોઈએ? તો કહે કે શાંતિ મળી જશે. શાંતિ ગુમાવીને શાંતિ મળી જશે ,શાંતિ એટલે સમતા.

सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ।

ભગવાન કહે છે કે છ વસ્તુઓમાં સમતા આવી ગઈ .સુખોમાં જેમને ખુશી વ્યક્ત કરવાની આદત છે, દુઃખોમાં એને એટલું જ રોવું પડે છે. જે જેટલું વધારે નાના નાના સુખોમાં ખુશ થાય છે, એને નાના નાના દુઃખો દુઃખી પણ કરે છે. સમતા લાવો. જીવનમાં શાંતતા લાવો.આપણે સુખોમાં વધારે ધ્યાન કેન્દ્રિત ન કરીએ, ,આપણે શાંતિમાં ધ્યાન કેન્દ્રિત કરીએ . સુખોના ત્યાગ માત્રથી શાંતિ મળે છે. શાંતિમય જીવન રહે. શાંતિ કોઈ કિંમતે ન ગુમાવી. કંઈક કિંમત આપીને પણ શાંતિ પ્રાપ્ત કરી દો .કારણ કે શાંતિ અમૂલ્ય છે. એટલે બીજાની નિંદા કરવી, ચુગલી કરવી. કોઈએ પૂછ્યું હિંસા ક્રોધ ક્યારે આવશ્યક છે? ક્યારેય આવશ્યક નથી. રાજા માટે આવશ્યક હશે. ભારત પર પાકિસ્તાન હુમલો કરે તો ભારતે શું જવાબ આપવો જોઈએ એ જવા દો . વ્યક્તિગત ધર્મમાં હિંસા ની કોઈ આવશ્યકતા નથી. ક્રોધ સારો અલંકાર છે. આમ તો ક્રોધ નહીં પણ એનો દેખાવ એ યોગ્ય આભૂષણ છે , પણ ક્રોધ કરતી વખતે તમે માથું બીજી તરફ લઈને થોડા હસતાં હસતાં ક્રોધ કરી શકો છો. .તો એ ક્રોધ આભૂષણ છે , પણ જ્યારે ક્રોધ કરતી વખતે તમારી આંખો મોટી થાય, હોઠ થરથરે,બ્લડપ્રેશર વધી જાય તો એ ક્રોધ તમારી પર કબજો મેળવી લે છે. અને હવે એ આભૂષણ નથી, હવે તો એ નાશ કરનાર છે. બાળકને પણ એના હિત માટે થોડુંક લડી લો કે એકાદ થપ્પડ લગાવી દો તો એ ક્રોધનો વાંધો નથી. આ ક્રોધ આપને હતાશા છુપાવવા માટે નથી , પણ એ સારું વર્તન બાળક કરે તે માટે છે. એ સારો બને , એનું કલ્યાણ થાય , એને વાત સમજાય , એટલા માટે એને ક્યારેક લડવું પડે અથવા એક થપ્પડ મારવી પડે તો વાંધો નહીં. જો એમાં મારતી વખતે મોઢું ફેરવીને તમે થોડુંક હસી શકો છો તો તમારો ક્રોધ પર તો કાબુ છે, અને આ ક્રોધ તમારા માટે આભૂષણ સમાન છે પણ જો તે તમારી પર ચડી બેઠી બેસે છે તો ગડબડ થશે, અને વાત બગડી જશે.
 ભગવાન કહે છે કે કોઈની નિંદા ન કરો , ચુગલી ન કરો , એને વિશે અપશબ્દ ન બોલો. ભગવાનને એ ખરાબ લાગે છે અને આપણને એમાં મજા આવે છે. ખુજલી અને નિંદા એ બંને એવા દોષ છે કે ખબર છે કે ખંજવાળ્યા કરીશ તો અહીં ઘા તાજો થશે , અથવા લોહી નીકળશે છતાં પણ ખંજવાળવાની મજા આવે છે. નિંદા કરતી વખતે તો ખબર છે કે એને ખબર પડી જશે અને વાત બગડી જશે, તો પણ કરે છે. જુઓ હું તમને કહું છું પણ તમે કોઈને કહેતા નહીં. આવું કહીને આપણે બીજાની નિંદા કરવામાં ખૂબ રસ લઈએ છીએ. જ્યાં નિંદા થાય છે ત્યાંથી પોતાને દૂર રાખીએ, આપણા પરિવારના કોઈ દોષ દેખાય તો તેને ઢાંકી લેવા જોઈએ, પ્રકટ ન કરવા જોઈએ .બીજાના દોષોને પ્રકટ ન કરવા, એને છુપાવો .છુપાવવુ એ દૈવીપણુ છે, જ્યારે ઉઘાડવું એ આસુરીપણું છે .બીજાના દોષોને ત્રીજા ની સામે ઉઘાડા કરવા એ આસુરી પણું છે, જ્યારે કોઈના દોષોને ખબર પડી જાય અને તેને છુપાવીએ તો એ દૈવીપણુ છે.

તો એક અઠવાડિયા માટે વ્રત લઈ લો કે હું કોઈની નિંદા ચુગલી નહીં કરું , પડોશીને ત્યાં શું થયું એ કામવાળી બાઈ પાસેથી જાણી લઈએ છીએ, તે એક અઠવાડિયા સુધી બંધ રાખો.

दया भूतेषु દયા કોઈ સામયિક કર્મ નથી. દયા એ કરી શકે છે કે જેનો સ્વભાવ દયાળુ છે .એક વ્યક્તિ ઘણો દયાળુ છે , બીજાનું કષ્ટ એનાથી જોવાતુ નથી. એ દયાનો સ્વભાવ છે .મારી વસ્તુ બીજાને ઉપયોગમાં આવે એ દયાળુ સ્વભાવ છે, મારી હોશિયારી , મારી યોગ્યતા, મારુ બળ, મારી સમૃદ્ધિ, જે કંઈ પણ ભગવાને મને આપ્યું છે તે બીજાઓની સેવામાં કામમાં આવે. જેને મારા કરતાં વધારે આવશ્યકતા હોય તેને હું આપી દઉં એ દયા નો સ્વભાવ છે. આ સામયિક નથી , વર્ષમાં એક વખત કરવાની ઘટના નથી, રોજે રોજ મારા હાથે, મારા પરિચિત, ઓળખીતા તેમજ ઓળખીતા ના હોય એવા પણ લોકોની પ્રત્યે દયા બતાવી શકો. ગરમી બહુ હોય તો ધાબા પર પાણી ભરીને વાસણોમાં મૂકી દો તો એ દયા છે. એ મારો સ્વભાવ છે .તેના બદલામાં મને કોઈ અપેક્ષા નથી. દયાના પાત્ર માટે દોષનો વિચાર નથી કરતો. અરે એકવાર આપીએ તો રોજે રોજ માગવા આવશે. આવે તો રોજે રોજ આપી દો ને? શું કઠિન છે? એક દિવસ આપીશું તો ગાય રોજે રોજ આવશે. આવવા દો ને, સારી વાત છે. તમને ભગવાને એ લાયક બનાવ્યા છે તો એનાથી વધારે સારું શું હોઈ શકે ?અને સૌથી વધુ કુશળતા તો એ છે કે જેને દયાની આવશ્યકતા છે તેને ઉપદેશ ના આપ્યા કરો. ક્યારેક કોઈ દુઃખી હોય, કોઈ નુકસાન થયું હોય, કોઈ નાપાસ થયો હોય તો આપણે બધા એને જઈને ઉપદેશ આપીએ છીએ .દયા તો કરતા જ નથી , એ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે .જે દયાને પાત્ર છે તેમને ઉપદેશ ક્યારેય પણ ન કરવો જોઈએ. તે થોડો પોતાની જાતને સંભાળી લે પછી તેને ઉપદેશ આપી શકાય. કોઈ વેપારમાં નુકસાન થાય તો તેને સહાનુભૂતિ જોઈએ કે ઉપદેશ ?

અત્યારે ગરમી વધુ છે , તો પશુ પક્ષીઓ માટે પાણી ભરી રાખો. ઘણી આવશ્યકતા છે . અત્યારે જે કરે તેઓ પોતાનો સંકલ્પ લખે. બાકી જે આવશ્યકતા પડે ત્યાં આપણી આસપાસ સૌને દયાળુ બનીને ઉદાર બનીને, અને ભગવાને આપણને એટલે આપ્યું છે કે તે હું સૌને વહેંચી શકું એ ભાવનાથી કરો.

अलोलुप्तं લોલુપ એટલે કે જેને બીજાનું સારું જોઈને લાલ ટપકતી હોય, બીજાનું ટીવી જોઈને લાગે કે આનો ટીવી કેટલો સરસ છે કે આના પડદા કેટલા સરસ છે ! મારા મકાનમાં આવા પડદા લગાવું .સોફા જોયા તો સોફા કેટલા સુંદર છે , અરે એ જવા દો, કોઈના જમાઈ જુઓ તો કેટલો સુંદર જમાઈ છે ! મારો પણ એટલો સુંદર જમાઈ હોય. બીજાનું જે પણ જોઈએ તો તેને સારું જ લાગે છે. લાળ ટપકયા કરે છે ભોગોની લાલસા માટે.જ્યાં જે વસ્તુ બીજા પાસે દેખાય તે મારી પાસે ક્યારે આવે? ભગવાન કહે છે કે અલોલુપ બની જઈએ. આ જે કોઈને આંખોથી જ સમજાઈ જાય છે આંખોથી જ ખબર પડે છે કે તે કેટલો લાલચી છે ! તેની આંખોમાં જે ચમક દેખાય તેના પરથી જ તેમની ખબર પડી જાય. કથા સાંભળવા જાય ત્યારે પણ પ્રસાદનું એક પેકેટ હું વધારાનું લઈ લઉં એવી ભાવના જોવા મળે છે. એક સ્વભાવ હોય છે કે કંઈ પણ પડીકા મળે તો લઈ લો.જાહેરાતના ચોપાનિયાં જોઈએ તો પણ તેને પણ લઈ લેવાની ઈચ્છા થાય છે. આજકાલ એમેઝોન flipkart પર આપણને ઉલ્લુ બનાવતી જાહેરાતો આવે છે, અને આપણે ઉલ્લુ બની જઈએ છીએ .લોકો વાટ જોતા હોય છે કે ક્યારેય વિક એન્ડ ડેઝ અઠવાડિયાના અંતિમ દિવસોની જાહેરાતો આવશે અને મને મફતમાં કંઈ પણ મળી જાય. પણ આપણો સ્વભાવ જ એવો હોવો જોઈએ કે મને મફતમાં કંઈ જોઈતું જ નથી. મફત કોઈ વસ્તુ હું શા માટે લઉં ? . ભગવાને મને ભિખારી થોડો જ બનાવ્યો છે ?બધા જ પ્રકારના સાધનોથી મને સંપન્ન બનાવ્યો, તે છતાં પણ હું જોયા કરું છું કે મને મફતમાં શું મળશે ? હું સક્ષમ છું , પૈસા ચૂકવીશ. મને કંઈ મફત મળે તો નથી જોઈતું. આ પછી કોઈ મફત વાળી વસ્તુ દેખાય તો એની તરફ દુર્લક્ષ કરો .મફત વાળી વસ્તુ મને બતાવો જ નહીં. યોગ્ય કિંમત આપીને જે મળે તે જ મને જોઈએ.

मार्दवं માર્દવ એટલે કોમળતા. કેટલાક લોકોની બોલીમાં જ એટલી મીઠાશ હોય છે કે ક્યારેક આપણે ઉદાસ હોઈએ કે નારાજ હોઈએ તો એવી વ્યક્તિને શોધીએ છીએ કે એની પાસે બેસીએ તો થોડીક શાંતિ મળશે .એની પાસે કોમળતા હોય છે , કઠોરતા નહીં. મલમની જેમ બીજાના જખમને ભરનારી .એમનો સ્વભાવ બીજાને આરામ આપનાર હોય છે. કેટલાક લોકોનો સ્વભાવ બધાને પરેશાન કરે છે, જ્યારે કેટલાક લોકોનો સ્વભાવ સહુને આરામ આપે છે .મારો સ્વભાવ કેવો છે ? લોકો મારા સ્વભાવથી ઉશ્કેરાય છે કે મારા સ્વભાવથી આરામ અનુભવે છે .મારી આસપાસના સૌની સાથે હું સહજ આરામદાયક અનુભવું છું.

ह्रीर. હ્રીર નો અર્થ છે લજ્જા.જે કામ કરવું યોગ્ય નથી ,તે કામ કરવાની મને થોડીક શરમ આવે, થોડોક સંકોચ થાય તે હ્રીર.

अचापलं। સફળતા નો અભાવ. આપણી બધી ઇન્દ્રિયો ચંચળ હોય છે .સૌથી ચંચળ હોય છે આપણે આંખો. .ચારે બાજુ આમતેમ ફરતી હોય છે. કેટલાકની આંખો ચારે બાજુઓ સ્કેનરની જેમ ચકાસતી હોય છે. શાંતિથી બેસો ને! આજકાલની વાત નથી, જુના જમાનામાં જ્યારે છોકરી જોવા જવાની વાત હોય,( આજકાલ તો છોકરો જોવા જવાનું હોય છોકરી નહીં - )તો વડીલો છોકરીની આંખો જોતા. એની આંખો જ આપણે જેટલી વાર બેઠા હતા એટલી વારમાં કેટલી વાર આમ તેમ ફરતી હતી !જો તે ફરતી ન હતી, તો તેનો અર્થ શાંત સ્વભાવની છે. અને જો તેની આંખો ચારે બાજુ ચક્કર ચક્કર કરતી હોય, તો તેઓ આ માગું જવા દેતા .આ છોકરી ઘણી ચાલાક -ચંચળ છે. આ વાત જવા દઈએ તો પણ આંખોથી સ્વભાવ જાણી શકાય છે .આંખોમાં જેટલી વધારે ચંચળતા દેખાય એ વ્યક્તિનું મન તેટલું જ અસ્થિર હોય છે. આંખોની ચંચળતા હોય, હાથોની ચંચળતા હોય, પગની ચંચળતા હોય .આપણામાંથી કેટલા લોકો વિવેચનમાં સીધા બેસે છે ? વિવેચન એટલે કોઈ પણ કામમાં આપણે બેઠા બેઠા હાથ ખંજવાળ્યા કરીએ , ક્યારેક ગાલ ખંજવાળ્યા કરીએ , ક્યારેક સાડીનો છેડો ફેરવફેરવ કરીએ, કોઈ ઘાસ પર બેઠા હોય તો ઘાસ તોડે છે, કોઈ પગ હલાવ્યા કરે છે આમ તેમ .આ વ્યર્થની ચષ્ટાઓ એ જ સંચળતા છે. જીવનમાં ચંચલતાની ન્યૂનતમ હોવી જોઈએ

મને યાદ છે કે નાનપણમાં અમે ગીતા પારાયણમાં જતા હતા. હજી પણ જઈએ છીએ તો એ સમયે મહંત શ્રી ક્ષમારામજી શાસ્ત્રી જે હજી પણ છે, અને હજી પણ પારાયણ કરે છે, તો આજે પણ હું કલ્પના કરું છું કે એમનો એમની ઇન્દ્રિયો પર કેટલો સંયમ હતો કે રામાયણનું પારાયણ રોજ ત્રણથી છ કલાક તેઓ કરતા હતા. સંપૂર્ણ પારાયણ દરમિયાન એમની આંખો ઉપર ઉઠતી ન હતી. છ કલાક પોતાની દ્રષ્ટિ ને ગ્રંથ પર મૂકીને એકવાર પણ એ ઉપર જોતા ન હતા .એમનો સ્વર પણ ઉપર નીચે થતો ન હતો. મહંતશ્રી ક્ષમા રામજી શાસ્ત્રી એમનો youtube પર ઓડિયો તમને જરૂર પ્રાપ્ત થશે. એમનો રામાયણ પાઠ, સુંદરકાંડ પાઠ પ્રાપ્ત થશે.મેં પણ એમના સાનિધ્યમાં ઘણા પારાયણ કર્યા .એટલો અદભુત એમનો સંયમ હતો કે સંપૂર્ણ સમય દરમ્યાન એમની દૃષ્ટિ નીચે જ રહેતી. કોણ આવ્યું? કોણ સાંભળી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે , હજારો લોકો એમના પંડાલમાં આવી રહ્યા હતા. પણ તેમણે ક્યારેય જોયું જ નહીં કે કોણ આવ્યું, કોણ ગયું. એ બધા સાથે તેમને કોઈ નિસ્બત ન હતી. એક વખત પણ એમની આંખો છ કલાક દરમિયાન ઉપર ઉઠી તે દેખાશે નહીં એટલો ગજબનો સંયમ હતો. 

આપણે પણ આ સંયમનો અભ્યાસ કરીએ. આપણે આગળના એક અઠવાડિયા દરમિયાન આપણામાંથી ચંચળતા દૂર કરવાનો પ્રયત્ન કરીએ.



16.3

તેજઃ ક્ષમા ધૃતિઃ(શ્) શૌચમ્, અદ્રોહો નાતિમાનિતા।
ભવન્તિ સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતસ્ય ભારત॥૧૬.૩॥

તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું - આ સઘળાં હે ભારત! દૈવી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

16.3 writeup

16.4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥

હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન - આ સઘળાં આસુરી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

ફરારીના શોરૂમમાં ગયો અને તેની સાથે ઉભા રહીને ફોટો પડાવ્યો. તે સોશિયલ મીડિયા દ્વારા પ્રિયજનોને બતાવે છે અને જ્યારે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર હસતા હોય છે. જે તમારી નથી તેના પ્રત્યે આવી લાગણી દર્શાવવી એ ઘમંડ છે. આપણી વસ્તુઓ પર ગર્વ કરવો શરમજનક છે. હું ખૂબ જ બુદ્ધિશાળી છું, ખૂબ જ ધનવાન છું, ખૂબ જ સુંદર છું, ખૂબ જ શક્તિશાળી છું, મારી પાસે ખૂબ સારા જોડાણ છે, આ બધું ગૌરવ છે. ક્રોધને પોતાની અંદર રાખવો એ શૈતાની ગુણ છે.

पारुष्य (मार्दवं के विपरीत होता है)।

મતલબ કઠિનતા. કેટલાક લોકો જીવનમાં ખૂબ જ કઠોર હોય છે, તેઓ પોતાની અંદર કઠિનતાને પોષે છે અને ઓગળતા નથી, જે ન થવું જોઈએ.

 હવે અજ્ઞાનનો પરિચય આપીએ. કેટલાક લોકો પોતાના અજ્ઞાનથી પણ અજાણ હોય છે. તેઓ જે નથી જાણતા તે પણ જાણતા નથી. કેટલાક લોકો કહે છે કે થોડું જાણ્યા પછી બધું જ ખબર પડે છે. એક જ્ઞાની માણસે ખૂબ જ સુંદર વાત કહી:

 હું જેટલું વધુ વાંચું છું, એટલું જ મને સમજાયું કે હું કેટલો અજ્ઞાન હતો અને હું કેટલો જાણતો ન હતો. 

પોતાના અજ્ઞાનને ન ઓળખવું એ રાક્ષસી વૃત્તિ છે.

16.5

દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાઈ છે; તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાર્થ! તું શોક કર મા.

દૈવી સંપત્તિ મુક્તિ માટે છે અને આસુરી સંપત્તિ બંધન માટે છે, પણ હે અર્જુન! શોક ન કરો કારણ કે ભગવાન સાબિત કરી રહ્યા છે કે તમે બધી દૈવી સંપત્તિ સાથે જન્મ્યા છો.

16.6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥

હે પાર્થ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે : એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો; એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિષે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્યસમુદાય વિષે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ.

ભગવાન શ્રી કહે છે કે હે અર્જુન! આ બ્રહ્માંડમાં બે પ્રકારના ભૂત છે - એક દૈવી અને બીજું આસુરી. એક દૈવી પ્રકૃતિનો છે અને બીજો આસુરી સ્વભાવનો છે. દૈવી વૃત્તિઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, હવે તમારે આસુરી વૃત્તિઓ વિશે જાણવું પડશે. ભગવાન આપણી અંદર કઈ શૈતાની વૃત્તિઓ છે તેના પર ધ્યાન આપવાનું કહે છે.

16.7

પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥

આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ - આ બેયને નથી જાણતા; માટે એમનામાં નથી તો બાહ્ય-આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્યભાષણ પણ હોતું.

ભગવાન શ્રી કહે છે કે હે અર્જુન! આસુરી પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પ્રવૃતિ અને અપ્રવૃત્તિને જાણતી નથી, એટલે કે શું કરવું અને શું ન કરવું? તેઓ આ જાણતા નથી અને શૈતાની પ્રકૃતિના છે. ત્યારે શું કરવું? ત્યારે શું કહેવું? ક્યારે શું ન કરવું? ક્યારે અને શું ન કહેવું? આ ખબર નથી. આવા લોકોમાં ન તો સારી રીતભાત હોય છે, ન તો સારી રીતભાત હોય છે અને ન તો તેમની વાણીમાં સત્ય હોય છે.






16.8

અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥

આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત્ આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે; એ કામ સિવાય બીજું શું છે .

હે અર્જુન! આસુરી વૃત્તિવાળા લોકો કહે છે કે દુનિયા આશ્રય વિનાની છે. તેઓ માનતા નથી કે ભગવાન નામની કોઈ વસ્તુ છે. કેટલાક રામ હતા! કેટલાક કૃષ્ણ હતા! આ બધી કાલ્પનિક બાબતો છે. બસ, ઋષિઓએ બેસીને કંઈક લખ્યું, કેટલીક મૂર્તિઓ બનાવી, આ બધું ખરા અર્થમાં કંઈ નથી. આસુરી વૃત્તિ ધરાવતા લોકો માને છે કે આ બ્રહ્માંડ સ્ત્રી અને પુરુષના મિલનને કારણે આગળ વધતું રહે છે અને બીજું કંઈ નથી.

16.9

એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥

આ મિથ્યા દૃષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદબુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે.

હે અર્જુન, આ મિથ્યા જ્ઞાન પર ભરોસો રાખીને જેનું જ્ઞાન નાશ પામ્યું છે, જેમનો સ્વભાવ નાશ પામ્યો છે, તેમની બુદ્ધિ નીરસ છે. જે લોકો દરેકનું નુકસાન કરે છે અને હિંસક કાર્યો કરે છે તેઓ વિશ્વના વિનાશક બની ગયા છે.

16.10

કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥

દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે.

અહંકાર, અભિમાન અને ઈર્ષ્યાથી ભરેલા લોકો પરિપૂર્ણ ન થઈ શકે તેવી ઈચ્છાઓનો આશ્રય લઈને અને ખોટા સિદ્ધાંતો અપનાવીને અને ભ્રષ્ટ વ્યવહાર અપનાવીને દુનિયામાં ભટકે છે. જે ભવિષ્યમાં બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે, તે ઈચ્છાઓની પૂર્તિની આશામાં બધા ખોટા કામો કરે છે અને તે ઈચ્છાઓને ભ્રષ્ટ વર્તન દ્વારા પણ પૂર્ણ કરવા માંગે છે.

16.11

ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥

તથા તેઓ મૃત્યુપર્યન્ત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને 'આટલું જ સુખ છે' એમ માનનારા હોય છે.

જેઓ અસંખ્ય ચિંતાઓનો આશરો લે છે જે મૃત્યુ સુધી રહે છે, જેઓ સાંસારિક વસ્તુઓનો આનંદ માણવામાં વ્યસ્ત રહે છે, જેઓ કહે છે કે આ જ સુખ છે, આજ માટે જીવો, આજના સુખનો આનંદ માણો, ભવિષ્ય જોવા મળશે, તે આસુરી સ્વભાવના છે.

16.12

આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥

આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ-ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે.

આશાની સેંકડો સાંકળોથી બંધાયેલા લોકો વાસના અને ક્રોધ પર આધારિત બની જાય છે અને વિષયાસક્ત સુખો માટે અન્યાયી રીતે સંપત્તિ વગેરે એકઠા કરવાનો પ્રયાસ કરે છે.

શ્રી ભગવાન કહે છે-
આશાઓ આપણા બધા દુ:ખનું કારણ છે.

આ જીવનમાં આપણી પાસે જેટલી વધુ આશાઓ અને આકાંક્ષાઓ છે, તેટલા વધુ પાપો આપણે કરીએ છીએ. જેટલી આકાંક્ષાઓ હશે, તેટલા વધુ પૈસાની જરૂર પડશે. વધુ પૈસાની આશાએ અમે કંઈ પણ ખોટું કરવા તૈયાર છીએ. તમારે ગમે તેટલું ખોટું કરવું હોય, તે કરો, જ્યાં સુધી તમને પૈસા મળે ત્યાં સુધી તે ઠીક છે. જો તમે તમારા પરિવારના સભ્યો સાથે ખોટું કરવા માંગો છો, તો તે કરો. જો તમારે તમારા ભાઈઓ સાથે ખોટું કરવું હોય તો કરો. કોઈને અન્યાય કરવો હોય તો કરો. વિચાર એવો બની જાય છે કે તમે ગમે તેટલા પૈસા ભેગા કરવા માંગતા હોવ, તે કરો, તેમાં ખુશી છે.

જેમની પાસે આવી આશાઓ હોય છે, તેમની આશા ક્યારેય પૂરી થતી નથી. કેટલીક આશાઓ પૂરી થાય તો પણ નવી આશાઓ સર્જાય છે. તેઓ સેંકડો ફાંસી પર તેમની આશાઓ બાંધીને તેમના જીવનનો નાશ કરે છે. આપણને કશું મળતું નથી અને બધું જ ગુમાવી દઈએ છીએ.

16.13

ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥

તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે.

ચાલો આપણે આગળ વિચારીએ કે આજે આપણે ઘણું બધું હાંસલ કર્યું છે, આવતીકાલે આપણે કંઈક વધુ હાંસલ કરીશું. અમારી પાસે પહેલાથી જ આટલા પૈસા છે, અમને વધુ મળશે. બસ આ જ આશાઓ ચાલુ રહેશે.

તમે જેટલા પૈસા ભેગા કરો છો,
એટલા આપ વધુ લોભી બનો છો.
તેના માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે.

સંતો બહુ સારી વાત કહે છે. માણસ જેટલો ધનવાન બને છે, તેટલો ગરીબ બને છે. તેની પાસે જે કંઈ છે તેટલી જ તે લોન લે છે અને તેને વધારવાનો પ્રયાસ કરે છે.

16.14

અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥

પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ, હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું.

આશામાં ડૂબેલા માણસની વિચારસરણી જુઓ. વિચારવાનું શરૂ કરો, આપણે તે દુશ્મનોને મારી નાખ્યા છે, હવે આપણે બીજા દુશ્મનોને પણ મારીશું. આપણે ભગવાનના રૂપમાં સર્વશક્તિમાન છીએ. આપણે આનંદ માણવા જઈએ છીએ. તેઓ વિચારે છે કે આપણે સંપૂર્ણ, ખૂબ જ મજબૂત અને ખુશ છીએ.

હિરણ્યકશ્યપને યાદ કરો, તેણે ભગવાન વિષ્ણુની મૂર્તિઓનો નાશ કર્યો હતો. મારી મૂર્તિઓ સ્થાપિત કરી. તે કહેવાનું શરૂ કરે છે કે તે ભગવાન છે અને લોકોને તેની પૂજા કરવાનું કહે છે.

16.15

આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥

હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ-મજા કરીશ – આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમજ વિષયભોગોમાં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરકમાં પડે છે.

16.15 writeup

16.16

અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥

અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળ થી વીંટળાયેલા, તેમજ વિષયભોગો માં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરક માં પડે છે.

હું બહુ અમીર છું, મારો મોટો પરિવાર છે, મારા જેવો કોણ છે? અહીં આપણે દુર્યોધનને યાદ કરી શકીએ છીએ. હું યજ્ઞ કરીશ, દાન કરીશ, મોજ કરીશ. આ રીતે આ આસુરી શક્તિઓ અજ્ઞાનથી મોહિત રહે છે. તેમની ક્યારેય ન સમાપ્ત થતી ઈચ્છાઓને કારણે તેઓ ભ્રમના મોહમાં સારી રીતે ફસાઈ જાય છે. આસુરી પ્રકૃતિના લોકો જે વસ્તુઓ અને આનંદ સાથે અત્યંત આસક્ત હોય છે તેઓ અત્યંત અશુદ્ધ સંસારમાં આવે છે.

16.17

આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥

એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામમાત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે.

અહંકારી લોકો જે પોતાને શ્રેષ્ઠ માને છે, ધન અને માન-સન્માનના નશામાં મશગુલ છે, તેઓ માત્ર નામના, દંભથી અને શાસ્ત્રો વિના યજ્ઞ કરે છે. આ દિવસોમાં આવું કરવું ખૂબ થઈ ગયું છે. નવરાત્રિ માટે પંડાલો શણગારવામાં આવે છે, જ્યાં શાસ્ત્રોનું પાલન કર્યા વિના પૂજા કરવામાં આવે છે. બધા પંડાલોમાં આ રીતે થાય છે એમ કહી શકાય નહીં, પરંતુ મોટા ભાગના પંડાલોમાં પૂજા-અર્ચના અને હવન શાસ્ત્રોક્ત વિધિ વિના જ થાય છે.

ગણેશોત્સવ દરમિયાન, ભગવાન ગણેશની એક નાની મૂર્તિ પંડાલમાં રાખવામાં આવે છે અને તેના આયોજકનું એક મોટું કટઆઉટ ગણેશની મૂર્તિની બાજુમાં મૂકવામાં આવે છે. આપણે એ પણ જોયું છે કે દેવી-દેવતાઓના પંડાલો સજાવવામાં આવે છે અને તેમાં અભદ્ર ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે. તેઓ શું કરી રહ્યા છે તેની દલીલ પણ નથી કરતા? પંડાલ સાથે સંબંધિત વરિષ્ઠ લોકો પણ કાર્યકરોને સમજાવતા નથી.


16.18

અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥

અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યાપચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અન્તર્યામીનો જ દ્વેષ કરે છે.

જે લોકો અહંકાર, જિદ્દ, અભિમાન, ઈચ્છા અને ક્રોધનો આશ્રય લે છે, તેઓ પોતાના અને બીજાના દેહમાં વાસ કરનાર આંતરિક મારા પ્રત્યે દ્વેષ રાખે છે. તેઓ ભગવાનમાં માનતા નથી અને ભગવાનને ધિક્કારે છે.



16.19

તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥

એ દ્વેષ કરનારા, પાપાચારીઓ અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું.

દુનિયાના એ ધિક્કારપાત્ર, પાપી અને ક્રૂર મનુષ્યોને હું વારંવાર શૈતાની અને અશુદ્ધ જાતિઓમાં મૂકતો રહું છું.

16.20

આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥

હે કૌન્તેય! એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકોમાં પડે છે.

શ્રી ભગવાન આગળ કહે છે કે હે અર્જુન! એ મૂર્ખ લોકો મને પ્રાપ્ત કરવાને બદલે અનેક જન્મો સુધી આસુરી જન્મમાં જાય છે અને તેનાથી પણ નીચી સ્થિતિમાં જાય છે, એટલે કે તેઓ ગંભીર નરકમાં જાય છે.

16.21

ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥

કામ, ક્રોધ તથા લોભ - આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર આત્માનો નાશ કરનારાં એટલે કે એને અધોગતિએ લઈ જનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી દેવાં જોઈએ.

શ્રી ભગવાન આગળ કહે છે, વાસના, ક્રોધ અને લોભ એ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે. આપણને અહીં થોડી શંકા થવા લાગે છે કારણ કે આપણને પણ વાસના, ક્રોધ અને લોભ છે તો શું આપણે નરકમાં જવાના છીએ? મતલબ કે ઈચ્છાઓનો ધસારો બધા મનુષ્યો પર આવશે, તે સ્વાભાવિક છે, પરંતુ જે આ ધસારાને રોકી શકતો નથી તે નરકમાં જાય છે. તેવી જ રીતે ક્રોધ અને લોભની તીવ્રતા પણ વધે છે. જો માણસ તેને રોકી શકતો નથી, તો તે નરકમાં જાય છે, એટલે કે આ જુસ્સો માણસને અધોગતિ તરફ લઈ જાય છે, તેથી આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.

16.22

એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥

હે કુન્તીપુત્ર! આ ત્રણેય નરકનાં દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે આ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે.

ભગવાન શ્રી કહે છે કે હે અર્જુન! ઓ કુંતી-નંદન! નરકના આ ત્રણેય દ્વારોથી મુક્ત થયેલો માણસ પોતાનું કલ્યાણ કરે છે અને તેના દ્વારા તે પરમ રાજ્યને પ્રાપ્ત કરે છે. છેલ્લી બે પંક્તિઓમાં, ભગવાન ખૂબ જ મહત્વપૂર્ણ જીવન સૂત્ર આપે છે. આપણામાંના ઘણા, જેઓ પોતાને ધાર્મિક અને આધ્યાત્મિક અભ્યાસના ભક્તો માને છે, તેઓ પણ આવી ભૂલ કરે છે. શ્રી ભગવાન આવી ભૂલો સામે ચેતવણી આપે છે.

16.23

યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને.

હે અર્જુન, જે વ્યક્તિ શાસ્ત્રોનો ત્યાગ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તેને ન તો સફળતા મળે છે, ન તો સુખ-શાંતિ, ન તો પરમ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. આજકાલ આપણે માનવા લાગ્યા છીએ કે આપણા જ્ઞાનનું સ્તર ઘણું વધી ગયું છે. આપણે વિવિધ માધ્યમો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આના કારણે માણસ પોતાની બુદ્ધિમત્તા વિશે મૂંઝવણમાં પડી જાય છે.

જે લોકો પોતાને વધુ શિક્ષિત માને છે તેઓ પણ શાસ્ત્રોની પરંપરાઓને અવગણવા લાગે છે. આ વાત પરમ પૂજ્ય સ્વામીજી પોતે કહે છે. તમને એવા ઘણા લોકો મળશે જે કહે છે કે તમે આ શ્રાદ્ધ શા માટે કરો છો? કોણે જોયું છે કે તેઓ કામ કરાવે છે? આપણે અનાથાશ્રમમાં જઈને બાળકોને ખવડાવીએ છીએ, બસ, પણ શ્રાદ્ધના દિવસે આપણે અનાથાશ્રમમાં જઈને બાળકોને ભોજન કરાવીને શ્રાદ્ધનું કામ પૂરું કરવું હોય તો તે યોગ્ય નથી. આ સારી રીતભાત નથી. આ શાસ્ત્રોનો અનાદર છે. ઘણા પ્રસંગોએ જો આપણે બ્રાહ્મણોને દેવતાઓ ન કહીએ અને પોતાના પ્રમાણે કર્મકાંડ કરીએ તો તે યોગ્ય નથી. જો આપણે શાસ્ત્રોની અવગણના કરીને કંઈપણ કરીશું તો આપણને ન તો સુખ મળશે, ન સફળતા મળશે, ન તો અંતિમ પ્રગતિ મળશે.

16.24

તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥

આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે.

 में,ભગવાન શ્રી કહે છે કે હે અર્જુન! ફરજ અને ફરજ સિવાયની સિસ્ટમમાં,

Do's and Don'ts.

 जो करना है और जो नहीं करना है।
इसमें शास्त्र ही प्रमाण हैं।

શાસ્ત્રો દ્વારા નિર્ધારિત કર્તવ્યોનું પાલન કરવું જ સાર્થક છે. હવે આપણા મનમાં આ ભ્રમ આવે છે કે આપણે શાસ્ત્રો જાણતા નથી. આપણે શાસ્ત્રો પણ વાંચ્યા નથી. આપણે કેવી રીતે જાણીશું? આ બાબતો માટે શાસ્ત્રો વધારે વાંચવાની જરૂર નથી. આપણા પૂર્વજોએ લાંબા સમયથી જે પરંપરાઓનું પાલન કર્યું છે તે શાસ્ત્રો છે. આ બાબતોનું ઉલ્લંઘન એ શાસ્ત્રોનું ઉલ્લંઘન છે. જો પરંપરાઓમાં કોઈ ખામી હોય તો કોઈની બુદ્ધિનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ આચાર્ય, કોઈ સંત કે કોઈ મહાપુરુષ સાથે ચર્ચા કરીને ઉકેલ શોધવો જોઈએ.

   આ સાથે શ્રી ભગવાન સોળમા અધ્યાયની સમાપ્તિ કરે છે.

हरि शरणं! हरि शरणं! हरि शरणं!
हरि शरणं! हरि शरणं
योगेश्वर श्रीकृष्ण भगवान् की जय।
પ્રશ્નકર્તા : સ્નેહલતા દીદી 
 પ્રશ્ન: અસદગ્રહણ શું છે? 
 જવાબ: એક સારા ગ્રહો, એટલે કે ખોટા સિદ્ધાંત. જે સિદ્ધાંતો ખોટા છે તેને અસદગ્રહણ કહેવાય છે. 

 પ્રશ્નકર્તા : બાલકૃષ્ણ ગુંડા ભૈયા 
 પ્ર: શું માસિક સ્રાવ દરમિયાન સ્પર્શ કરવાથી વસ્તુઓ બગડે છે? 
 જવાબ: સ્પર્શ કરવાથી બગડવાનો કોઈ અર્થ નથી. સોળમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં આપણે શૌચમ વાંચ્યું છે - 

 તેજ, ક્ષમા, ધૈર્ય, શુદ્ધતા, વિશ્વાસઘાત, અને ઘમંડ નહીં. 16:0 

 અહીં શુદ્ધતાનો મુદ્દો છે. માસિક ધર્મમાં શુદ્ધતા હોતી નથી તેથી તેને સ્પર્શ ન કરવો જોઈએ. તે અશુદ્ધ અવસ્થામાં પ્રતિષ્ઠિત હોવું જોઈએ. તમે શ્રીમદ ભગવદ ગીતા વાંચી શકો છો. તે અવસ્થામાં ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરવો યોગ્ય નથી. આ અમર્યાદિત આચાર હશે. કોઈ સ્નાન કર્યા વિના મંદિરે જાય છે, ભગવાન તેને મનાઈ નથી કરતા પણ તે અપવિત્ર છે. ગૌરવને અનુસરવાથી જીવનની પરાકાષ્ઠા થાય છે. 
પ્રશ્નકર્તા- સત્યમિત્ર ચૌહાણ ભૈયા 
 પ્રશ્ન- મહાભારત પુસ્તકમાં યુદ્ધનું વર્ણન છે? અથવા બીજું કંઈક છે? 
 જવાબ- મહાભારત માત્ર યુદ્ધનું વર્ણન નથી. સમગ્ર મહાભારતમાં અઢાર ઉત્સવો છે. આ ખૂબ જ વિશાળ અને વિગતવાર પુસ્તકનું મૂળ નામ જય સંહિતા છે. આ વાંચવાથી જીવનમાં સફળતા અને વિજય પ્રાપ્ત કરવાના ગુણો આવે છે. જીવનમાં આપણે જે પણ વ્યક્તિને મળીએ છીએ તે મહાભારતનું એક યા બીજું પાત્ર છે. તેથી વિજયની ગુણવત્તા આવે છે - 

 યત્ર યોગેશ્વરઃ કૃષ્ણયાત્ર પાર્થો ધનુર્ધરઃ ।
 તત્ર શ્રીરવિજયો ભૂતિઃ ધ્રુવ નીતિર્મતિર્મમ્ ॥18:78॥

 ગીતા પ્રેસ ગોરખપુરમાંથી પ્રકાશિત થયેલ મહાભારત સંપૂર્ણ અને સંક્ષિપ્ત એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે, તે વાંચવું આવશ્યક છે. 

 પ્રશ્નકર્તા- દિનેશ મિત્તલ ભૈયા
 પ્રશ્ન- અર્જુનના રથ વિશે કહો. 
 જવાબ- પ્રથમ અધ્યાયમાં અર્જુનના રથનું વર્ણન કરવામાં આવ્યું છે- 

 ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः॥1:14॥
 

 અર્જુનને અગ્નિદેવ પાસેથી સફેદ ઘોડાઓ સાથેનો આ રથ મળ્યો હતો. આ રથ હવામાં ફરે છે. તેના સફેદ ઘોડા ક્યારેય મરતા નથી. આ શસ્ત્રો ક્યારેય સમાપ્ત થતા નથી. ખાંડવના જંગલને બાળીને પ્રસન્ન થઈને અગ્નિદેવે આ દિવ્ય રથ અર્જુનને આપ્યો. આ વિશાળ રથનો ધ્વજ એક માઈલ સુધી લહેરાવે છે, તે ખૂબ જ સુંદર છે કારણ કે તેના પર હનુમાનજી સ્વયં બિરાજમાન છે. ધ્વજ પર હનુમાનજી ગર્જના કરે છે, દ્રોણાચાર્યના બ્રહ્માસ્ત્રની પણ આ રથ પર કોઈ અસર થઈ નથી. અઢારમા દિવસે, દુર્યોધનને માર્યા પછી યુદ્ધ સમાપ્ત થયા પછી, ભગવાન કૃષ્ણ શિબિરમાં પાછા ફર્યા અને અર્જુનને તેના તમામ શસ્ત્રો સાથે રથમાંથી નીચે ઉતરવાનું કહ્યું. દરરોજ સાંજે ભગવાન પોતે પહેલા નીચે ઉતરતા અને પછી અર્જુનને નીચે ઉતારતા, આજે ઉલટું ભગવાને અર્જુનને પહેલા નીચે ઉતરવાની આજ્ઞા કરી. ભગવાનની આજ્ઞા મુજબ અર્જુન શસ્ત્રો લઈને નીચે ઉતર્યો. એ પછી ભગવાન પણ ઘોડાઓની લગામ છોડીને નીચે આવ્યા. ભગવાન ઉતરતાની સાથે જ રથ બળીને રાખ થઈ ગયો. આ સાંભળીને પાંચેય પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાને કહ્યું કે બ્રહ્માસ્ત્ર દ્વારા આ રથનો નાશ થઈ ચૂક્યો છે. રથ પર ભગવાનની હાજરીને કારણે તે હજુ સુધી બળીને રાખ થયો ન હતો.

પ્રશ્નકર્તા- દીપશિખા દીદી 
 પ્રશ્ન- ઇન્દ્રિયોને કેવી રીતે નિયંત્રિત કરવી? 
 જવાબ: આપણા બધા માટે આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું મુશ્કેલ છે. જો આપણે ઇન્દ્રિયોને કાબૂમાં રાખીએ, તો આપણે મનના માલિક બનીએ છીએ. 
 આપણું મન જે કહે તે આપણે કરીએ છીએ. આપણે મનના માલિક છીએ કે નોકર? જો આપણે મનના સ્વામી છીએ, તો મનએ આપણું પાલન કરવું જોઈએ. ભગવાને આપણને મનના માલિક તરીકે મોકલ્યા છે, આપણે મનના ગુલામ બની ગયા છીએ. અંતઃકરણને જાગૃત કરીને અને બુદ્ધિને મનથી ઉપર લાવવાથી જીવન ઉજ્જવળ બને છે. 

 પ્રશ્નકર્તા- પ્રેમનાથ ઉપાધ્યાય ભૈયા 
 પ્રશ્ન: ભગવાને અગિયારમા શ્લોકમાં પ્રલય શબ્દ શા માટે વાપર્યો છે? 
 જવાબ: વિનાશનો અર્થ માત્ર વિશ્વના વિનાશ પૂરતો મર્યાદિત નથી. આપણે રાત્રે ઊંઘીએ છીએ, તે પણ રોજની આફત છે. 

चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः।
कामोपभोगपरमा एतावदिति निश्चिताः॥16:11॥

 રાત્રે સૂયા પછી શું થયું? અમને ખબર નથી. આ રોજની આફત છે. કયામતના દિવસનો અર્થ વિશ્વનો વિનાશ નથી. મૃત્યુ પણ કયામતનો દિવસ છે. અહીં વિનાશનો અર્થ આ જીવનનો વિનાશ છે.
પ્રશ્નકર્તા- હરીશ અરોરા ભૈયા 
 પ્રશ્ન- દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે ભીષ્મ પિતામહ મૌન કેમ રહ્યા? 
 જવાબ- ભીષ્મ પિતામહ હસ્તિનાપુર રાજ્ય પ્રત્યે વફાદાર હતા. તેણે બાળપણમાં એક અવિવેકી પ્રતિજ્ઞા લીધી હતી, તેથી જ તે સિંહાસનનું રક્ષણ કરવા માટે મક્કમ હતા. તેમનું વચન તેમના ધાર્મિક આચરણને અનુસરવામાં અવરોધ બની ગયું. પોતાની નિમણૂક હોય ત્યારે પણ જરૂરી હોય તે સમયે યોગ્ય સમયે ગુસ્સો ન કરવો કે મૌન રહેવું એ પણ અધર્મ છે.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “દૈવાસુરસમ્પદ્વિભાગયોગ" નામનો સોળમો અધ્યાય પૂરો થયો. ॥૧૬॥